અફઘાનિસ્તાનના નાનગરહર પ્રાંતનાં જલાલાબાદમાં રવિવારે ભારતીય દૂતાવાસ નજીક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ૧૪ લોકોનાં મોત નીપજયાં છે જયારે ૪૫ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ગવર્નરનાં કાર્યાલયની બહાર બ્લાસ્ટ થતાં નાસભાગ થઈ હતી. આ વિસ્તારમાં જ ભારતીય દૂતાવાસ કચેરી આવેલી છે. ગવર્નર પ્રવકતા અતાતુલ્લાહ ખોગ્યાનીના જણાવ્યા પ્રમાણે હુમલો કરનારો કાર્યાલય સુધી ચાલીને આવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ કોઈ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

નાનગરહર પ્રાંતના પોલીસ અધિકારી ગુલામ સ્તાનિકઝીએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારા અને ઈજાગ્રસ્તોમાં મોટાભાગના તાલિબાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. રવિવારે થયેલા હુમલા પાછળ આઈએસઆઈએસનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. ઈદ મનાવવા માટે એકઠાં થયેલાં લોકોને નિશાન બનાવી આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શનિવારે જલાલાબાદમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં ૩૬ લોકોનાં મોત નીપજયાં હતાં.

આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસે લીધી હતી. રવિવારે પણ ઈદની ઉજવણી દરમિયાન અફઘાન સૈનિકો અને તાલિબાનો પર હુમલો કરાયો હતો. હુમલો કરનારાઓનો ટાર્ગેટ અફઘાન સૈનિકો અને નેતાઓને પાઠ ભણાવવાનો હતો. શનિવારે તાલિબાન અને સરકારે સાથે મળીને ઈદની ઉજવણી કરી હતી. તા. ૭ જૂને અફઘાનિસ્તાન સરકારે રમજાન દરમિયાન ૭ દિવસ સુધી સંઘર્ષવિરામનું એલાન કર્યું હતું, જોકે તેની સામે તાલિબાનોએ માત્ર ત્રણ દિવસ જ સંઘર્ષવિરામનું એલાન કર્યું હતું.

રવિવારે સંઘર્ષવિરામના ત્રણ દિવસ પૂરા થઈ રહ્યા છે, ત્યારે હુમલા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંઘર્ષવિરામને વધુ નવ દિવસ લંબાવવાની જાહેરાત કરી હતી, જોકે આ અંગે તાલિબાનીઓએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. ૨૨ વર્ષમાં પ્રથમ વખત સરકાર અને તાલિબાનોએ ભેગા થઈને ઈદની શુભેચ્છા આપવા આયોજન કર્યું હતું. આ દરમિયાન સ્થાનિકો અને સૈન્યના જવાનોએ એકઠા થઈ શુભકામના પાઠવી સેલ્ફી પાડી હતી.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment