Skip to main content

ભાજપ સરકારને કેન્દ્રમાં થયા ચાર વર્ષ પૂર્ણ : કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસઘાત દિન મનાવ્યો..

મોદી સરકાર રચાયાને આજે ચાર વર્ષ થયા છે. ભાજપ દેશભરમાં મોદી સરકારની સિધ્ધિઓ વર્ણવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ વિશ્વાસઘાત દિવસ મનાવી રહી છે. મોદી સરકારે પણ ચાર વર્ષની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવા ખાસ આયોજન કર્યું છે. આજથી ૩૦ મે સુધીમાં ૧૦ કદાવર પ્રધાનો ૪૦ મહાનગરોમાં પત્રકાર પરિષદ સંબોધીને ઉપલબ્ધિઓ ગણાવશે. આ શહેરોમાં તમામ રાજ્યોની રાજધાનીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ કોંગ્રેસ આજે વિશ્વાસઘાત દિન મનાવી રહી છે.

કોંગ્રેસ દરેક રાજ્યોના જિલ્લા મથકોએ ધરણા - પ્રદર્શનો કરે છે અને પત્રકાર પરિષદોના પણ આયોજનો કરાયા છે. દરમિયાન ભાજપે પણ વિવિધ કાર્યક્રમોના આયોજનો કર્યા છે. વરિષ્ઠ પ્રધાનો રાજનાથસિંહ, નિતીન ગડકરી, પિયૂષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર, નિર્મલા સીતારમન, રવિશંકર પ્રસાદ, સુષ્મા સ્વરાજ વગેરે પત્રકાર પરિષદો સંબોધી રહ્યા છે. ચાર વર્ષ પૂર્ણ થતા આજથી જ લોકસભાની ચૂંટણીના નગારે ઘા થયા છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ ગામેગામ વિરોધ દિન મનાવી રહી છે. મોદીજી ઓરિસ્સામાં કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષ પુરા થયા છે. આ અવસર પર ભાજપ અને મોદી કેબિનેટના પ્રધાનો સરકારની સિદ્ઘિઓને જનતાની વચ્ચે રાખશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડીશાની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કટકમાં જનતા સમક્ષ સરકારનું રીપોર્ટ કાર્ડ રજૂ કરશે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઇને તહત શહરેના બાલીયાત્રા મેદાનમાં તૈયારીઓ પુરી કરી લેવામાં આવે છે. આ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરશે. જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિલ્હી ખાતે ભાજપાના કાર્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં તેઓ મોદી સરકારની ઉપલબ્ધિઓને રાખશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત કેન્દ્રના અલગ-અલગ પ્રધાનો પોતાના વિભાગ તેમજ મંત્રાલયોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાફ નીયત-સહી વિકાસ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાન હેઠળ ભાજપ મોદી સરકારના ચાર વર્ષનો રિપોર્ટ કાર્ડ લોકો સુધી પહોંચાડશે. આ અભિયાનને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારી હેઠળ જોવામાં આવી રહ્યું છે.

ભાજપ નેતાઓનો દાવો છે કે પીએમ મોદીની ઓડીશા જનસભામાં ત્રણ લાખ જેટલા લોકો આવશે. મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર કટકની જનસભાનું પણ એક અલગ મહત્વ છે. ભાજપ ૨૦૧૯માં ઓડિશામાંથી સૌથી વધારે લોકસભા બેઠકો જીતવાની આશા રાખે છે. ઓડિશામાં લોકસભાની ૨૧ બેઠકો છે. જેમાંથી ૨૦ બેઠક બીજુ જનતા દળ (બીજેડી) પાસે છે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv