ક્ચ્છ યુનિવર્સિટી એ તાજેતરમાં એક નિર્ણય લીધો હતો અને જે મુજબ જે વિદ્યાર્થીઓ ને સેમ - 1 અને સેમ - 2 માં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓને સેમ - 5 માં પ્રવેશ આપવો નહિ. યુનિવર્સિટી ના આ નિર્ણય ને એબીવીપી એ મનસ્વી ગણાવ્યો હતો અને આ નિણર્ય નો ઉગ્ર વિરોધ કરીને આજે ક્ચ્છ યુનિવર્સિટી માં વીસી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કચ્છ યુનિવર્સિટી એ લીધેલા આ હિટલરશાહી નીતિ ભર્યા નિર્ણયનો છાત્રોએ વિરોધ નોંધાવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી એ લીધેલા આ નિણર્ય નો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પરિપત્રને રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો આ અંગે આઠ દિવસમાં કોઈ નિણર્ય નહિ લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment