Skip to main content

દેશની બેન્કોમાં ક્રિપ્ટો કરન્સીની લેણ-દેણ પર RBIનો પ્રતિબંધ

ભારતમા હવે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીની ટ્રેડીંગ નહીં થઇ શકે, રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રતિબંધ મૂકી દીધો છે. બેન્ક સહિતની તમામ નાણાકીય સંસ્થાઓ વર્ચ્યુઅલ કરન્સીઝ માટેનું ટ્રેડીંગ માધ્મય બનશે નહીં. આરબીઆઇનો આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગુ કરવામાં આવ્યો છે.આરબીઆઇએ નાણાકીય વર્ષ 2018-19ની પહેલી મોનિટરી પોલિસીમાં કહ્યું છે કે બેન્ક, વોલેટ અને અન્ય સંસ્થાઓ દ્વારા રેગ્યુલેટેડ કોઇપણ એન્ટીટી બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી ખરીદવા અને વેચવા કોઇપણ વ્યક્તિ કે બિઝનેસ એન્ટીટી સાથે ડીલ નહીં કરી શકે. આ સાથે એવી સર્વિસ પણ ઉપલબ્ધ કરાવી શકશે નહીં.

આ આદેશ સાથે આરબીઆઇ દ્વારા રેગ્યુલરેટ ઇ-વોલેટ અને અન્ય એન્ટીટીઝ પર ક્રિપ્ટોકરન્સીના વેચાણ અથવા તો ખરીદી પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. કોઇપણ વ્યક્તિ તેના એકાઉન્ટથી ક્રિપ્ટો ટ્રેડીંગ વાલેટ્સમાં પૈસા પણ ટ્રાન્સફર કરી શકશે નહીં.
આરબીઆઇએ પોલિસી પછી મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વર્ચ્યુઅલ કરન્સીમાં મોટા ચઢાવ-ઉતાર જોવામાં આવી રહ્યો છે. એવામાં રોકાણકારોને નુકશાન થઇ શકે છે. આ કારણથી આરબીઆઇ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ પર વર્ચ્યુઅલ કરન્સીના કોઇપણ લેણ-દેણ, બિઝનેસ પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ક્રિપ્ટોકરન્સી ઇન્ટરનેટ પર ચાલતી વર્ચ્યુઅલ કરન્સી છે. ઇન્ટરનેટ પર આ કરન્સીની શરૂઆત 2009માં બિટકોઇન નામથી શરૂ થઇ હતી. આ કરન્સીનો ઉપયોગ કરીને દુનિયાનો કોઇપણ વ્યક્તિ કોઇપણ ખૂણામાં પેમેન્ટ કરી શકે છે. એની ખાસ બાબત એવી છે કે આ ચૂકવણી માટે કોઇને કોઇ બેન્કને માધ્યમ બનાવવાની પણ જરૂર પડતી નથી.
બિટકોઇનનો ઉપયોગ પીયર ટૂ પીયર ટેકનોલોજી પર આધારિત છે. તેનો મતલબ એ કે બિટકોઇનની મદદથી ટ્રાન્ઝેક્શન બે કોમ્પ્યુટર વચ્ચે કરી શકાય છે. આ ટ્રાન્ઝેક્શન માટે કોઇ ગાર્જિયન અથવા સેન્ટ્રલ બેન્કની જરૂરિયાત રહેતી નથી. બિટકોઇન ઓપન સોર્સ કરન્સી છે જ્યાં કેઇ પણ ડિઝાઇન થી લઇને કન્ટ્રોલને હાથમાં રાખી શકાય છે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv