🖋 શહીદ ની શહાદત ક્યાં સુધી સમાચાર બન્યા કરશે ?
૧૯૪૭ થી કરીને અત્યાર સુધી પાકિસ્તાન ની ગોળીઓથી કેટલાં ભારતીય જવાનો શહીદ થયા ?
હજુ કેટલાં જવાનો ને શહીદ કરશું ?
હજુ આપણે માત્ર વાતો કરશું કે કોઈ કડક પગલાં પણ ભરશું ?
ચૂંટણી ટાણે મોટી મોટી વાતો કરીને સરહદ પાર થી થતી ગોળીબારનો જવાબ આપવામાં આવશે એવી ભ્રામક વાતો કરી એને સાર્થક ક્યારે કરવામાં આવશે?
આવા અનેક સવાલો દરેક ભારતીય લોકોને સતાવી રહયા છે.
(મા ન્યુઝ , ૫ ફેબ્રુઆરી, ૨૩:૦૨ ) - ૨૩ વર્ષના આજનાં યુવક અને યુવતિઓ સોશ્યલ મિડિયામાં મોટી મોટી વાતો કરીને વાણી વિલાસ કરી રહ્યાં છે ત્યારે એક ૨૩ વર્ષ નો ભારત મા નો દીકરો સરહદ ઉપર દેશની રક્ષા માટે લડી રહ્યો હતો.
'જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે' આ શબ્દો હતા કેપ્ટન કપિલનાં , સરહદ પાર થી કરાયેલ પાકિસ્તાની ગોળીબારમાં 23 વર્ષના કેપ્ટન કપિલ કુંડૂ , જવાન શુભમ કુમાર , રાઇફલમેન રામ અવતાર , જવાન રોશન લાલ શહાદત વહોરી ને અનંતની વાટ પકડી લીધી , પણ શું ભારતની સરકાર જવાબી કાર્યવાહી કરશે કે પછી સંસદમાં માત્ર સર્જીકલ સ્ટ્રાઈક ની વારંવાર વાતો કરીને સંસદની ટેબલ આપણાં નેતાઓ પછાડયા કરશે ?
પાકિસ્તાન દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતના ચાર જવાન શહીદ થયા છે. જેમાં 23 વર્ષના કેપ્ટન કપિલ કુંડૂનો પણ સમાવેશ થાય છે. કેપ્ટન કપિલ કુંડૂએ પોતાના ફેસબુક પેજ પર ઇન્ટ્રોમાં બોલીવુડ એક્ટર રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ 'આનંદ' નો ડાયલોગ 'જિંદગી લંબી નહીં, બડી હોની ચાહિયે.' ગત જાન્યુઆરી મહિનામાં જ કપિલ કુંડૂને કેપ્તન તરીકે નિમણૂક મળી હતી. આમ આ ફિલ્મની પંક્તિની સાર્થક કરતા કેપ્ટન કપિલ કુંડૂ માત્ર 23 વર્ષની વયે દેશ માટે જીવ આપી શહીદી વહોરી છે. હરિયાણાના રહેવાસી અને માત્ર 23 વર્ષની ઉંમરે શહીદ થયેલ કેપ્ટન કપિલ કુંડૂના પિતાનું પહેલા જ નિધન થઇ ચુક્યું છે.- શહીદ કપિલ નાં માતા તો કહ્યું કે મારો બીજો દીકરો હોત તો એને પણ ભારતની રક્ષા માટે મોકલી દેત , પણ પ્રશ્ન એ થાય છે કે હજુ કેટલાં ભારતીય જવાનોને શહીદીની કતારમાં ઊભા રાખી દેશું ?
કેપ્ટન કપિલ કુંડૂનો પોતાના જન્મદિવસના છ દિવસ પહેલા જ શહીદ થયા છે. પોતાનો જન્મદિવસ કપિલ ઘરે ઉજવવાના હતા , પણ એમણે તો સરહદ ઉપર જ શહાદત વહોરી કરોડો ભારતીયોને , વતનને અને એમની માતાને છોડી ને ચાલ્યા ગયા.
કેપ્ટન કપિલ કુંડૂના દાદાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે કપિલ ખૂબ જ સારો યુવક હતો. અમે બધું જ ગુમાવી દીધુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ છે કે અમને ગર્વ છે કે અમારો પુત્ર સરહદ પર શહીદ થયો. અમારો એકમાત્ર પૌત્ર હતો, અમે બધુ જ ગુમાવી દીધું. વડાપ્રધાન મોદીને કહેવા માગુ છું કે પાકિસ્તાન સામે તેનો બદલો લેવામાં આવે . માત્ર દિલાસા આપવાથી વાત નહીં બને.
ભારતના ઉપ-સેના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ શરત ચંદ્રએ જણાવ્યું છે કે ભારતીય આર્મી પાકિસ્તાનનાં ગોળીબારનો ઉચિત રીતે જવાબ આપી રહી છે અને અમે નહીં અમારી કાર્યવાહી બોલશે.
કર ચલે હમ ફિદા , જાનો તન સાથિયો , અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ , પણ હવે ઘણું થયું , અનેક મા નાં લાલ શહીદ થયા , અનેક માતાઓ , પત્નીઓ , બાળકો પોતાનાં હાથમાં શહીદની તસ્વીર લઈને કોઈ એક ઓરડામાં આંસુ સારી રહયા છે .અંતમાં શિવસેના એ ગર્જના કરી છે કે જો પાકિસ્તાન સામે પાર થી હવે મિસાઈલ નો ઉપયોગ શરૂ કર્યો છે , ભારત પાસે રહેલી મિસાઈલ શું માત્ર 26 મી જાન્યુઆરી નાં પરેડ માટે જ રાખી છે ?
એક સવાલ , પછી બીજો સવાલ, આખા સમાચાર સવાલ બનીને રહી ગયા છે ત્યારે 56 ઇંચની છાતી આ તમામ સવાલોના જવાબ આપે તેવી 125 કરોડ ભારતીયોની અપેક્ષા છે.
જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
Comments
Post a Comment