યુપીમાં ભાજપની સરકાર બન્યા પછી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે છેલ્લા 10 મહિનામાં એક હજાર એન્કાઉન્ટર કર્યા છે. આ સમય ગાળા દરમ્યાન બે હજારથી વધારે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
યુપીમાં સંગઠિત ગુના પર કાયદાકીય ગાળીયો કસવા માટે યોગી સરકારે તાજેતરમાં યુપી કોકા બિલને વિધાનસભામાં મંજૂરી મળી છે. અગાઉ યોગી આદિત્યાનાથે જણાવ્યુ હતુ કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો યુપી છોડીને જતા રહે અથવા જેલમાં જવા તૈયાર રહે એક આંકડા પ્રમાણે યુપીમાં કુલ 895 પોલીસ અને ગુનેગારો વચ્ચે અથડામણ થઈ છે.
સૌથી વધારે 358 અથડામણ માત્ર મેરઠ જિલ્લામાં થઈ છે. આગરામાં 175 અથડામણ થઈ છે. તો બરેલીમાં 149 અથડામણ થઈ હતી. અથડામણ દરમ્યાન 2186 ગુનેગારોની ધરપકડ કરી છે. યુપી પોલીસે 10 મહિનામાં 26 ખુંખાર ગુનેગારોને ઠાર માર્યા છે. જેમા સૌથી વધારે 17 ગુનગારોને મેરઠમાં ઠાર મારવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગોરખપુર ઝોનમાં પોલીસે 24 અને લખનઉમાં 27 અને વારાણસી ઝોનમાં 39 એકાઉન્ટર કર્યા છે. પોલીસે 110 ગુનેગારો સામે રાસુકા લાગુ કર્યું છે. તો 123 ગુનેગારોની સંપત્તી જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યુ છે કે યુપીની છબી સુધારવા માટે યોગી સરકાર પોલીસ તંત્રને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ સામે તમામ પ્રકારની કાર્યવાહી કરવાની છુટ આપી ચૂકી છે.
Comments
Post a Comment