Skip to main content

Posts

ભચાઉ વોંધ પાસે અકસ્માત : 4 મોત ,1નો ચમત્કારીક બચાવ

 🖋 ભચાઉના વોંધ નજીક કન્ટેઈનર ટ્રેલર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં 4 લોકોના મોત. ( ભોગ બનનનાર પરિવારની કાર )   નિવૃત્ત ઈજનેર પુરુષોત્તમ ભાલારા નાં પરિવાર ને નડ્યો ગોઝારો અકસ્માત , પત્ની, પુત્ર અને પુત્ર વધુ સહિત 4 નાં મોત , પૌત્રીનો ચમત્કારીક બચાવ. ( અકસ્માતની ગંભીરતા દેખાડતી તસ્વીર )

મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવના પોસ્ટરને અસામાજિક તત્વો એ આગ ચાંપી દેતા સમાજમાં રોષ..

મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવના પોસ્ટરને અસામાજિક તત્વો એ આગ ચાંપી દેતા સમાજમાં રોષ.. સમાજના ભાઈઓએ ભુજપુર-મુન્દ્રા હાઈવે કર્યો બંધ કરી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો.. અસામાજિક તત્વોનો ત્રાસ આજકાલ સમગ્ર કચ્છમાં વર્તાઈ રહ્યો છે ત્યારે આજે ફરી એક કિસ્સો સપાટી પર આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવ તેમજ બાબા સાહેબ આંબેડકર ના બેનર ને પોસ્ટર કોઈ અસામાજિક તત્વોએ બાળી દેતા સમગ્ર સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. નરેશભાઈના જણાવ્યા અનુસાર ભુજપુર બસ સ્ટેન્ડ પાસે ધણી માતંગ દેવ તેમજ બાબા સાહેબ આંબેડકરનું બેનર લગાવવામાં આવેલુ હતું. જેને ગત રાત્રે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો એ બાળી નાખતા સમગ્ર સમાજના ભાઈઓ, સમગ્ર નાની મોટી ભુજપુર સમાજ તેમજ પંચાયત દ્વારા રેલી કાઢી ને વિરોધ દર્શાવામાં આવેલ છે. હાલ ભુજપુર-મુન્દ્રા હાઈવે જામ કરી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news...

ભુજ શહેરમાં અનૈતિક સંબંધ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે..

ભુજ શહેરમાં અનૈતિક સંબંધ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.. ઘોર કલયુગ : સગી માતાએ જ દીકરીને પોતાના આશિક સાથે ના અનૈતિક સંબધોની કલીપ ઉતારવા કરી મજબુર.. અવારનવાર પોલીસ ચોપડે અનૈતિક સંબધોના કિસ્સાઓ નોંધાતા જ હોય છે અને આવા કિસ્સામાં લગભગ બન્ને પરીવારો પીસાતા હોય છે એટલે કે ભોગ બનતા હોય છે. આવા કિસ્સામાં ક્યારેક પીડિતનો પરિવાર કોઈ ડર થી કે ક્યારેક કોઈ શરમ થી પોલીસ નો સાથ લેવામાં ખચકાટ અનુભવતા હોય છે. આજે અમારા ધ્યાને આવો જ એક કિસ્સો આવ્યો છે જેમાં રાવલવાડી ખાતે રહેતી એક પરિણીતાનો ભુજ ના જ ભાનુશાલી નગર ખાતે રહેતા એક શખ્સ સાથે લગભગ છેલ્લા ૩ વર્ષથી અનૈતિક સંબંધો હતા. પરિણીતાના સાસરા પક્ષને પણ આ બાબતની સંપૂર્ણ માહિતી થોડા સમયના અંતરાલમાં મળી ગઈ હતી પરંતુ પરિણીતા સાથે અનૈતિક સંબંધ ધરાવતો આ શખ્સ પરિણીતાના સાસરિયાને અવારનવાર ધમકી આપતો કે જો અમારા સંબંધની જાણ બીજા કોઈને થઇ કે પોલીસમાં જાણ કરી તો જાનથી મારી નાખીસ, અને એકવાર સગી માતાએ જ પોતાની ૯ વર્ષની દીકરીને પોતાના પ્રેમી સાથેના પ્રેમ સંબધોની પળોને ફોનમાં ઉતારવાનું કહ્યું ત્યારે ખરેખર ઘોર કલયુગ આવી ગયો છે તેમ ચોક્કસપણે કહી શકાય અને આ સ...

ભચાઉ હત્યા ઉપરથી મોબાઈલ ફોને ઊંચક્યો પડદો

🖋 છાડવારા સીમમાં બળી ગયેલ રિક્ષા અને હાડપિંજર પ્રકરણમાં દારૂ જવાબદાર. ભચાઉ તાલુકાનાં છાડવારા ગામની સીમમાં બળી ગયેલ હાલતમાં ઓટો રીક્ષા સાથે માનવ હાડપિંજર મળી આવેલ જે મરણ જનાર જયદીપગીરી ઉર્ફે દિપક મહેન્દ્રગીરી ગુંસાઈ વાળાની હોઈ જેનો મોબાઈલ ફોન શંકર વશરામ કોલી રહે. ભચાઉ વાળા પાસે હોવાની બાતમી મળતાં (Advertisement)  પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસ નો કાફલો ભચાઉ માં મેઈન બજાર શાળા ન 1 ની બાજુમાં ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ મકાનમાંથી શંકર વશરામ કોલી ની ઝડતી લેતાં તેની પાસેથી જયદીપ ઉર્ફે દિપક નો મોબાઈલ મળી આવતા પોલીસે ઉલટ તપાસ કરતાં શંકર કોલીએ ગુન્હો કબૂલી લીધો હતો . શંકર કોલીએ કબુલ્યું હતું કે તેનો ભાઈ નિલેશ અને  જયદીપ ઉર્ફે દિપક દારૂના રવાડે ચડી ગયા હતા , એટલે પોતાનાં ભાઈ ને દારૂ ના રવાડે ચડાવનાર જયદીપગીરી ગુંસાઈ ને સબક શીખવાડવા રાતે વાડીમાં લઈ જઈ ત્યાં તેનું ખૂન કાર્યનું કબૂલી લેતાં , કચ્છમાં ચકચાર જગાવનાર હત્યા ઉપરથી પડદો ઊંચકાયો હતો. તસ્વીર અને અહેવાલ : વિનોદ સાધુ , ભચાઉ . - - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06...

કરવાની ચ્હા ખપે , ચા વાળાએ ૨૦ હજારનું દાન કર્યું

🖋 ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને ભુજનાં ચા વાળાએ ૨૦ હજારનું આપ્યું દાન. (છગનભાઈ અને પરિવાર પાસેથી અનુદાન સ્વીકારતાં લાયન અભયભાઈ શાહ) (મા ન્યુઝ , 27 જાન્યુઆરી, 9:35 ) - એક કહેવત છે મન હોય તો માળવે જવાય , બીજી કહેવત છે નસીબમાં હોય તો જ દાન કરી શકાય . અત્યારે આ બંને કહેવત ભુજના એક દિલેર અને ઉદાર ચા વાળા ડુડિયા ભાઈને લાગુ પડે છે. લોકોએ કાલે ૨૬ મી જાન્યુઆરી ને અલગ અલગ રીતે ઉજવી હશે , કોઈકે દવજ ફરકાવીને , કોઈકે દવજને સલામી આપીને , કોઈકે બાળકોને મીઠાઈ આપીને , કોઈકે પોતાનાં ગામ અને શહેરમાં સફાઈ કરીને, કોઈકે કોઈકનાં આંસુ લૂછીને , અને કોઈકે પોતાની આવકનો અમુક હિસ્સો કાઢી એવા લોકોને મદદ કરી હશે કે જેમને તેઓ ઓળખતા પણ નહીં હોય.  ( Advertisement ) હા, આવુંજ જ દાન ભુજના  ચાની કેબીન ચલાવતા  શ્રી છગનભાઇ ડુડીયાએ ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને આપ્યું, ભુજની લાયન્સ હોસ્પિટલ દાતા અને દર્દી વચ્ચે એક મહત્વનાં સેતુ (રામ સેતુ) તરીકે કામ કરી રહી છે. છગનભાઈએ રૂા.૨૦,૦૦૦નુ  અનુદાન આપ્યુ , પણ એ અનુદાન ક્યા દર્દીને ઉપયોગી થશે એ છગનભાઈને નથી ખબર , આમ એક અર્થમાં નરસિંહ મહેતાન...

કાજલ ઓઝા વૈદ્ય એવું ના લખે : લખે તો દુઃખની વાત

🖋 જો એવું કાજલ ઓઝાએ રાણી પદ્માવતીને 800 વર્ષ પહેલાંની સ્ત્રી કહી હોય તો દુઃખદ છે. ( કાજલ ઓઝા વૈદ્ય ) છેલ્લા બે એક દિવસથી એક પોસ્ટ વોટ્સએપ માં ફરી રહ્યું છે , એ પણ કાજલ ઓઝા વૈદ્ય નાં નામે , કાજલ ઓઝાએ જ આ લખાણ લખ્યું છે કે કેમ એ  એક સવાલ છે, પણ જો કાજલ ઓઝા જેવા સમજદાર લેખક અને વક્તા આ લખાણ લખ્યું હોય તો દુઃખદ વાત છે. કાજલ બેનનાં નામે ફરતાં લખાણની વાત કરીએ એ પહેલાં આપને જણાવી દઈએ કે વોટસએપ્પ માં એક વિડિઓ અને અન્ય મેસેજ ફરી રહ્યો છે કે કરણી સેનાએ સ્કૂલ બસ ઉપર પથ્થરમારો કર્યો , હવે સત્ય હકીકત શું છે એ જાણવા કોઈએ પ્રયાસ કર્યા વગર જ મંડી પડ્યા મેસેજ શેર કરવા , ખરેખર વાસ્તવિકતા શું છે એ જાણવા અહીં એક વિડિઓ મુક્યો છે જે જોઈ ને આપ નક્કી કરી શકશો કે સ્કૂલ બસ ઉપર કરણી સેનાએ પથ્થરમારો નથી કર્યો. બસનાં ડ્રાઈવરે પણ કબુલ્યું છે કે બસ ઉપર પથ્થર મારો કરણી સેનાએ નથી કર્યો. આજે સવારથી લગભગ મિડિયામાં એક ન્યૂઝ દેખાડી રહ્યા છે કે દિલ્હી ગુરૂગ્રામમાં રાજપૂતો એ એક સ્કૂલબસ પર હુમલો કર્યો છે. પણ હકીકતમાં એવું કાંઈ જ નથી. એનું પ્રૂફ છે આ વિડીયો.(જુઓ વિડિઓ) હવે વાત કરીએ કાજલ ઓઝા વૈદ્ય નાં નામે ...

ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ થતા ચકચાર..

ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ થતા ચકચાર.. ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનવા પામતા, ચકચાર મચી જવા પામી છે. (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) જાણવા મળતી વિગતો મુજબ વોંધ ગામે આ ઘટના બની હતી. ગતરાત્રી દરમ્યાન વોંધ ગામે રહેતી ૧૭ વર્ષીય સગીરા ઘરે હાજર હતી ત્યારે ગામમાં રહેતો એક શખ્સ આવ્યો હતો અને તેણીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં ભોગ બનનારે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) હતભાગીના પરિવારજનો મરણોતર પ્રસંગે ગયા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી, હતભાગી શખ્સ તેણીનો માસીયાઈ ભાઈ થતો હોવાનું જાણવા મળે છે. અહેવાલ-વિનોદ સાધુ મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB