ભારતમા હવે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીની ટ્રેડીંગ નહીં થઇ શકે, રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રતિબંધ મૂકી દીધો છે. બેન્ક સહિતની તમામ નાણાકીય સંસ્થાઓ વર્ચ્યુઅલ કરન્સીઝ માટેનું ટ્રેડીંગ માધ્મય બનશે નહીં. આરબીઆઇનો આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગુ કરવામાં આવ્યો છે.આરબીઆઇએ નાણાકીય વર્ષ 2018-19ની પહેલી મોનિટરી પોલિસીમાં કહ્યું છે કે બેન્ક, વોલેટ અને અન્ય સંસ્થાઓ દ્વારા રેગ્યુલેટેડ કોઇપણ એન્ટીટી બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી ખરીદવા અને વેચવા કોઇપણ વ્યક્તિ કે બિઝનેસ એન્ટીટી સાથે ડીલ નહીં કરી શકે. આ સાથે એવી સર્વિસ પણ ઉપલબ્ધ કરાવી શકશે નહીં.
આ આદેશ સાથે આરબીઆઇ દ્વારા રેગ્યુલરેટ ઇ-વોલેટ અને અન્ય એન્ટીટીઝ પર ક્રિપ્ટોકરન્સીના વેચાણ અથવા તો ખરીદી પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. કોઇપણ વ્યક્તિ તેના એકાઉન્ટથી ક્રિપ્ટો ટ્રેડીંગ વાલેટ્સમાં પૈસા પણ ટ્રાન્સફર કરી શકશે નહીં.
આરબીઆઇએ પોલિસી પછી મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વર્ચ્યુઅલ કરન્સીમાં મોટા ચઢાવ-ઉતાર જોવામાં આવી રહ્યો છે. એવામાં રોકાણકારોને નુકશાન થઇ શકે છે. આ કારણથી આરબીઆઇ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ પર વર્ચ્યુઅલ કરન્સીના કોઇપણ લેણ-દેણ, બિઝનેસ પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ક્રિપ્ટોકરન્સી ઇન્ટરનેટ પર ચાલતી વર્ચ્યુઅલ કરન્સી છે. ઇન્ટરનેટ પર આ કરન્સીની શરૂઆત 2009માં બિટકોઇન નામથી શરૂ થઇ હતી. આ કરન્સીનો ઉપયોગ કરીને દુનિયાનો કોઇપણ વ્યક્તિ કોઇપણ ખૂણામાં પેમેન્ટ કરી શકે છે. એની ખાસ બાબત એવી છે કે આ ચૂકવણી માટે કોઇને કોઇ બેન્કને માધ્યમ બનાવવાની પણ જરૂર પડતી નથી.
બિટકોઇનનો ઉપયોગ પીયર ટૂ પીયર ટેકનોલોજી પર આધારિત છે. તેનો મતલબ એ કે બિટકોઇનની મદદથી ટ્રાન્ઝેક્શન બે કોમ્પ્યુટર વચ્ચે કરી શકાય છે. આ ટ્રાન્ઝેક્શન માટે કોઇ ગાર્જિયન અથવા સેન્ટ્રલ બેન્કની જરૂરિયાત રહેતી નથી. બિટકોઇન ઓપન સોર્સ કરન્સી છે જ્યાં કેઇ પણ ડિઝાઇન થી લઇને કન્ટ્રોલને હાથમાં રાખી શકાય છે.
Comments
Post a Comment