ભુજમાં હમીરસર પર રાજાશાહી સમયે બાંધેલો કૃષ્ણાજી પુલ હાલ મરામત માંગી રહ્યો છે. પરંતુ આ તરફ જોવાની કોઈને ફુરસત નથી. છેલ્લા કેટલાક વર્ષથી તેની મરામત અથવા નવો બનાવવા માંગણી છતાં દાદ ન અપાતા હાલે તો પુલની સ્થિતી એટલી બગડી છે કે, ભારે વરસાદમાં જુના પુલની પાળી સહિતનો ભાગ ગમે ત્યારે પડી શકે છે. આ અંગે જાગૃતોના જણાવ્યા મુજબ ભુંકપ બાદ જીયુડીસી દ્વારા નવા રસ્તાઓ બન્યા ત્યારે હમીરસર પર બનેલા કૃષ્ણાજી પુલને પણ પહોળો કરીને ટુ-લેન કરાયો હતો.પરંતુ આ સમયે આખો પુલ નવો બનાવવાના બદલે જીયુડીસીએ માત્ર લાઈબ્રેરી તરફનો રસ્તો પહોળો કર્યો એ ભાગ જ નવો બનાવીને જુના સાથે જોડી દીધો હતો.
આમ હાલ આ કામગીરી થઈ એને પણ ૧૭ વર્ષના વ્હાણા વિતી ગયા છે. ત્યારે જુના પુલની હાલત પાયા અને પીલરથી ખખડધજ થઈ ગઈ છે.નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પુલ હાલે મરામત તો માંગે જ છે સાથે હવે તે કેટલો સમય ઉભો રહી શકે એમ છે ? તેની જાણકારી પણ સુધરાઈએ લઈ લેવી જોઈએ. જેથી ભવીષ્યને લઈને ચોકકસ આયોજન કરી શકાય.
Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment