Skip to main content

રાપરથી ધોળાવીરા વચ્ચેના ૧૫૦થી વધુ ગામ-વાંઢ વચ્ચે એક જ બેન્ક: લોકો માટે બેન્ક ૧૦૦ કિલોમીટર દૂર

આજે ડીજીટલ ઈન્ડિયા મોટી મોટી વાતો ભલે થઈ રહી હોય, પરંતુ ગુજરાતનો એક વિસ્તાર એવો છે જ્યાં આજે પણ ૧૦૦ કિ.મી. સુધીના અંતરમાં એક પણ બેન્ક નથી! બેન્કને લગતું કોઈ કામ હોય તો લોકોએ પોતાના ધંધા-રોજગાર છોડી લાંબી મજલ કાપીને દૂર સુધી જવાની ફરજ પડે છે. વળી, ઉજ્જડ રણમાં એરંડો પ્રધાન એ કહેવત અનુસાર અહીની એકમાત્ર બેન્કના તાળા સવારે ૧૧ વાગ્યે ખૂલે છે. તથા કામગીરી તો બપોરે ૧ર વાગ્યે શરૃ થાય છે. પાસબુકમાં એન્ટ્રી પડાવવા જેવા સામાન્ય કામમાં લોકોનો આખો દિવસ બગડે છે. કચ્છના રાપર-ભચાઉ તાલુકાની આ વેદના છે. કેટલાક ગામ-વાંઢ એવા છે, જ્યાંથી પાકિસ્તાની બોર્ડર ૫૦ કિલોમીટર દૂર નથી, પરંતુ બેન્કની સગવડ ૧૦૦ કિલોમીટર દૂર થાય છે. આ વિકસીત ગુજરાતની વાસ્તવિકતા છે.



કચ્છમાં રાપરથી આગળ ધોળાવીરા જતાં ૬૦થી વધુ ગામ અને ૧૦૦થી વધુ વાંઢ આવેલા છે. પરંતુ બેન્કની સગવડ માત્ર રાપરમાં છે. ધોળાવીરા આમ તો ભચાઉ તાલુકામાં છે, પરંતુ નજીકનું મોટુ સેન્ટર રાપર છે. ભચાઉ જવુ હોય તો પણ રાપર થઈને જવું પડે છે. માટે આ બધા વિસ્તારના લોકોને બેન્કિંગ કામકાજ માટે રાપર સુધી ધક્કો ખાવો પડે છે. બીજી બ્રાન્ચ રાપર પાસે રવ ગામે છે. પરંતુ એ પણ ધોળાવીરાથી ૯૦ કિલોમીટર દૂર થાય છે. સરકાર કેસલેશ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માંગે છે પરંતુ અહીં રોકડ સિવાય વ્યવહાર જ શક્ય નથી. રાપર પાસે આવેલા રવ ગામમાં આવેલી બેન્ક ઓફ ઈન્ડિયાની આ શાખામાં આજે જ સવારે ૧૧ વાગ્યા સુધી તાળા ન ખૂલતા બહાર લોકોની લાઈન લાગી હતી. વળી ર૪ કલાક ખૂલ્લા રાખવાના એ.ટી.એમ. સેન્ટરને પણ તાળા મારેલા હતાં. દૂરથી દૂરના ગામમાંથી કામ-ધંધા છોડીને આવેલા પ્રજાજનો જાણે કે કોઈ મંદિરના દરવાજા ખૂલવાની રાહ જોતા હોય તેમ બેન્કની બહાર બેઠા હતાં. આસપાસના ૧૦૦ કિ.મી. જેટલા વિસ્તારમાં બીજી કોઈ બેન્કની કોઈ શાખા ન હોવાથી મજબુરીવશ લોકોને અહી આવવું પડે છે.વળી, એવું પણ નથી કે આ વિસ્તાર સાવ પછાત છે. ઘણા નોકરિયાતો વસવાટ કરે છે. શાળાના બાળકો શિષ્યવૃત્તિ મેળવતા હોય છે. રાંધણગેસની સબસીડી પણ બેન્કમાં જ જમા થાય છે. માટે દરેક સામાન્ય લોકોને પણ બેન્કિંગ વ્યવહારો સાથે કાયમી પનારો પડે છે. લોકોને પૈસા જમા કરાવવા કે ઉપાડવાથી લઈને પાસબુકમાં એન્ટ્રી કરાવવી, રકમ જમા થઈ છે કે નહીં ? તેની તપાસ કરવી, કોઈ ફોર્મ ભરવા વગેરે જેવી કામગીરી માટે રવ ગામ સુધી લાંબો ધક્કો ખાવો પડે છે. આખો દિવસ પાડીને રોજગારી જતી કરી, ભાડાની રકમનો ખર્ચો કરીને કોઈ સામાન્ય શ્રમિક વર્ગના લોકો અહી સુધી આવી પહોંચ્યા બાદ પણ કામગીરી થવાની કોઈ ગેરેંટી નથી. કારણ કે અંતરિયાળ વિસ્તાર હોવાના કારણે ઈન્ટરનેટની કનેક્ટીવીટીથી લઈને સર્વર ડાઉન રહેવા સુધીના કેટલાય પ્રશ્નો પેદા થાય છે. આ ઉપરાંત કોઈ દસ્તાવેજ ખૂટતો હોય તો લોકોને ફરી વખત બીજા દિવસે પોતાના ઘરેથી ધક્કો ખાવો પડે છે. આ ધક્કા ૪૦-પ૦ કિ.મી.ના સહેજે થઈ જાય છે! આજે મોટા શહેરોમાં દર એક કિલોમીટરે બે-ત્રણ બેન્કની શાખાઓ અને એ.ટી.એમ. મશીનો આવેલા હોય છે. ગામડામાં પણ બે-ત્રણ ગામડા દીઠ બેન્ક અને એ.ટી.એમ.ની વ્યવસ્થા હોય છે. તેવી સ્થિતિમાં ૧૦૦ કિ.મી. સુધી માનવ વસવાટ વચ્ચે બેન્કિંગ સેવા ન હોવી, તેની કલ્પના માત્ર આંખો પહોળી કરી દેનારી હોય તો પછી આ વેદના અનુભવતા લોકોની દશા કેવી હશે ? ત્યારે રાપર અને ખડીરના બાલાસર, બેલા અને રતનપર જેવા ગામોમાં તાત્કાલિક અસરથી બેન્કીંગ સેવા શરૃ કરાય તો લોકોને આ હલાકીમાંથી ઉગારી શકાય તેમ છે.



Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ : 
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા: 
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, 
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર 

મા ડ્રિંકિંગ વોટર: 
15 રૂપિયામાં 20 લીટર


Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv