Skip to main content

Posts

ભારતનાં વધુ ચાર દીકરા શહીદ થયા. હજુ વાતો જ કરશું ?

🖋 શહીદ ની શહાદત ક્યાં સુધી સમાચાર બન્યા કરશે ? ૧૯૪૭ થી કરીને અત્યાર સુધી પાકિસ્તાન ની ગોળીઓથી કેટલાં ભારતીય જવાનો શહીદ થયા ? હજુ કેટલાં જવાનો ને શહીદ કરશું ? હજુ આપણે માત્ર વાતો કરશું કે કોઈ કડક પગલાં પણ ભરશું ? ચૂંટણી ટાણે મોટી મોટી વાતો કરીને સરહદ પાર થી થતી ગોળીબારનો જવાબ આપવામાં આવશે એવી ભ્રામક વાતો કરી એને સાર્થક ક્યારે કરવામાં આવશે? આવા અનેક સવાલો દરેક ભારતીય લોકોને સતાવી રહયા છે. (મા ન્યુઝ , ૫ ફેબ્રુઆરી, ૨૩:૦૨ ) - ૨૩ વર્ષના આજનાં યુવક અને યુવતિઓ સોશ્યલ મિડિયામાં મોટી મોટી વાતો કરીને વાણી વિલાસ કરી રહ્યાં છે ત્યારે એક ૨૩ વર્ષ નો ભારત મા નો દીકરો સરહદ ઉપર દેશની રક્ષા માટે લડી રહ્યો હતો. 'જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે' આ શબ્દો હતા કેપ્ટન કપિલનાં , સરહદ પાર થી કરાયેલ પાકિસ્તાની ગોળીબારમાં  23 વર્ષના કેપ્ટન કપિલ કુંડૂ , જવાન  શુભમ કુમાર , રાઇફલમેન  રામ અવતાર , જવાન  રોશન લાલ શહાદત વહોરી ને અનંતની વાટ પકડી લીધી , પણ શું ભારતની સરકાર જવાબી કાર્યવાહી કરશે કે પછી સંસદમાં માત્ર સર્જીકલ સ્ટ્રાઈક ની વારંવાર વાતો કરીને સંસદની ટે...

અમદાવાદનાં ક્ષત્રિય પરિવારને અબડાસામાં નડ્યો અકસ્માત : 1 મોત

🖋 લગ્ન પ્રસંગે કચ્છ આવેલ  અમદાવાદના ક્ષત્રિય પરિવારની કારને અબડાસામાં મીની લકઝરીએ ટક્કર મારતા એક નું મૃત્યુ નલીયા-માંડવી હાઇવે પર ચેકપોસ્ટ પાસે બેફામ ચાલતી મીની લકઝરીએ અમદાવાદના ક્ષત્રિય પરિવારની કારને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું છે. બપોરે બનેલી આ દુર્ઘટનામાં ચાર જણા ઇજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો મુજબ ચેકપોસ્ટ પાસે મીની લકઝરી ગાડી નં. GJ-3-AW-9902 વાળી ના ડ્રાઇવરે મારૂતિ કાર નં. GJ-1-HK-1782 ને ટક્કર મારતા કારમાં બેઠેલા વંદનાબા શક્તિસિંહ ઝાલા (40 વર્ષ)  નું સારવાર માટે લઇ જતા ગણતરીના સમયમાં મૃત્યુ થયું હતુ. અન્ય 4 જણામાં મયુર રાધુભા પરમાર (37 વર્ષ), જયરાજસિંહ રાણા (12 વર્ષ), હિનાબા રાણા (36 વર્ષ) અને મોનિકાબા પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો હાલ માંડવી એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 5 જણા અમદાવાદ બાપુ નગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ઘટનામાં સૌપ્રથમ પાંચેય ઘાયલને કોઠારા ખાતે લઈ જવાયાં હતા. જો કે, વંદનાબાએ ગણતરીની મિનિટોમાં જ દમ તોડી દીધો હતો. બાકીના ચારેય ઘાયલોને માંડવી એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. કોઠારા પોલીસના જણાવ્યા અનુસાર ...

24 x 7 મા આશાપુરા ન્યુઝ

કચ્છમાં સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ " મા આશાપુરા ન્યુઝ " https://youtu.be/l7DGjXsYwNo મા ન્યુઝ કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ છે સાથે કચ્છની પ્રથમ 24 કલાક શરૂ થયેલી ચેનલ પણ  છે , ન માત્ર ટીવીમાં પરંતુ સોશ્યલ મીડિયામાં પણ સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ માં પણ "મા આશાપુરા ન્યુઝ " નું નામ દેશ વિદેશમાં જાણીતું છે , જેનું કારણ છે , એપ્લિકેશન , વેબસાઈટ , યુ ટ્યુબ , બ્લોગ , વોટ્સએપ , ટ્વિટર , ફેસબૂક , ગૂગલ પ્લસ , ઉપર સૌથી વધારે વિવર્સ અને સબ્સ્ક્રાઈબ પણ અમારાં સોશ્યલ નેટવર્ક માં છે. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઈબ કરવા  Youtube માં ટાઈપ કરો  Maa News Live અને કરો કચ્છ તેમજ વિવિધ સમાચાર જાણવા કરો subscribe . અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવા  Google playstore માં ટાઈપ કરો  Maa News મા આશાપુરા ન્યુઝ 24 x 7 ચેનલ જોવા ક્લિક કરો આ લિંક https://youtu.be/l7DGjXsYwNo

રામ રામ કચ્છ : આજનું રાશિ ભવિષ્ય , ( સોમવાર - 5 ફેબ્રુઆરી )

🖋 દૈનિક રાશી ભવિષ્ય Monday, February 5, 2018. (મા ન્યુઝ , 5 ફેબ્રુઆરી) - નમસ્કાર , મિત્રો આપ કુશળ છો , આપ નિશ્ચિન્ત છો, આપ પોઝિટિવ છો , જીવન સતત પરિવર્તનશીલ છે , અહીં બધુંજ બદલી રહ્યું છે , આ ક્ષણ જઈ રહી છે , આવનારી ક્ષણ પણ જશે, તારું શું હતું કે જવાનો અફસોસ કરે છે , તારું શું થવાનું છે કે ઘમંડ કરે છે, બસ આપણે એક પ્રવાસી થી વિશેષ કંઈ નથી , એટલે ચિંતા છોડ . ભવિષ્ય આપણાં હાથમાં નથી , કેવી ચોપાટ હશે એની ખબર નથી , પજ પ્યાદા કેમ અને ક્યારે ફેંકવા એ આપણાં હાથમાં છે . ( અમારી 24x7 ચેનલ જોવા ક્લિક કરો આ લિંક , અમારી ચેનલ subscribe જરૂર કરશો. ) https://youtu.be/l7DGjXsYwNo તો ચાલો જોઈએ આપણું ભવિષ્ય અને કેવી ચાલવી ચાલ એનાં ઉપર કરીયે દ્રષ્ટિ. મેષ રાશી ભવિષ્ય (Monday, February 5, 2018) પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. ...

Poor people who live in bungalows in Bhuj

 False poor people who live in bungalows in Bhuj  False poor people living in bungalows in Bhuj, 150 names have been declared by thousands of BPL, yet another will be announced.  The appetite of people's dissatisfaction is never satisfied, even after living in bungalows, poverty can not come out of the mentality. Congress Leading Admachi Chaki today exposed fake BPL card holders before journalists, knowing that the people living in the rich area of ​​Bhuj are BPL card holders. These include President Swaminagar, Yoginagar, Iya Nagar, Bhuj has 13703 BPL card holders, of which there are 511 BPL card holders in the cheap price shop named Jalaram Consumer Warehouse in Bhanushali Nagar; Adam Chaky blasts 150 potentially fake BPL card holders of 511 Tapas The economically weaker people of Bhuj are also living below the poverty line.  ( Adam Chaki ) Adam Chawki alleged that all these 150 people live in millions of crores of bungalows, even though they are ...

ભુજમાં બંગલાઓ માં રહે છે નકલી ગરીબ લોકો

🖋  ભુજમાં બંગલાઓ માં રહે છે નકલી ગરીબ લોકો , હજારો બીપીએલ માંથી ૧૫૦ નામ જાહેર કરાયા , હજુ બીજા જાહેર કરાશે. ( મા ન્યુઝ , 3 ફેબ્રુઆરી,19:04)લોકોની અસંતોષની ભૂખ ક્યારેય સંતોષાતી નથી , એ પછી બંગલાઓ માં રહેતાં હોવાં છતાં પણ ગરીબીની માનસિકતામાંથી બહાર આવી શકતાં નથી. https://youtu.be/-B2Gt-96670 ( જુઓ આદમ ચાકી નો ઈન્ટરવ્યુ ) કોંગ્રેસ અગ્રણી આદમભાઈ ચાકીએ આજે પત્રકારો સમક્ષ નકલી બીપીએલ કાર્ડ ધારકોનો પર્દાફાશ કર્યો હતો, જાણીને આશ્ચર્ય થશે કે ભુજના શ્રીમંત વિસ્તારમાં રહેતાં લોકો બીપીએલ કાર્ડ ધારકો છે. જેમાં પ્રમુખસ્વામીનગર , યોગીનગર , આઈયા નગરનો સમાવેશ થાય છે, ભુજમાં ૧૩૭૦૩ બીપીએલ કાર્ડ ધારકો છે , જેમાંથી ભાનુશાલી નગર માં આવેલી જલારામ ગ્રાહક ભંડાર નામની સસ્તા ભાવની દુકાન માં ૫૧૧ બીપીએલ કાર્ડ ધારક છે , ૫૧૧ ની તાપસ કરતા ૧૫૦ જેટલા સંભવિત નકલી બીપીએલ કાર્ડ ધારક હોવાનો આદમ ચાકીએ ધડાકો કરતાં વ્યાજબી ભાવની દુકાન ધારકોમાં હડકમ્પ મચી ગયો છે, ભુજના આર્થિક રીતે સભર લોકો પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આદમભાઈ ચાકીનો આક્ષેપ છે કે આ તમામ ૧૫૦ લોકો લાખો કરોડોના બંગલામાં રહે છે , ત...