દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી આજે કચ્છની મુલાકાતે આવ્યાં હતા. બપોરે ભુજ આવી પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ જમીનનો કબ્જો ના મળતાં કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર ઉતરેલાં રાપરના દલિત સભાસદો ની છાવણીની મુલાકાત લીધી હતી અને જમીનનો કબ્જો ન મળવા અંગે દલિત ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ક્ચ્છ માં સરકારી જમીનની દલિતોને ફાળવણી થઈ ગઈ હોવા છતાં દલિતોને 35 વર્ષથી જમીનનો કબ્જો ના મળતો હોવા મુદ્દે આગામી 14મી એપ્રિલે મેવાણીએ સામખિયાળી હાઈવે પર ચક્કાજામનું એલાન આપ્યું છે.
જો 13 એપ્રિલ સુધીમાં વહીવટીતંત્ર જમીનનો કબ્જો સોંપવામાં નિષફળ નીવડે તો 14 એપ્રિલે ક્ચ્છ ના પ્રવેશદ્વાર સમાં સામખીયાળી હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવશે. જેના સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો સાથે તેમણે બેઠક યોજી ભાવિ આંદોલનને સફળ બનાવવા અંગે ચર્ચા પણ કરી હતી.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment