Skip to main content

Posts

Showing posts from January 19, 2018

પોલીસના ત્રણ કર્મીઓ પર છરી વડે હુમલો..

🖋આરોપીને પકડવા જતા બી-ડિવીઝન પોલીસના ત્રણ કર્મીઓ પર કરાયો છરી વડે હુમલો.. જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજ શહેરના દિનદયાલ નગર ખાતે ફરતો અને ખૂન ના કેસનો આરોપી એવો કાસમ મામદ નોતિયારને બી ડીવીઝન પોલીસના ત્રણ કર્મીઓ ને પકડવા ગયા હતા ત્યારે આરોપી એવા કાસમ ને આ વાત ની જાણ થઇ જતા તે સતર્ક બની ગયો હતો અને તેને પકડવા આવેલ જયદિપસિંહ પ્રો. ASI, પ્રકાશભાઈ-કોન્સ્ટેબલ અને સુરેશભાઈ ડ્રાઈવર પર ગંભીર હુમલો કરીને કાસમ નાશી છૂટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કાસમ મામદ નોતિયાર ભૂતકાળમાં તેના જ બનેવી ના ખૂન કેસમાં સજા કાપી રહ્યો છે અને હાલ પેરોલ પર છૂટ્યો છે. ગઈ કાલે લૂટનો બનાવ અને આજે (૧૯-૧) ના રોજ ખુદ પોલીસ પર જ જીવલેણ હુમલો થતા ક્યાંક પોલીસની ધાક આરોપીઓ પર ઓછી થઇ રહી છે તેવું ચોક્કસ જણાઈ આવે છે. હાલ ત્રણેય પોલીસ કર્મીઓને ભુજ જી.કે. જનરલમાં પ્રાથમિક સારવાર અપાઈ ને ભુજની નાણાવટી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આવી ઘટના બનતા પોલીસે આરોપી કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260

ફિલ્મ "પદ્માવત" ને લઇ ને કચ્છમાં પડ્યા પડઘા : કરણી સેના એ કર્યો ઉગ્ર વિરોધ..

"પદ્માવત" ફિલ્મને લઈને કચ્છમાં પણ પડઘા, કરણીસેનાએ કચ્છમાં અલગ-અલગ જગ્યાએ કર્યો ઉગ્ર વિરોધ.. ફિલ્મ પદમાવતનો વિરોધ સમગ્ર ભારતમાં થઈ રહ્યો હતો, ત્યારે સંજય લીલા ભણસાલીઈ સુપ્રીમમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે ફિલ્મને લીલીઝંડી આપી હતી. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે આજે કચ્છમાં વિવિધ સ્થળોએ ફિલ્મ ''પદ્માવત'' ને લઈને કરણીસેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દેશલપર-નખત્રાણા હાઇવે પર કરણીસેના તેમજ હોદેદારોએ ફિલ્મ રીલીઝ ન થાય તે માટે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. અને સમગ્ર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો, તો બીજી બાજુ ભચાઉ-રામદેવપીર હાઇવે પર પણ કરણીસેનાએ વિરોધ દર્શાવીને એવા સંકેતો આપી દીધા હતા કે રાજપૂત સમાજ કોઇપણ સંજોગોમાં ઈતિહાસ સાથે ચેડા નહી જ ચલાવી લે. તેમજ આગેવાનોએ એવી પણ ચીમકી આપી હતી કે કચ્છમાં ક્યાંય પણ ફીલ્મને રીલીઝ થવા દેવામાં નહી આવે. અને સરકાર આ તરફ ઘટતું નહી કરે તો કરણી સેના ઘટતું કરવામાં પાછી પાની નહી કરે. કિશાન હોટેલ ભચાઉથી સામખીયાળી ટોલગેટ સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી અને રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણીસેના કચ્છના