Skip to main content

અંજારના બે માસ પહેલાના મર્ડર કેસનો આરોપી અંતે પકડાયો..

અંજારના બે માસ પહેલાના મર્ડર કેસનો આરોપી અંતે પકડાયો..


અંજાર રેલવે સ્ટેશન નજીક જીઆઈડીસી સિગ્નલ પાસે બે મહિના પહેલાં 23 વર્ષના યુવક પર ઘાતક હુમલો કરી તેની હત્યા નીપજાવવાનાં બનાવમાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરી યુવકના હત્યારાની ધરપકડ કરી લીધી છે. અંજારના ધબડા ચાર રસ્તા નજીક ભોલેનાથનગરમાં રહેતો શૈલેષ નટવરલાલ દરજી નામનો યુવક ૨૩મી નવેમ્બરની સવારે અંજાર જીઆઈડીસી સિગ્નલ પાસે માથામાં ઈજા સાથે બેશુધ્ધ હાલતમાં મળી આવ્યો હતો. આગલા દિવસની રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે તેના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા.

શૈલેષને બેશુધ્ધ હાલતમાં અંજાર અને બાદમાં ભુજ તેમજ છેલ્લે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ, એક અઠવાડીયાની સારવાર બાદ પહેલી ડિસેમ્બરે તેનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. રેલવે પોલીસે તપાસ માટે અલગ અલગ ટીમ બનાવી બાતમીદારો એક્ટિવ કરતાં પોલીસ સમક્ષ શકમંદ આરોપી તરીકે તેના જ ફળિયામાં રહેતા હિતેન્દ્રસિંહ જોરૂભા વાઘેલા (ઉ.વ.૨૦)નું નામ સામે આવ્યું હતું. પોલીસે હિતેન્દ્રસિંહની અટક કરી સઘન પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

હત્યા કેસનું ડિટેક્શન કરનારાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એ. કપાસીએ જણાવ્યું કે, હિતેન્દ્રસિંહના ઘરમાંથી ચાંદીના દરદાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. હિતેન્દ્રસિંહને આ ચોરી માટે શૈલેષ પર શક હતો. જો કે, ચોરીના બનાવ અંગે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. શૈલેષે જ ચોરી કરી હોવાનું માનીને હિતેન્દ્રસિંહ તેને દારૂ પીવડાવવાના બહાને 22 નવેમ્બરની રાત્રે જીઆઈડીસી રેલવે ટ્રેક નજીક લઈ આવ્યો હતો. જ્યાં તે રાત્રિના અંધારામાં શૈલેષના માથામાં ધારીયાના ઘા મારી ફરાર થઈ ગયો હતો. ધારીયાને તે આસપાસની બાવળોની ઝાડીઓમાં નાખી નાસી છૂટ્યો હતો.


- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,



*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB



Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv