Skip to main content

મુકેશ અંબાણી પર છે 78000 કરોડનું દેવું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 38 બિલિયન ડોલર એટલે કે 24.70 ટ્રિલિયન બરાબર છે. ઈકોનોમિક ટાઈમ્સના જણાવ્યા મુજબ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ પર 12 બિલિયન ડોલર એટલે કે લગભગ 7 ટ્રિલિયન જેટલું દેવું છે, એટલે કે તેઓ 78,000 કરોડના દેવામાં ડૂબેલા છે. છેલ્લા 15 વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પર આટલું બધું દેવું છે. 2018મા આ દેવું વધી રહ્યું છે. કંપનીના તમામ બિઝનેસ આ સમયે નફામાં છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં એક વર્ષ પહેલા એન્ટ્રી કરનાર રિલાયન્સ Jioએ ગયા વર્ષે ડિસેમ્બરમાં 500 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.


રિલાયન્સે 12 બિલિયન ડોલરનું દેવું જુદા-જુદા સમયે લીધું હતું. આ વ્યાજ ટેલિકોમ વેંચર, રિલાયન્સ Jio ઈન્ફોકોમ અને દુનિયાની સૌથી મોટી જામનગર રિફાઈનરી માટે લીધું હતું. કંપનીનું આ દેવું 2018માં વધી રહ્યું છે. મુકેશ અંબાણીનું પ્રભુત્વ ધરાવતી કંપની પર ભલે 7 ટ્રિલિયનનું દેવું હોય પણ તે હજી પણ દુનિયાના 19 ધનવાન ગણાતા વ્યક્તિઓમાંથી એક છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે આ વર્ષે મુકેશ અંબાણીનો વેપાર ગયા વર્ષ કરતા 2.30 બિલિયન ડોલર એટલે કે લગભગ દોઢ ટ્રિલિયન જેટલું ઓછું થયું છે. જો કે આ જ સમયગાળામાં તેમની સંપત્તિ 9.3 મિલિયન ડોલર એટલે કે 6 ટ્રિલિયન જેટલી વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે દુનિયાના 500 સૌથી અમીર વ્યક્તિઓમાંથી મુકેશ અંબાણી સિવાય 23 ભારતીયોના નામ શામેલ છે.
આ લિસ્ટમાં જ્યાં અંબાણી 19મા નંબર પર છે તો લક્ષ્મી મિત્તલ 54મા સ્થાન પર છે. તેમની કુલ સંપત્તિ 18.5 બિલિયન ડોલર એટલે કે 12.02 ટ્રિલિયન છે. પહેલા સ્થાન પર એમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેજોસ છે. જેમની કુલ સંપત્તિ 121 બિલિયન ડોલર એટલે કે 78.76 ટ્રિલિયન છે. બિલ ગેટ્સ બીજા નંબર પર છે. તેની કુલ પ્રોપર્ટી 58.79 ટ્રિલિયન છે. ત્રીજા સ્થાન પર અમેરિકાના વોરેન વફેટ છે, જેમની કુલ સંપત્તિ 85.5 બિલિયન ડોલર છે. આ ઈન્ડેક્સમાં ભારતીય ઉદ્યમી પલ્લોનજી મિસ્ત્રી 65મા નંબર પર છે. ત્યાં જ ભારતના અજીમ પ્રેમજી 71મા સ્થાન પર અને શિવ નદર 86મા સ્થાન પર છે.
જ્યાં એક તરફ મુકેશ અંબાણી પર આટલું બધું લેણું છે. ત્યાં જ બીજી બાજુ સરકારના આદેશથી તેમને ચેરમેન પદ છોડવું પડશે. શેર માર્કેટ રેગ્યુલેટર SEBI ના નિયમ પ્રમાણે એપ્રિલ 2020થી CMD એટલે કે ચેરમેન અને MD પોતાની પાસે ફક્ત એક જ પદ રાખી શકશે. બીજું પદ તેમણે મજબૂરીમાં છોડવું પડશે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv