ભુજ તાલુકામાં સમાવિષ્ટ ગામ " મીરઝાપર "ની ગણના તો સમૃદ્ધ ગામ તરીકે થાય છે. આ ગામની ગણના કચ્છના સમૃદ્ધ ગામોમાં થાય છે.સાથેસાથે ગુજરાતના સમૃદ્ધ ગામ માં પણ તેની ગણના થાય છે. મીરઝાપર ગામની વસ્તી અંદાજીત 12,000 છે. આ ગામ મુખ્યત્વે પટેલ ચોવીસી ના ગામ તરીકે ઓળખાય છે. ગામ માં મોટાભાગે પટેલ પરિવારો વસે છે. મીરઝાપર ગામના મોટાભાગના પરિવારો ધંધાર્થે વિદેશમાં સ્થાયી થયેલા છે. સમૃદ્ધ ગામ તરીકે ગામમાં તમામ પાયાની સુવિધાઓ જોવા મળે છે. આ ગામને "સ્વચ્છતા અભિયાન" હેઠળ એવોર્ડ પણ મળી ચુક્યો છે.
પરંતુ, આ ગામ આટલું સમૃદ્ધ હોવા છતાં અહીંયા પાણીની સમસ્યા ખૂબ તીવ્ર છે અને એક જટિલ પ્રશ્ન છે. મીરઝાપર ગામની પાણીની સમસ્યા અંગે જાણવા, મા આશાપુરા ન્યૂઝ ની ટીમે ગામની મુલાકાત લીધી અને આ ગામની પાણીની સમસ્યા જાણી. તો આવો જાણીએ શુ છે આ સમૃદ્ધ ગામની સમસ્યા ????
(૧) મીરઝાપર ગામમાં દર સાત થી આઠ દિવસે લોકોને પાણી મળે છે અને આ પાણી પીવાલાયક નથી કારણ કે, ગામ માં આવતું પાણી દૂષિત અને કાયા વાળું છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
(૨) આ ગામમાં બોર અને નર્મદા કેનાલ વડે પાણી પહોચાડવામાં આવે છે. પરંતુ, નર્મદા કેનાલ નું પાણી જ કાયા વાળું આવે છે.
(3) સામાન્યતઃ 500 થી 600 ટીડીએસ ધરાવતું પાણી લોકો પી શકે છે. જ્યારે આ ગામમાં 1800 થી 1900 ટીડીએસની માત્રા ધરાવતું પાણી આવે છે.
(4) પાણી અનિયમિત અને દૂષિત હોવાના કારણે ગ્રામજનોને આર્થિક ફટકો પડે છે. કારણકે, રોજ પીવાના પાણી માટે સરેરાશ 1 થી 2 પાણીની બોટલ મંગાવવી પડે છે અને વપરાશ ના પાણી માટે અઠવાડિયામાં એક વખત પાણીનું ટેન્કર મંગાવવું પડે છે. જેથી ગ્રામજનોને આર્થિક ફટકો પડે છે.
(૫) ગ્રામજનોનો પીવાના પાણીનો મુખ્ય આધાર બજારમાંથી ખરીદેલા પીવાના પાણીના 20 લીટર ના બોટલ અને વપરાશ જન્ય પાણી માટે ટેન્કર છે.
આ પરિસ્થિતિ જોતા કહી શકાય કે મીરઝાપર ગામ ભલે સમૃદ્ધ છે પરંતુ અહીંયા પાણીની સમસ્યા ખૂબ વિકટ છે. જેથી ગ્રામજનોને બજારમાંથી પાણી ખરીદી ને તેનો ઉપયોગ કરવો પડે છે. જે એક વિકટ સમસ્યા ગણી શકાય તેમ છે. ત્યારે કચ્છનું વહીવટીતંત્ર જાગે અને આ ગામની પાણીની સમસ્યાઓ દૂર કરે અને પાણીની યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવે જેથી છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડી શકાય તે ઇચ્છનીય બન્યું છે.
અહેવાલ : કૌશિક છાયા
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment