Skip to main content

MRPથી વધુ કિંમતો કટકટાવનારાઓ હવે ચેતેઃ હવે ૫ લાખનો દંડ અને ૨ વર્ષની જેલ થઈ શકે..

એમઆરપી - 'મેકિસમમ રીટેઈલ પ્રાઈસ'થી વધુ કિંમત વસુલવાની વધતી જતી ફરીયાદોના પગલે કેન્દ્ર સરકાર આ અંગેના કાયદાઓ ભારે કડક બનાવી રહી છે અને આ કાયદો અમલમાં આવવાની સાથે 'MRP'થી વધુ કિંમતો લેનારને ૨ વર્ષની જેલ સજા અને ૫ લાખ રૂ. દંડ સુધીની આકરી જોગવાઈઓ લાગુ થઈ જશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈપણ ચીજવસ્તુની પ્રિન્ટ કરાયેલ એમ.આર.પી.થી વધુ રકમો વસુલવાના ગુન્હામાં હાલમાં પ્રવર્તમાન દંડ-સજાની જોગવાઈ ઘણી ઓછી છે. ગયા મહિને જ સંબંધિત મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવેલ. આ બેઠકમાં દંડ અને સજા વધારવા માટે સહમતી સધાઈ હતી. જેના આધારે કન્ઝયુમર્સ ખાતુ એમઆરપીથી વધુ કિંમતો વસુલનારાઓ સામે આકરી જોગવાઈઓ - સજા આવી રહેલ છે. આ માટે 'લીગલ મેટ્રોલોજી એકટ'ની કલમ ૩૬માં સુધારા કરાશે. હાલમાં એમઆરપીથી વધુ કિંમતો લેવાની પ્રથમ ભૂલ માટે ૨૫ હજાર દંડ વસુલાય છે જે વધારાનો એક લાખ, બીજી વખત માટે હાલમાં ૫૦ હજાર દંડની જોગવાઈ છે. તે વધારીને ૨.૫ લાખ અને ત્રીજી વખતના ગુન્હા માટે હાલમાં જે ૧ લાખ દંડ ફટકારાય છે તે વધારીને ૫ લાખ રૂ. તથા ૨ વર્ષની સજાની જોગવાઈ ટૂંક સમયમાં આવી રહી છે. હાલમાં ૧ વર્ષ સુધીની મહત્તમ સજાની જોગવાઈ છે જે નવા ઠરાવમાં ૧, ૧.૫ અને ૨ વર્ષની જેલ સજાની સંભાવના છે. એમઆરપીથી વધુ કિંમતો લેવાની સૌથી વધુ ફરીયાદો મહારાષ્ટ્રથી મળી છે, જ્યારે ઉ.પ્ર.થી ૧૦૬, ઓડિસાથી ૧૨૩, પંજાબમાં ૧૨૧, કેરળ ૩૮, હરિયાણા ૩૩, ગુજરાત ૧૯, તામીલનાડુ ૮, પં.બગાળ ૬ અને બિહારથી ૧ મળી છે. કેન્દ્ર સરકારના કહેવા મુજબ આવા લાખો બનાવો હોય શકે છે પરંતુ જાગૃતતાના અભાવે બહુ ઓછા લોકો ફરીયાદ કરી શકે છે.
એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોય તો કયાં ફરિયાદ કરશો ? ૧૮૦૦ - ૧૧ - ૪૦૦૦ કન્ઝયુમર ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ દાખલ કરી શકો છો. કન્ઝયુમર ખાતાની વેબસાઈટ consumerhelpline.gov.in ઉપર પણ ઓનલાઇન ફરીયાદ રજૂ કરી શકાય છે.

- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

  1. Good work aani pachad dhayan devu bahu jaruri che

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv