Skip to main content

અમદાવાદનાં ક્ષત્રિય પરિવારને અબડાસામાં નડ્યો અકસ્માત : 1 મોત

🖋 લગ્ન પ્રસંગે કચ્છ આવેલ  અમદાવાદના ક્ષત્રિય પરિવારની કારને અબડાસામાં મીની લકઝરીએ ટક્કર મારતા એક નું મૃત્યુ


નલીયા-માંડવી હાઇવે પર ચેકપોસ્ટ પાસે બેફામ ચાલતી મીની લકઝરીએ અમદાવાદના ક્ષત્રિય પરિવારની કારને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું છે. બપોરે બનેલી આ દુર્ઘટનામાં ચાર જણા ઇજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો મુજબ ચેકપોસ્ટ પાસે મીની લકઝરી ગાડી નં. GJ-3-AW-9902 વાળી ના ડ્રાઇવરે મારૂતિ કાર નં. GJ-1-HK-1782 ને ટક્કર મારતા કારમાં બેઠેલા વંદનાબા શક્તિસિંહ ઝાલા (40 વર્ષ) નું સારવાર માટે લઇ જતા ગણતરીના સમયમાં મૃત્યુ થયું હતુ. અન્ય 4 જણામાં મયુર રાધુભા પરમાર (37 વર્ષ), જયરાજસિંહ રાણા (12 વર્ષ), હિનાબા રાણા (36 વર્ષ) અને મોનિકાબા પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો હાલ માંડવી એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 5 જણા અમદાવાદ બાપુ નગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દુર્ઘટનામાં સૌપ્રથમ પાંચેય ઘાયલને કોઠારા ખાતે લઈ જવાયાં હતા. જો કે, વંદનાબાએ ગણતરીની મિનિટોમાં જ દમ તોડી દીધો હતો. બાકીના ચારેય ઘાયલોને માંડવી એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. કોઠારા પોલીસના જણાવ્યા અનુસાર પાંચેય જણાં અમદાવાદના બાપુનગર વિસ્તારના રહેવાસી છે. વરાડીયા ખાતે આયોજીત સંબંધીના લગ્નપ્રસંગમાં તેઓ હાજરી આપવા આવ્યાં હતા. બનાવ અંગે ઘાયલોના પરિચિત દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા(રહે. ઓસ્લો સર્કલ, ગાંધીધામ)એ કોઠારા પોલીસ મથકે બસના ડ્રાઈવર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી વાહનો પેસેન્જર ઉપાડવાની લ્હાયમાં અકમાત નોતરી બેસતા હોય છે ત્યારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરે એ ઇચ્છનીય છે અન્યથા આવા અકસ્માતનો સિલસિલો અવિરત રહેશે.

- *મા આશાપુરા ન્યુઝ* ,

ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,


*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv