Skip to main content

ક્રૂડની કિંમત વધીને 72 ડોલર ૫હોંચી, હજૂ 80 ડોલર થશે : પેટ્રોલ-ડિઝલ વધુ મોંઘા થશે તેવી શક્યતા..

અમેરિકા અને સાથી દેશો દ્વારા સીરિયા પર કરવામાં આવેલા મિસાઇલ હુમલા બાદથી વૈશ્વિક સ્તરે તણાવ પ્રવર્તી રહ્યો છે. જેની સીધી અસર ક્રૂડ માર્કેટ પર જોવા મળી. ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 72 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઇ છે. ઉપરાંત ગ્લોબલ ટેન્શનના કારણે ઇન્ડિયન બાસ્કેટની કિંમત વધીને 40 મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઇ છે.  ત્યારે હજુ સંભાવના દર્શાવાઇ છે કે ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.

સીરિયામાં ચાલી રહેલા તણાવથી પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી ચુકી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરજો ભાવ બાંધણાની પ્રક્રિયાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ સતત વધી રહ્યો છે. પરંતુ વૈશ્વિક સ્તરે ઘેરા બની રહેલા સંકટના કારણે આ કિંમત હજુ પણ ઉંચકાવવાની શક્યતા છે. સીરિયા પર હુમલા બાદ અમેરિકા અને રશિયાની વચ્ચેનો તણાવ એટલો વધી ગયો છે કે જાણકારોને ત્રીજા વિશ્વ યુદ્ધની આહટ સંભળાવવા લાગી. સીરિયામાં ચાલી રહેલા તણાવની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર જોવા મળી રહી છે. 2014 બાદ ક્રૂડ ઓઇલની કિંમત સૌથી ઉંચાઇ પર છે.

રિસર્ચ ફર્મ જેપી મોર્ગનનું કહેવું છે કે અમેરિકા દ્વારા સીરિયા પર કરાયેલા હુમલા બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધી ગયો છે. તેનાથી ઇરાન ઉપર પણ નવા અમેરિકન પ્રતિબંધોની આશંકા વધી ગઇ છે. જેપી મોર્ગન મુજબ સીરિયા ક્રૂડ ઓઇલ ઉત્પાદનના મોટા ક્ષેત્રની વચ્ચે આવેલો દેશ છે. જો અહીંયા તણાવ વધશે તો ક્રૂડની કિંમતો પણ ખરાબ અસર પડશે. આગામી સમયમાં ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે.

હાલમાં ક્રૂડની કિંમત 72 ડોલર પ્રતિ બેરલ છે. જો ક્રૂડની કિંમત 80 ડોલર સુધી પહોંચી જશે તો ભારતમાં તેની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડવાનું નક્કી છે.

ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને તે આયાતની ક્રૂડની કિંમત અમેરિકન ડોલરમાં ચુકવે છે. જો ક્રૂડની કિંમત વધશે તો ભારતે વધુ ડોલર ચુકવવા પડશે. જેની અસર ડોલર સામે રૂપિયાની કિંમત પર પડશે. ડોલરની વધુ ડિમાન્ડ રહેશે તો ડોલરનો ભાવ વધુ મજબૂત બનશે અને તેની સામે રૂપિયો નબળો પડશે. તેવામાં ભારત ઉપર ક્રૂડની કિંમતમાં થનારા વધારાનો બેવડો માર પડી શકે છે. આ ઉપરાંત રૂપિયા નબળો પડવાથી અને ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી આયાત માટે સરકારે વધુ નાણા ખર્ચ કરવા પડશે. જેની અસર સરકારની નાણાકીય ખાદ્ય પર પણ પડશે.

અમેરિકા અને સાથી દેશો દ્વારા સીરિયામાં કરવામાં આવેલા હુમલા બાદથી ક્રૂડ માર્કેટમાં વધુ હલચલ જોવા મળી રહી છે. તેવામાં જો આ સંકટ વધુ ઘેરૂ બનશે તો આગામી દિવસોમાં ક્રૂડની કિંમતનો કકળાટ વધી જાય તેવી શક્યતા છે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv