Skip to main content

અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે હૂમલો : ૨૦ના મોત..

અફઘાનિસ્તાનના નાનગરહર પ્રાંતનાં જલાલાબાદમાં રવિવારે ભારતીય દૂતાવાસ નજીક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ૧૪ લોકોનાં મોત નીપજયાં છે જયારે ૪૫ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ગવર્નરનાં કાર્યાલયની બહાર બ્લાસ્ટ થતાં નાસભાગ થઈ હતી. આ વિસ્તારમાં જ ભારતીય દૂતાવાસ કચેરી આવેલી છે. ગવર્નર પ્રવકતા અતાતુલ્લાહ ખોગ્યાનીના જણાવ્યા પ્રમાણે હુમલો કરનારો કાર્યાલય સુધી ચાલીને આવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ કોઈ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

નાનગરહર પ્રાંતના પોલીસ અધિકારી ગુલામ સ્તાનિકઝીએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારા અને ઈજાગ્રસ્તોમાં મોટાભાગના તાલિબાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. રવિવારે થયેલા હુમલા પાછળ આઈએસઆઈએસનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. ઈદ મનાવવા માટે એકઠાં થયેલાં લોકોને નિશાન બનાવી આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શનિવારે જલાલાબાદમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં ૩૬ લોકોનાં મોત નીપજયાં હતાં.

આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસે લીધી હતી. રવિવારે પણ ઈદની ઉજવણી દરમિયાન અફઘાન સૈનિકો અને તાલિબાનો પર હુમલો કરાયો હતો. હુમલો કરનારાઓનો ટાર્ગેટ અફઘાન સૈનિકો અને નેતાઓને પાઠ ભણાવવાનો હતો. શનિવારે તાલિબાન અને સરકારે સાથે મળીને ઈદની ઉજવણી કરી હતી. તા. ૭ જૂને અફઘાનિસ્તાન સરકારે રમજાન દરમિયાન ૭ દિવસ સુધી સંઘર્ષવિરામનું એલાન કર્યું હતું, જોકે તેની સામે તાલિબાનોએ માત્ર ત્રણ દિવસ જ સંઘર્ષવિરામનું એલાન કર્યું હતું.

રવિવારે સંઘર્ષવિરામના ત્રણ દિવસ પૂરા થઈ રહ્યા છે, ત્યારે હુમલા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંઘર્ષવિરામને વધુ નવ દિવસ લંબાવવાની જાહેરાત કરી હતી, જોકે આ અંગે તાલિબાનીઓએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. ૨૨ વર્ષમાં પ્રથમ વખત સરકાર અને તાલિબાનોએ ભેગા થઈને ઈદની શુભેચ્છા આપવા આયોજન કર્યું હતું. આ દરમિયાન સ્થાનિકો અને સૈન્યના જવાનોએ એકઠા થઈ શુભકામના પાઠવી સેલ્ફી પાડી હતી.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv