Skip to main content

પાકિસ્તાનમાં હિંદુ સહિત લઘુમતી કોમો પર સતત હિંસક હુમલા..

ત્રાસવાદને લગતા મોતની સંખ્યા કદાચ ઘટી હોય પરંતુ ધાર્મિક લઘુમતી કોમને નિશાન બનાવીને કરાતી હિંસા અને સરકારી સંસ્થાઓ પર હિંસા વધી છે.



માનવ હક માટેના સ્વતંત્ર નિરીક્ષકના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં હિંદુ, ખ્રિસ્તી, શીખ, અહમદી અને હઝારા સહિતની લઘુમતી કોમ પર સતત હિંસક હુમલા થતા રહે છે. નિરીક્ષકે લઘુમતી કોમનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેલી સરકારની સખત શબ્દોમાં ટીકા કરી હતી. હ્યુમન રાઇટ્સ કમિશને જાહેર કરેલા ૨૦૧૭ના રિપોર્ટમાં જણાવાયું હતું કે પાકિસ્તાનમાં લોકો ગુમ થતા રહે છે, અમુક વખત એમણે દેશની શકિતશાળી સેનાની ટીકા કરી હોવાથી અથવા તો એમણે ભારત સાથે સારા સંબંધો રાખવાની તરફેણ કરી હોય માટે આ રિપોર્ટ માનવ હકના સમર્થક અસ્મા જહાંગીરને અર્પણ કરાયો હતો. તેઓ માનવ હકના પ્રખર સમર્થક હતા અને ફેબ્રુઆરીમાં એમનું અવસાન થયું હતું. કમિશને રિપોર્ટમાં લોકોના ગુમ થવા, હત્યાની સંખ્યામાં થયેલો વધારો અને સૈન્ય કોર્ટને આપવામાં આવેલી વધુ સત્ત।નો ખાસ ઉલ્લેખ કર્યો છે. નિંદાના ખોટા આરોપ અને હિંસા, જીવલેણ કામમાં રોકાયેલાં બાળકોની સંખ્યા અને મહિલાઓ સાથે કરાતી હિંસા સરકારની સૌથી નબળી બાજુ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જો હિંદુઓ સામેના અત્યાચાર આ રીતે ચાલુ રહ્યા તો એમની ભારત તરફની હિજરત ચાલુ રહેશે. ત્રાસવાદને લગતા મોતની સંખ્યા કદાચ ઘટી હોય પણ ધાર્મિક લઘુમતી કોમને નિશાન બનાવીને કરાતી હિંસા અને સરકારી સંસ્થાઓ પર હિંસા વધી છે. પત્રકારો અને બ્લોગરોને ધમકી, એમના પર હુમલા તથા અપહરણ અને નિંદાના કાયદોનો ઉપયોગ લોકોનું મોઢું બંધ કરવા માટે કરવામાં આવે છે. લોકોની સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિને અસહિષ્ણુતા અને કટ્ટરવાદથી પ્રતિબંધિત કરવામાં આવે છે અને સરકાર આ મામલે નિષ્ક્રિય રહે છે. ૨૯૬ પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં વિચાર, વ્યકિતત્વ અને ધર્મની સ્વતંત્રતાને દબાવવામાં આવી હતી, નફરત વધી હતી, અસહિષ્ણુતામાં હજુ વધારો થયો હતો, લઘુમતીને રક્ષણ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ હતી અને પોતાની ફરજ ચૂકી હતી. લઘુમતી કોમ પર થઇ રહેલા અત્યાચાર અને હિંસામાં વધારો થયો હતો. લઘુમતી કોમની સંખ્યા ઘટી રહી હોવાની વાતથી કમિશનને કોઇ આશ્ર્ચર્ય નથી થયું. સ્વતંત્રતા વખતે પાકિસ્તાનમાં વીસ ટકા લઘુમતી કોમની વસતિ હતી. ૧૯૯૮ના સેન્સસ પ્રમાણે લઘુમતી કોમની વસતિ ઘટીને ત્રણ ટકાથી ઓછી થઇ ગઇ છે. હાલના સેન્સસના આંકડા જાહેર નથી કરાયા પણ એમાં લઘુમતી કોમની સંખ્યા હજુ વધારે ઘટી હશે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv