વડીલોપાર્જીત મકાનની માલિકી મુદ્દે નાના ભાઈના નિંદ્રાધીન પરિવારના 4 સભ્યોને પેટ્રોલ છાંટી જીવતાં સળગાવી દેવાની ચકચારી ઘટનામાં આરોપી સહિત વધુ બેનાં મોત નીપજ્યાં છે. ભુજ એ ડિવિઝન પોલીસ મથકના જણાવ્યા મુજબ ગઈકાલે ગંભીર રીતે દાઝેલાં મહમદ ઇબ્રાહીમ હાજી ઇસ્માઇલશા પીર (ઉ.વ. 67) અને આરોપી યુસુફશા હાજી ઇસ્માઇલશા પીરે આજે સારવાર દરમિયાન જી.કે.જનરલ હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારની રાત્રે મકાનના ડખ્ખામાં યુસુફશાએ તેના નાના ભાઈ મહમદ ઈબ્રાહીમ અને તેની પત્ની, બે પુત્રીઓ પર પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધી હતી. જેમાં માતાપુત્રી એવા શેરબાનુ મામદ ઇબ્રાહીમ પીર અને ઝુલેખા મામદ ઇબ્રાહીમ પીર નાં મૃત્યુ થયાં હતાં. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ