Skip to main content

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષનો અવાજ રૂંધાયો : પરેશ ધાનાણી

અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે નારાજ કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી.


આજરોજ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યા બાદ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રજાને સરકારની તમામ કાર્યવાહી જાણવાનો અધિકાર છે. આવી જાણકારી સરકાર દ્વારા આપવામાં આવતી નથી પરંતુ વિરોધપક્ષ તરીકે અમે રચનાત્મક ભૂમિકા ભજવી, જ્યાં પ્રજાના હિતમાં જરૂર લાગે ત્યાં સરકારને સહકાર પણ આપી રહ્યા છીએ અને જ્યાં જરૂર લાગે ત્યાં પ્રજાના હિત માટે સરકારનો વિરોધ પણ રચનાત્મક રીતે કરી રહ્યા છીએ. વિરોધપક્ષ એ પ્રજાનો અવાજ હોય છે. વિરોધપક્ષના નેતાનું પદ એ ગુજરાતના પ૦% લોકોનો અવાજ છે. આ અવાજ દબાવવાનાં પ્રયત્નો ભાજપ સરકાર કરી રહી છે.

શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા રર વર્ષની પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે વિધાનસભામાં ચર્ચાઓથી દુર ભાગતી ભાજપ સરકારને છાવરવા માટે સંસદીય કાર્યવાહીમાં પક્ષપાતી વલણ સાથે આમ આદમીના અવાજને અવરોધિત કરવાનાં કલંકિત ઈતિહાસનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે સર્વાનુમતે ચૂંટાયેલા અધ્યક્ષશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે આજે કોંગ્રેસપક્ષ દ્વારા દુઃખી હૃદયે નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ખુરશીની ગરીમા ન ખરડાય તેની કોંગ્રેસપક્ષે હંમેશા ચિંતા કરી છે અને પદની ગરીમા જાળવી છે. વિરોધપક્ષના સભ્યોની અપેક્ષા હોય છે કે, વિધાનસભામાં ઉચ્ચ કોટીની ચર્ચા થાય, પ્રજાની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા થાય અને પ્રજાના પ્રશ્નોને યોગ્ય વાચા આપવા વિરોધપક્ષને તક મળે તે હેતુથી અને સરકારે કરેલી કાર્યવાહીની જાણ જનતાને થાય તે ગુજરાતની જનતાનો અધિકાર છે. પ્રજાનો આ અધિકાર ન છીનવાય તે માટે વિરોધપક્ષ પ્રશ્નો ઉઠાવતો રહ્યો છે.

વિપક્ષી નેતાશ્રીએ જણાવ્યું હતું કે, પ્રશ્નોતરીકાળમાં પેટ્રોલ-ડીઝલ ઉપર રાજ્યમાં જી.એસ.ટી. હોવા છતાં વેટ ઉધરાવવાનાં કારણે પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને છે. તે "એક દેશ, એક ટેક્ષ'નો અમલ કરી પેટ્રોલ-ડીઝલ પરનો વેટ હટાવી જી.એસ.ટી. લાગુ કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલનાં ભાવો ખૂબ નીચે આવી શકે અને પ્રજાને રાહત થાય, પરંતુ ભાજપ સરકાર આ વેટ હટાવવા સહમત નથી. આ મુદ્દે ચર્ચા કરવાને બદલે નાયબ મુખ્યમંત્રી સરકારની વાહવાહીમાં જ લાગી ગયા હતા. ચૂંટણી પ્રચારમાં ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા એક જ પ્રચાર થતો હતો કે, ધરમાં નળ ખોલશો એટલે તેલ નીકળશે, જેવા સપના દેખાડનારી ભાજપ સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થયો છે.

પ્રશ્નોતરી કાળ બાદ ઝીરો અવરમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા એક કલાક ચર્ચા કરવાની ચેલેન્જ વિરોધપક્ષે સ્વીકારીને ચર્ચા માંગી પરંતુ પ્રશ્નોતરીકાળ પૂરો થતાં માન. અધ્યક્ષશ્રી દ્વારા ચર્ચા આપવાને બદલે અન્ય કાર્યવાહી શરૂ કરાતાં અમે રચનાત્મક વિરોધ કરી ચર્ચા આપવાની માંગણી કરી હતી.

શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે સંસદીય પ્રણાલીને ઉચ્ચ ગણી છે અને લોકશાહીની પરંપરા જાળવી રાખી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીની ચુંટણી કરાવવાના બદલે વર્તમાન માન. અધ્યક્ષશ્રીને બિન હરીફ કરીને તેઓને તેમની ખુરશી સુધી દોરી જઈને માન-સમ્માન સાથે બેસાડયા હતા. અધ્યક્ષનું પદ સ્વીકાર્યા બાદ તે કોઈ પક્ષના રહેતા નથી. તેઓએ બિન વિવાદાસ્પદ રહી, બિન રાજકીય રીતે સહુને સમાન તક આપવાની ઉચ્ચ પ્રણાલિઓ પ્રસ્થાપિત કરવાની હોય છે, પરંતુ આવું થવાના બદલે અધ્યક્ષ પક્ષના કાર્યક્રમમાં સામેલ થાય અને પોતાના ગળે ભાજપનો ખેસ નાખીને અધ્યક્ષપદને લાંછન લગાવ્યું છે. આવી ધટના ભૂતકાળમાં કયારેય બની નથી. ગુજરાતની વિધાનસભામાં લોકશાહીનું ખૂન થયું છે, આથી શ્રધ્ધાંજલિ આપવા અધ્યક્ષની ચેમ્બર બહાર કોંગ્રેસ પક્ષના સભ્યોએ બેસીને રામધુન બોલાવી વિરોધ કર્યો અને ૧૦ મિનિટ માટે મૌન પણ પાળ્યું.


શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે લોકશાહી ઢબે વિરોધ કર્યો, લોકોની વેદનાને વાચા આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રીના પડકારને સ્વીકારીને ચર્ચા માટે તૈયારી દર્શાવી હતી, છતાં સરકારની નિષ્ફળતા ઉજાગર ન થાય એ માટે ચર્ચા ન કરાવવાનો માન. અધ્યક્ષે એકતરફી નિર્ણય કર્યો હતો. ગૃહમાં સન્માનનીય મહિલા ધારાસભ્ય સંસદીય પ્રણાલિ મુજબ વિરોધ કરી રહ્યા હતા. મહિલા ધારાસભ્યશ્રીની સક્રિયતા ન ગમવાને કારણે તેઓને અપમાનિત કરી બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કલંકિત દિવસ બની રહેશે. કોંગ્રેસના ધારાસભ્યો પ્રજાના પ્રશ્ને ચર્ચાની માંગણી કરી રહ્યા હતા અને લોકશાહીની પ્રણાલિ મુજબ વિરોધ કરવા વેલમાં ધસી આવતાં ગૃહ મોકુફ રાખવાની પ્રણાલિને નજરઅંદાજ કરી વિરોધપક્ષના સભ્યાને એક દિવસ માટે સસ્પેન્ડ કરવા તે સ્પષ્ટ પક્ષપાતથી વિશેષ કાંઈ નથી તેવું અંતમાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.


94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv