ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના મુંદરાના જૂના બંદરને વહાણવટી ઉદ્યોગ દ્વારા આયાત નિકાસના ક્ષેત્રે વધુ ઉંચાઈએ લઈ જવા પાયાની જરૃરીયાતો વધારવા સ્થાનિક પોર્ટ યુસર્ઝ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે. આ બંદરે વહાણોની નિયમિત અવરજવર ચાલુ રહી શકે તે માટે જુના બંદરથી જેટી, વાર્ફ વોલના વિસ્તાર તેમજ જેટીથી ચેનલના પુર્વ તરફનાં છેવાડા સુધી અંદાજીત દોઢ કી.મી.ના ચેનલ વિસ્તારોમાં લોસાઈડમાં નિયમિત ૪ થી પ મીટરનો ડ્રાફટ સતત મળતો રહે તો જ લોડીંગ અનલોડીંગના સમયમાં બચત થાય તેમ છે.
આ માટે દરિયાકિનારે જેટી પાસે ઉંડુ ડ્રેજિંગ કરવા માંગ કરવામાં આવી છે. હાલનાં તબક્કે વહાણોની અવરજવરનાં સમયે ફક્ત હાઈ ટાઈડના ૩ થી ૪ કલાક જ મળતા હોવાથી આ બંદરે સમય અને નાણાનો વેડફાટ થાય છે. પરિણામે આયાત-નિકાસમાં આ બંદરને પુરતો ધંધો મળતો નથી. આ બંદરના વહાણોની આયાત નિકાસના માલસમાનની આવક સરકારને મળે છે. છેલ્લા ૩ વર્ષાૃથી મુંદરાના જુના બંદરેાથી વહાણો દ્વારા માલસમાનના આયાત નિકાસમાં ઈ.ડી.આઈ. સીસ્ટમ(ઈલેક્ટ્રોનિ ડેટા ઈનરચેન્જ)ની સુવિાધાને લીધે આ બંદર પ્રગતિ કરી શકે છે. પણ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ આ બંદર વિકાસ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. ગુજરાત મેરી ટાઈમ બોર્ડ હસ્તકના આ બંદર થકી આજે પણ ૧૫ થી ૨૦ હજાર જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment