Skip to main content

ભુજ જી.કે. માં ૧૧૧ બાળકોના મોત મામલો, તપાસ સમિતિ આવી : કોંગ્રેસે મચાવ્યો હોબાળો : ભાજપ હજુ પણ ચુપ..

અદાણી ઉદ્યોગગૃહ દ્વારા સંચાલિત ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ૧૫૦ દિવસમાં ૧૧૧ બાળકોના મોત થયા છે તે બાબત સામે આવતા લોકોનો આક્રોસ જોવા મળ્યો છે. શ્રેષ્ઠ સારવાર મળશે તેવી આશાએ સરકારે મોટા ઉદ્યોગગૃહ જેને પૈસાની કોઈ કમી નથી તેવા અદાણી ગૃહને આ હોસ્પિટલ દ્વારા ગરીબોની સેવા કરવાનો મોકો આપ્યો છે પણ જ્યારથી સરકારે આ હોસ્પિટલ અદાણી જૂથ ને સોંપી છે ત્યારથી કોઈ ને કોઈ વિવાદમાં રહી છે. ૧૧૧ ના મોતની વાત હળવી કરવા અદાણી હોસ્પિટલના ડાયરેક્ટર રાવે જુદા જુદા વર્ષ ના બાળ મૃત્યુનાં આંકડા સાથે તુલના કરી ૧૧૧ મૃત્યુ ચાલુ વર્ષે ઓછા છે તે સિધ્ધ કરવા પ્રયત્ન કર્યા. જેટલા વર્ષથી આ હોસ્પિટલ ચાલે છે તેનું ઈમ્પૃવ્મેન્ટ શું આટલું ઓછું છે? તે પણ પ્રશ્ન છે.

શા માટે ૧૫૦ દિવસમાં ૧૧૧ બાળકો જાન ગુમાવે? શું અદાણી જૂથ એકપણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે કેમ અદ્યતન સગવડો ઉભી ન કરે. હજુ તો પાંચ મહિના ૨૦૧૮ ના થયા છે, ૭ મહિના બાકી છે. કેટલા મૃત્યુનો આંક થશે તેની કોઈ ને કલ્પના નથી. અદાણી જૂથને તૈયાર હોસ્પિટલ, સાધનો-ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર આપે છે, હોસ્પિટલમાં અપાતી તમામ દવાઓ સરકાર આપે છે, હોસ્પિટલ માં ડાયાલીસીસ સેન્ટર ઉભું કરવાની રકમ સરકાર આપે છે, મા અમૃત કાર્ડ હેઠળ દર્દીઓને સરકાર મદદ કરી છ, ખનીજ રોયલ્ટી માંથી કચ્છ જીલ્લામાં વિકાસના કામમાં વાપરવાની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા સરકાર અદાણી હોસ્પિટલ ને ફાળવે છે. કેટલાય વિભાગો માટે સરકાર અદાણી હોસ્પિટલ ને આર્થિક સહાય આપતી જ રહી છે છતાં આ હોસ્પિટલ કચ્છ ના દર્દીની સેવા કરવામાં શ્રેષ્ઠ સાબિત થઈ નથી અને દરેક વખતે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

૨૦ દિવસમાં ૨૬ બાળકોના મૃત્યુ સંબંધે આજે એટલે કે તા. ૨૬-૫-૧૮ ના રોજ સરકારે ત્રણ ડોકટરોને તપાસ અર્થે મોકલેલ છે. ડો. હિમાંશુ જોશી-ગાંધીનગર, ડો. ભદ્રેશ વ્યાસ-જામનગર તથા ડો. કમલ ગોસ્વામી-રાજકોટ ને બાળકોના મૃત્યુની તપાસ માટે મોકલેલ છે. તેઓ અભ્યાસ કરી રીપોર્ટ આપશે. આજે મીડિયા તથા મેનેજમેન્ટ વચ્ચે સમિતિને મળવા દેવામાં ચકમક ઝરી હતી. ત્યારબાદ મીડિયા કર્મીઓને કમિટીને વિઝ્યુઅલ લેવા માટે અંદર પ્રવેશવા દીધા હતા. આ પહેલા કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે ૨૬ બાળકોની મોત ની તપાસ અર્થે અમારી ટીમ અહી આવી છે.

આ સમિતિને મળવા માટે જીલ્લા કોંગ્રેસને પણ મથામણ કરવી પડી હતી. તેમને પણ માંડ માંડ બંધ બારણે રજૂઆત કરવાની પરમીશન મળી હતી. મીડિયા કર્મીઓને અંદર રજૂઆત સમયે પ્રવેશ અપાયો નહોતો. કોંગ્રેસે રજૂઆત કર્યા બાદ આદમ ચાકીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે હાઈકોર્ટે આપેલા નિર્દેશ મુજબ આ હોસ્પીટલમાં કામ થતું નથી અને આ સમગ્ર બાબતે જો યોગ્ય તપાસ નહિ થાય તો અમે હાઈકોર્ટ માં જશું. તો અન્ય આગેવાન રવીન્દ્ર ત્રવાડીએ પણ બાળકોના મોત ને લઈ ને જી.કે. જનરલની આકરી ટીકાઓ કરી હતી. દુઃખની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસ થી ભાજપના કોઈ નેતાએ ક્યાય રજૂઆત કરી હોય તેવી વાત બહાર આવી નથી અને તપાસ સમિતિ પાસે રજૂઆત કરી હોય તેવું જણાવ્યું નથી. ભાજપ ૪ વર્ષનાં શાશન ણી સિધ્ધી ગણાવવામાં ૧૧૧ બાળકોના મોતની વાત શક્ય છે કે વિસરી ગઈ હોય..



- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv