પ્રાપ્ત માહિતી અનુસાર , ભુજના સરપટ નાકા વિસ્તારમાં પ્રકાશ શાંતિલાલ રાજગોર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.તેની પર 4 થી 6 જેટલા ઈસમોએ ગળા સહિતના ભાગ પર તીક્ષણ હથિયારોના ઘા વડે જીવલેણ હુમલો કર્યો હતો.હુમલો કર્યા બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા.હુમલામાં અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ઘટના ને પગલે રાજગોર સમાજના લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
ઘટના ની જાણ થતાં , જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી , LCB, SOG ,એ ડિવિઝન , બી ડિવિઝન પી.આઇ , બોર્ડર વિંગ , હોમઞાડૅના જવાનો નો કાફલો જી.કે.જનરલ હોસ્પિટલ માં દોડી ગયો હતો.અને સમગ્ર ઘટનાનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો બીજીતરફ અફવા અને ચર્ચા વચ્ચે પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે સરપટ ગેટ સહિત હોસ્પિટલ મધ્યે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મળતી વિગત અનુસાર , બે માસ અગાઉ થયેલા ડખ્ખાની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.આ હુમલો સમા અટક સાથે સંકળાયેલા મુસ્લિમ યુવાનો દ્વારા કરાયા હોવાનું હોસ્પિટલમાં ચર્ચા માં રહ્યું હતું. અહેવાલ - કૌશિક છાયા
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment