Skip to main content

ભારત બંધ : ભણસાલીની ઊંઘ અને આરામ પણ બંધ

🖋 ભારત બંધ : સંજય લીલા ભણસાલીની ઊંઘ પણ બંધ

 સંજય લીલા ભણસાલી માટે 'પદ્માવત' ડ્રીમ-પ્રોજેકટ હતો, પણ આ ડ્રીમ દુઃસાહસ પુરવાર થયું એવું તે પણ હવે અંદરખાને સ્વીકારે છે.
 (મા ન્યુઝ : ૨૫ જાન્યુઆરી, 16:18 )
હિંદીમાં કહેવત છે જૈસી કરની વૈસી ભરની , સંજય લીલા ભણસાલી એ અનેક લોકોની ભાવના સાથે ખીલવાડ કરતાં હાલ તેની સાથે તેની તબિયત પણ ખીલવાડ કરી રહી છે.હાલ ભણસાલી ની ઊંઘ અને આરામ અભેરાઈ ચડી ગયા છે , અને 20 કિલો વજન પણ ઘટી ગયું છે.

વિવાદાસ્પદ ફિલ્મ બનાવી કાયમ વિવાદમાં રહેતાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી પદ્માવત બનાવીને હાલ પોતાનું વજન અને ઊંઘ પણ વેચી માર્યા છે.
સામાન્ય રીતે ફિલ્મ બનાવવાનું કામ નામ અને દામ કમાવા માટે કરવામાં આવતું હોય છે, પણ સંજય લીલા ભણસાલીને 'પદ્માવત' એ બ્લડ-પ્રેસર અને ડાયાબીટીઝ જેવી બીમારી આપવાનું કામ કર્યુ છે. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું એ સમયથી ચાલતા એકધારા વિવાદે હવે રીલીઝ સમયે જયારે તીવ્ર વિવાદનો રંગ પકડયો છે. ત્યારે સંજય લીલા ભણસાલીની હેલ્થને પણ એનાથી ડેમેજ થયું છે.
Advertisement


 છેલ્લા બે મહિનામાં સંજય લીલા ભણસાલીને હાઇ બ્લડ - પ્રેશર અને ડાયાબીટીઝ જેવી બીમારી પણ લાગુ  પડી એવું તેમના યુનિટની નજીકની વ્યકિતનું કહેવું  છે. 'બાજીરા મસ્તાની', 'સાવરિયા' જેવી અનેક ફિલ્મોમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કરનારી આ વ્યકિતનું કહેવું છે કે 'સંજય જેટલુ ટેન્શન અત્યારે જગતની એક પણ વ્યકિત પર નહી હોય. તે એકધારો ટેન્શનમાં રહે છે.રાતે ઊંઘી પણ નથી શકતો, જેને લીધે લગભગ  અઢી મહિનાથી તો તેણે ઊંઘ માટે પણ ટેબ્લેટ લેવાનું શરૂ કરી દીધું છે અને એ પછી પણ આછાસરખા. અવાજ વચ્ચે પણ તે જાગી જાય છે.
Advertisement
' 'પદ્માવત' ના રિલીઝના ટેન્શન વચ્ચે સંજય લીલા ભણસાલીનું છેલ્લા દોઢ મહિનામાં સત્તરથી વીસ કિલો જેટલું વજન પણ ઘટીગયું છે. ગાલ ગલોફામાં ઘુસી ગયા છે અને આંખ નીચે કાળા કૂંડાળાં થઇગયા છે. પબ્લીકની સામે આવતા કે કોઇ જગ્યાએ મીટીંગ માટે જતાં પહેલાં તેમણે પોતાને પણ મેકઅપ કરવો પડે છે. તે પોતાનો નંબર પણ ચેન્જ કરી નાખવાનો છે.   સંજય લીલા ભણસાલી માટે 'પદ્માવત' ડ્રીમ-પ્રોજેકટ હતો, પણ આ ડ્રીમ દુઃસાહસ પુરવાર થયું એવું તે પણ હવે અંદરખાને સ્વીકારે છે. તેમની ઇચ્છા હતી કે આ ફિલ્મ પુરી કરીને માર્ચ સુધીમાં પોતાની નવી ફિલ્મ સાથે ફરી ફલોર પર જવાની તૈયારી કરશે, પણ હવે તેમણે નકકી કર્યુ છે કે એક વખત ફિલ્મ રિલીઝ થઇ ગયા પછી બે-ચાર મહિના અજ્ઞાત વાસમાં જઇને આરામ કરશે અને ઉધારીમાં લીધેલી ઉપાધિ થી કેમ છુટકારો લેવો એનો વિચાર કરશે .
Advertisement


હાલ લોકોએ બંધ માં જોડાઈને સાબિત કર્યું કે અસ્મિતાની વાત આવે છે ત્યારે લોકો એક થઇ જાય છે , જે બતાવે છે કે મનોરંજન થી ઉપર પણ આજે લોકો દેશની અસ્મિતાની સ્થાન આપ્યું છે. સુપ્રીમે ફિલ્મને રિલીઝ ની લિલી ઝંડી આપી છે , તો બીજી તરફ ગુજરાત , રાજસ્થાન ,મધ્યપ્રદેશ , ગોવા અને બિહાર માં પદ્માવત ફિલ્મ રિલીઝ નથી થઈ , ત્યારે કોંગ્રેસનાં સમર્થક તહસીન પુનાવાળા એ સુપ્રીમ ની અવગણના અંગે બદલ કરણી સેના અને ચાર રાજ્યો વિરુદ્ધ અરજી કરી છે. અંતમાં એટલુંજ કે જો ભારતમાં અભિવ્યક્તિ ની સ્વતંત્રતા હોય તો ફિલ્મ ના રિલીઝ કરવી એ પણ સ્વતંત્રતા ના કહેવાય ???
કચ્છની વાત કરીએ તો સમગ્ર કચ્છમાં બંધ શાંતિપૂર્ણ રહ્યું હતું, લોકો સ્વયંભૂ બંધને સમર્થન આપ્યું હતું.

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv