Skip to main content

પીએનબી કરતાં પણ મોટું કૌભાંડ આવ્યું સામે, આ કંપનીએ કર્યું 30,000 કરોડનું કૌભાંડ

દિલ્હી અને એનસીઆરમાં નીરવ મોદીનાં પીએનબી કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવ્યું હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે. રિયલ એસ્ટેટ કંપની SRS ગ્રૂપ પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના આરોપો લગાવાયા છે. રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સૌથી મોટો ગોટાળો હોવાનું મનાય છે.
રોકાણકારોનો આરોપ છે કે ગ્રૂપ દ્વારા બેન્ક લોન સહિત રૂ. 30,000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કંપની સામે 22 જેટલા કેસ કરાયા છે. હરિયાણા પોલીસે SRS ગ્રૂપના ચેરમેન અનિલ જિંદાલ સહિત પાંચ અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં બિશન બંસલ, નાનકચંદ તાયલ, વિનોદ મામા અને દેવેન્દ્ર અધાનાનો સમાવેશ થાય છે. ગ્રૂપ દ્વારા બેન્કો પાસેથી કરોડોની લોન લીધા પછી તેને પરત ન ચૂકવાઈ હોવાનો આરોપ છે.


લોકોને ફ્લેટનું વચન આપીને કરોડો ખંખેરી લીધા
ગ્રૂપના ચેરમેન અને અન્ય અધિકારીઓ સામે ફરીદબાદમાં ફરિયાદ કરાયાના એક મહિના પછી પોલીસે પાંચ આરોપીઓને પકડયા હતા. આરોપીઓએ લોકોને ફ્લેટ આપવાનું વચન આપીને તેમની પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. ગુપ્ત બાતમીને આધારે પોલીસે મહિપાલપુરમાં એક હોટેલમાંથી 4 એપ્રિલે મોડી રાત્રે પાંચેયને પકડયા હતા. પોલીસે ફ્લેટ લેવાનાં બહાને જેમણે પૈસા આપ્યા છે તેમને પુરાવા રજૂ કરવા અપીલ કરી છે. ફરીદાબાદના સેક્ટર 21ના પોલીસમથકમાં તેમની સામે છેતરપિંડીની કલમ 420 સહિત અન્ય કલમો લગાડાઈ છે. આરોપીઓ સામે 22 કેસ ઉપરાંત બીજા 100 કેસ કરાયા હોવાની તપાસ કરાઈ રહી છે તેમ ડીસીપી વિક્રમ કપૂરે જણાવ્યું હતું. કોર્ટમાં રજૂ કરાયા પછી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં નીમકા જેલ મોકલવામાં આવ્યા હતા. શુક્રવારે તેમને સેશન્સ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે.

કંપનીનો અન્ય રાજ્યોમાં પણ કારોબાર
કંપની રિયલ એસ્ટેટ ઉપરાંત જવેલરી, સિનેમા, રિટેલ સેક્ટર અને હોટેલ ઉદ્યોગમાં સક્રિય છે. અનિલ જિંદાલ ગ્રૂપના સ્થાપક અધ્યક્ષ છે. કંપનીનું કુલ ટર્નઓવર રૂ. 5,389 કરોડ છે. કંપની દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ અને રાજસ્થાનમાં તેનો કારોબાર ધરાવે છે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv