Skip to main content

કચ્છ જિલ્‍લામાં સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત ૨૮૩ કામો આરંભી દેવાયા..

૫૧ જેટલા કામો પૂર્ણ કરાયા, ભુજ નગરપાલિકા વિસ્‍તારમાં ૧૫ કામોનો શુભારંભ


કચ્‍છ જિલ્‍લો જળની અદમ્‍ય પ્‍યાસ ધરાવતો એશિયાનો દ્રિતિય નંબરનો જિલ્‍લો છે. ત્‍યારે રાજય સરકાર દ્વારા ગત ૧લી મે ગુજરાત સ્‍થાપના દિનથી રાજયભરમાં શુભારંભ થયેલ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત કચ્‍છ જિલ્‍લામાં ૬૪૦ જેટલા જળસંચયના કામોનો રીવાઈઝડ માસ્‍ટર પ્‍લાન મુજબ કચ્‍છ જિલ્‍લાના તમામે તમામ ૧૦ તાલુકામાં ૨૮૩ જેટલા કામોનો શુભારંભ થઇ ગયાનું જિલ્‍લાના નોડલ અધિકારી વ સિંચાઇ કાર્યપાલક શ્રી સોનકેસરીયાએ યાદીમાં જણાવ્‍યું છે.

તેમના જણાવ્‍યા મુજબ અબડાસા તાલુકામાં ૧૪, અંજાર તાલુકામાં ૮, ભચાઉ તાલુકામાં ૧, ભુજ તાલુકામાં ૭, ગાંધીધામ તાલુકામાં ૨, લખપત તાલુકામાં ૩, માંડવી તાલુકામાં ૧, મુન્‍દ્રા તાલુકામાં ૭, નખત્રાણા તાલુકામાં ૨, રાપર તાલુકામાં ૬ મળી કુલ ૫૧ જેટલા કામો પૂર્ણ થઇ ગયા છે તે ઉલ્‍લેખનીય છે. બાકીના ૨૩૨ કામો પ્રગતિ હેઠળ હોવાનું શ્રી સોનકેસરીયાએ ઉમેર્યુ હતું. તો ભુજ સમેતના ૬ નગરપાલીકા વિસ્‍તારમાં ૧૫ જેટલા કામો શરૂ કરી દેવાતાં શહેરીજનોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

અત્રે યાદ અપાવીએ કે ગત સોમવારે તા.૧૪/૫/૨૦૧૮ના રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્‍યક્ષપદે મળેલ સમીક્ષા બેઠકમાં તેમના દ્વારા ૨૫ ટકા પ્રમાણમાં શરૂ થયેલ જળસંચય કામોમાં ગતિ આણવા ભારપૂર્વક અનુરોધ કરતાં જિલ્‍લા કલેકટરશ્રી રેમ્‍યા મોહન દ્વારા સતત સંલગ્‍ન અધિ-કર્મી, ઉધોગગૃહો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સાથે સુસંકલન સાધી ૨૮૩ કામો એટલે કે ૪૪ ટકા આસપાસ લક્ષ્‍યાંક સિધ્‍ધિ મેળવાઇ છે તેવું શ્રી સોનકેસરીયાએ વિશેષમાં જણાવ્‍યું હતું.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv