Skip to main content

ગુજરાતમાં પાણી નથી, CM રૂપાણી દેશના સૌથી વિશાળ વોટર પાર્કને ખુલ્લો મૂકશે

ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ થઈ રહી છે, વર્ષો પછી ગુજરાતમાં ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે, અમદાવાદ જેવો મોટા શહેરોમાં કોર્પોરેશન દ્વારા કાર સર્વિસ કરતા સર્વિસ સેન્ટરોને કાર વોશ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં પાણીના સંકટને પહોંચી વળવા માટે સરકાર અને પ્રજાનો સામુહિક પ્રયાસ થવો જોઈએ, પરંતુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારના રોજ વડોદરા ખાતે શરૂ થઈ રહેલા દેશના સૌથી વિશાળ એન્જોય સિટી વોટર પાર્કનું ઉદ્દ્ઘાટન કરવાના છે.



એન્જોય સિટી વોટરપાર્કનો દાવો છે કે દેશનો સૌથી વિશાળ વોટરપાર્ક છે, જેનો સરળ અર્થ પણ તેવો છે કે વિપુલ માત્રામાં પાણીની ખપત પણ થશે, વડોદરાના મહિસાગરના કિનારે થનાર વોટર પાર્ક માટે પાણીનો સ્ત્રોત મહિ નદી હશે અથવા બોર દ્વારા વોટરપાર્ક ભરવામાં આવશે, એક તરફ રાજયના હજારો ગામડાઓને પીવાનું પાણી નથી, ત્યારે વડોદરાના વિશાળ વોટરપાર્કમાં મોજમસ્તી માટે પાણીનો વેડફાટ થશે. આશ્ચર્ય તે બાબતનું છે કે પાણી બચાવોની ઝુંબેશ લગભગ તમામ અખબારો ચલાવી રહ્યા છે, પણ તે અખબારમાં વિશાળ રંગીન જાહેરખબર પણ અન્જોય સિટીની આવી રહી છે.
કમનસીબી એવી છે કે હાલમાં રાજય સરકારે તમામ વોટરપાર્ક બંધ કરી દેવાનો આદેશ આપવો જોઈએ તેના બદલે તા 8મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જ હસ્તે દેશના સૌથી વિશાળ વોટર પાર્કનું ઉદ્દઘાટન થઈ રહ્યુ છે. આ કાર્યક્રમ માટેના મોટા હોડીંગ સમગ્ર વડોદરા શહેરમાં લાગી ગયા છે. પરંતુ એક પણ ભાજપી નેતાને તેની શરમ આવતી નથી, અને કોઈ ભાજપી નેતામાં મુખ્યંત્રી વિજય રૂપાણીને હિમંત નથી કે વિટર પાર્કનું ઉદ્દઘાટનમાં તમને આવશો તો આપણુ ભુંડુ લાગશે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv