Skip to main content

ભુજ માં પાણીના કકળાટ ના કારણે આજે પાલિકા કચેરીમાં મહિલાઓએ માટલા ફોડયા..

ભુજ શહેર મા દિન - પ્રતિદિન વધી રહેલા પાણીના કકળાટ ને કારણે આજે નગરપાલિકા કચેરીમાં મહિલાઓનો મોરચો ધસી આવ્યો હતો અને પાણીની વધી રહેલી સમસ્યાઓનો વિરોધ નોંધાવ્યો હતો.ભુજ માં પાણીનો કકળાટ ના કારણે આજે પાલિકા કચેરીમાં મહિલાઓએ માટલા ફોડીને અને છાજીયા લઈને વિરોધ નોંધાવ્યો હતો.
ભુજમાં પાણીની તંગીની સમસ્યા તીવ્ર બની  છે. અનેક વિસ્તારોમાં અઠવાડીયે માંડ એકવાર નામ માત્રનું અપૂરતું પાણી અપાય છે. જેથી લોકોનો આક્રોશ ઘેરો બન્યો છે.
ખાસ કરીને, ભુજના વૉર્ડ નંબર 1,2,3 અને 8માં પાણીની કારમી તંગીથી કંટાળેલી મહિલાઓએ આજે ભુજ નગરપાલિકા કચેરીમાં માટલાં ફોડી વિરોધ પ્રગટ કર્યો હતો.વિપક્ષી સભ્યોએ નગરપાલિકા કચેરીમાં માટલા ફોડી નોંધાવ્યો હતો. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને અન્ય કોંગ્રેસી નગરસેવકોની હાજરીમાં માટલાધારી મહિલા મોરચો પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને પાણી પુરવઠા સમિતિના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યો હતો. જો કે, પરિસ્થિતિ પામી ગયેલાં એકપણ પદાધિકારી ત્યાં હાજર નહોતાં અને તેમની ચેમ્બર બહાર તાળાં લટકતાં હતા. જેથી મહિલાઓએ તેમની ચેમ્બર આગળ માટલાં ફોડી તેમના નામના છાજિયાં લીધા હતા. વૉર્ડ નંબર 8માંથી ખુદ પાલિકા પ્રમુખ અશોક હાથી ચૂંટાયેલા છે. તો વૉર્ડ નંબર એક અને બેમાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. વિપક્ષી નેતા જાડેજાએ પાલિકાના પાણી વિતરણની વ્યવસ્થાને નિષ્ફળ ગણાવી હતી.જો કે , નગરપાલિકા ના પ્રમુખ અશોક હાથી પછી જયારે કચેરીમાં આવ્યા ત્યારે વિપક્ષે પ્રમુખ સમક્ષ ધારદાર દલીલો કરી હતી અને પાણીની સમસ્યા મુદ્દે જવાબ માંગ્યો હતો.આ રજુઆત કરતી વેળાએ ઉશ્કેરાયેલા મહિલાએ પાલિકા પ્રમુખ પર બંગડી ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો.પાણીની સમસ્યા મુદ્દે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે , આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં પણ ક્ષતિ હશે તેનું નિરાકરણ કરીને નિયમિત રીતે લોકોને પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv