કેન્દ્ર સિવાય 21 રાજ્યોમાં સત્તાની કમાન સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટીનો આજે 39મો સ્થાપના દિવસ છે. જેથી ભાજપના કાર્યકરો દેશભરમાં સ્થાપના દિવસની જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે.
સ્થાપના દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ભાજપના કાર્યકર્તાઓને શુભકામના પાઠવી છે. વડાપ્રધાન મોદી પાંચ સંસદિય વિસ્તારમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. તેઓ નમો એપ્લિકેશન દ્વારા કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરશે.
આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુંબઈમાં 3 લાખ કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
અમિત શાહની સભામાં 28 ટ્રેન અને 5 હજાર જેટલી બસોમાં સવાર થઈને ભાજપના કાર્યકર્તાઓ મુંબઈ પહોંચી રહ્યા છે. અમિત શાહ જનસભા બાદ એક પ્રેસ કોન્ફસનસ સંબોધશે.
Comments
Post a Comment