Skip to main content

ગોવામાં એલર્ટઃ સમુદ્રના કિનારે આતંકીઓ હુમલો કરી શકે છે, ગુજરાતને પણ ખતરો

પણજી: એવી ગુપ્તચર માહિતી મળી છે કે ગોવામાં આતંકવાદીઓ સમુદ્રના રસ્તે થઈને પહોંચી શકે છે. જાણકારી મળી છે કે આતંકવાદીઓ માછલી પકડવાની બોટનો ઉપયોગ કરી શકે છે. ગોવામાં આતંકીઓ ઘૂસી શકે છે એવા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ સમુદ્ર કિનારે તમામ જહાજો અને કેસિનોને એલર્ટ જારી કરી દીધું છે.


ગોવાના બંદર વિભાગ પ્રધાન જયેશ સલગાવકરે જણાવ્યું હતું કે ભારતીય તટરક્ષક દળે પશ્ચિમી કિનારે આતંકવાદી હુમલાની દહેશત અંગે ઈન્ટેલિજન્સ ઈનપુટ શેર કર્યા છે. ત્યાર બાદ તેમના વિભાગે સમુદ્ર કિનારે આવેલા તમામ કેસિનો, વોટર સ્પોર્ટસ ઓપરેટરો અને નૌકાઓને એલર્ટ જારી કરી દીધું છે.
સલગાવકરે વધુમાં જણાવ્યું હતું કે આ એલર્ટ માત્ર ગોવા માટે જ નથી, પરંતુ ગુજરાત કે મુંબઈના સમુદ્ર કિનારા માટે પણ હોઈ શકે છે. અમે જહાજ અને સંબંધિત એજન્સીઓને એલર્ટ જારી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવેલ ફિશિંગ બોટ છોડી દેવામાં આવી છે અને એવા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા છે કે તેના દ્વારા આતંકવાદીઓ ગોવા પર હુમલો કરી શકે છે.
કેપ્ટન ઓફ પોર્ટસ જેમ્સ બ્રિગેન્જાએ ગોવાના પ્રવાસન વિભાગ અને તમામ વોટર સ્પોર્ટસ ઓપરેટર, કેસિનો અને ક્રૂઝ જહાજોને મોકલેલા સંદેશમાં જણાવ્યું છે કે જિલ્લા તટ રક્ષક દળ તરફથી એવી ગુપ્તચર માહિતી મળી છે કે રાષ્ટ્ર વિરોધી તત્ત્વો કરાચીમાં ઝડપાયેલી એક ભારતીય નૌકામાં સવાર થયા છે અને તેઓ ભારતીય સમુદ્ર કિનારા પર પહોંચી શકે છે અને મહત્ત્વનાં સ્થળોએ આતંકી હુમલો કરવાની આશંકા છે. આ સંદેશમાં વધુમાં જણાવાયું છે કે તમામ જહાજો સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવે અને કોઈ પણ શકમંદ અજાણી ગતિવિધિ નજરે પડે તો અધિકારીઓને જાણ કરે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv