Skip to main content

કાજલ ઓઝા વૈદ્ય એવું ના લખે : લખે તો દુઃખની વાત

🖋 જો એવું કાજલ ઓઝાએ રાણી પદ્માવતીને 800 વર્ષ પહેલાંની સ્ત્રી કહી હોય તો દુઃખદ છે.
(કાજલ ઓઝા વૈદ્ય)

છેલ્લા બે એક દિવસથી એક પોસ્ટ વોટ્સએપ માં ફરી રહ્યું છે , એ પણ કાજલ ઓઝા વૈદ્ય નાં નામે , કાજલ ઓઝાએ જ આ લખાણ લખ્યું છે કે કેમ એ  એક સવાલ છે, પણ જો કાજલ ઓઝા જેવા સમજદાર લેખક અને વક્તા આ લખાણ લખ્યું હોય તો દુઃખદ વાત છે.
કાજલ બેનનાં નામે ફરતાં લખાણની વાત કરીએ એ પહેલાં આપને જણાવી દઈએ કે વોટસએપ્પ માં એક વિડિઓ અને અન્ય મેસેજ ફરી રહ્યો છે કે કરણી સેનાએ સ્કૂલ બસ ઉપર પથ્થરમારો કર્યો , હવે સત્ય હકીકત શું છે એ જાણવા કોઈએ પ્રયાસ કર્યા વગર જ મંડી પડ્યા મેસેજ શેર કરવા , ખરેખર વાસ્તવિકતા શું છે એ જાણવા અહીં એક વિડિઓ મુક્યો છે જે જોઈ ને આપ નક્કી કરી શકશો કે સ્કૂલ બસ ઉપર કરણી સેનાએ પથ્થરમારો નથી કર્યો. બસનાં ડ્રાઈવરે પણ કબુલ્યું છે કે બસ ઉપર પથ્થર મારો કરણી સેનાએ નથી કર્યો.
આજે સવારથી લગભગ મિડિયામાં એક ન્યૂઝ દેખાડી રહ્યા છે કે દિલ્હી ગુરૂગ્રામમાં રાજપૂતો એ એક સ્કૂલબસ પર હુમલો કર્યો છે.
પણ હકીકતમાં એવું કાંઈ જ નથી. એનું પ્રૂફ છે આ વિડીયો.(જુઓ વિડિઓ)


હવે વાત કરીએ કાજલ ઓઝા વૈદ્ય નાં નામે ફરી રહ્યો છે એ મેસેજ ની ,
"
'પદ્માવત' રિલીઝ થાય કે નહીં, આપણી હેવાનિયત અને અણસમજ તો રિલીઝ થઈ જ ગઈ! મોલ પાસે જેમના બાઈક સળગાવવામાં આવ્યા, એમને ઇન્સ્યોરન્સના અડધા પૈસા પણ નહીં મળે. નવું બાઈક લેવાના પૈસા હશે કે નહીં કોને ખબર? એ નોકરીએ કેવી રીતે જશે? સંતાનોને ફરવા લઈ જઈ શકશે? સ્કૂલે  મૂકવા જઈ શકશે? એમના પરિવારને અને બાળકોને તકલીફ આપવાનો આપણને શું અધિકાર છે?
સરકારી બસ સળગાવીને શું મળે? સરકારી બસ કંઈ સંજય લીલા ભણશાળીના પૈસામાંથી લેવામાં નથી આવી, એ તો આપણે જ ચુકવેલા ટેક્સિસમાંથી આપણી જ સગવડ માટે રસ્તા પર મૂકાયેલી ચીજ છે...
સૌથી મહત્ત્વની વાત, ફિલ્મ રિલીઝ નથી થવા દેવી, ન થવા દો! એ અધિકાર છે તમારો...
પરંતુ ગાંધીજીએ જેમ દારુના પીઠાની બહાર પીકેટિંગની વ્યવસ્થા ગોઠવી હતી એમ દિવસ આખો બગાડવાની તૈયારી છે કોઈની? ઊભા રહો એ દરેક મોલ, થિયેટરની બહાર... ટિકિટ લેવા આવનાર દરેકને સમજાવીને પાછા કાઢો. એ આપણી પરંપરા છે, ઇતિહાસ છે, વારસો છે. એને ભૂલી ગયા છીએ. આઠસો વર્ષ પહેલાં જન્મેલી કોઈ સ્ત્રીની ઇજ્જત, મર્યાદા માટે મોલમાં કેટલી સ્ત્રીઓને ડરાવી?
રોજ જેમના અપમાન થાય છે એવી અનેક સ્ત્રીઓ, દીકરીઓની ઇજ્જત, આબરુ કે મર્યાદા બચાવવા કેમ કોઈ 'સેના' આગળ નથી આવતી?
શું આપણે બધા ભાંગફોડિયા બની ગયા છીએ? આપણને માત્ર ડિસ્ટ્રક્શન અને વિનાશ જ સૂઝે છે?
એક માસ્ટરપીસ ફિલ્મ રિલીઝ થાય તો સારું, ન થાય તો નુકસાન માત્ર એના નિર્માતાને છે...
આપણે આપણું પોતાનું નુકસાન કરી રહ્યા છીએ એવી પણ સમજ નથી બચી?
જાગો!
તોડફોડનો, ભાંગફોડનો, બિનજરુરી જ્ઞાતિવાદ કે જાતિવાદનો વિરોધ કરો.
જો આજે નહીં અટકાવીએ તો આવતીકાલે મોલને બદલે માણસને પણ આમ જ સળગાવશે, આ તોફાની તત્ત્વો,  નહીં બચીએ...
(Kaajol Oza Vaidya)"
હવે સવાલ એ થાય છે કે આખી વાત ગુજરાતી માં લખાયેલી છે અને અંતમાં નામ અંગ્રેજીમાં લખેલું છે , બીજું કોઈક મેસજમાં નામ લખાણની ઉપર છે તો કોઈક મસેજમાં નીચે.
એટલે આ લખાણ કાજલ બેનનું હોય એ પણ શંકા છે, અને જો હોય તો કમસેકમ મને એમના પ્રત્યે જે માન હતું તે ચોક્કસ ઓછું થઈ જશે , કારણ કે કોઈ એમ કેમ લખી શકે કે  "  ૮૦૦ વર્ષ પેહલાની સ્ત્રી માટે આટલો હંગામો કર્યો જો હયાત સ્ત્રીઓ માટે આનાથી અડધી પણ ચીંતા કરી હોત તો બલાત્કાર તો શું છેડતી પણ ન થતી હોત."
મને લાગે છે ત્યાં સુધી કાજલબેન આવું ન લખી શકે. રાણી પદ્માવતી ને કાજલબેન 800 વર્ષ પહેલાંની એક સ્ત્રી માટે એવો શબ્દપ્રયોગ કયારેય ના કરી શકે.

બીજું  કે બલાત્કાર અને છેડતી રોકવા ની જવાબદારી સરકાર ની છે. અને રહી વાત ૮૦૦ વર્ષ પેહલાંની તો તે કોઇ સામાન્ય સ્ત્રી નહોતાં, તે એક દેવી હતાં જેણે સતીત્વ બચાવવા ૧૬૦૦૦ સ્ત્રીઓ જે માત્ર રાજપુતાણીઓ ન્હોતી, ૧૮ વર્ણ ની સ્ત્રીઓ પરપુરુષ વિધર્મી પોતાની લાશ ને પણ ન જોઇ શકે માટે જોહર કર્યુ  હતું.
અને નાં હોઈ શકે કાજલ ઓઝા વૈદ્ય નાં આ શબ્દો કે ,
"આઠસો વર્ષ પહેલાં જન્મેલી કોઈ સ્ત્રીની ઇજ્જત, મર્યાદા માટે મોલમાં કેટલી સ્ત્રીઓને ડરાવી?
રોજ જેમના અપમાન થાય છે એવી અનેક સ્ત્રીઓ, દીકરીઓની ઇજ્જત, આબરુ કે મર્યાદા બચાવવા કેમ કોઈ 'સેના' આગળ નથી આવતી?"
હવે જો કાજલબેને આ લખ્યું હોય તો એમની સાથે રૂબરૂ ચર્ચા કરવા તૈયાર છીએ , ઈતિહાસમાં રાજપૂતો નું બલિદાન શું છે એ કહેવાની કે બતાવવવાની મને લાગે છે કે કાજલ ઓઝાને જરૂર નથી , તેઓ વિચારક છે , વક્તા છે , ખૂબ વાંચન કર્યું છે એમણે , એટલે વાચક મિત્રોને ને વિનંતી કે આપ પણ વગર વિચાર્યે કંઈ પણ લખાણ, કે મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં વિચારો અને જુઓ કે સત્ય શુ છે.

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,




*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : 

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv