Skip to main content

Posts

ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે નવરાત્રિ વેકેશન...

ગુજરાતના વિદ્યાર્થીઓને લગભગ 2 દાયકા બાદ નવરાત્રિ વેકેશન મળવા જઈ રહ્યુ છે. સરકારે સ્કૂલો અને કોલેજોમાં સાત દિવસનુ નવરાત્રિ વેકેશન આપવાનુ રાજ્ય સરકારનુ નક્કી કર્યુ છે. નવરાત્રિ પર્વ આ વખતે ૧૦ ઓક્ટોબરથી શરૃ થવાનો છે અને ૧૯ ઓક્ટોબરે દશેરાની ઉજવણી થવાની છે. સરકાર શાળા અને કોલેજોમાં ૧૫ થી ૨૧ દરમિયાન નવરાત્રી વેકેશન જાહેર કરશે. આમ નવરાત્રીના છેલ્લા પાંચ દિવસ સ્ટુડન્ટસ ભણવાની ચિંતા કર્યા વગર મન મુકીને ગરબે ઘૂમી શકશે. જોકે આ સાત દિવસનુ વેકેશન ૨૧ દિવસના દિવાળી વેકેશન સાથે એડજસ્ટ કરવામાં આવશે. જેના પગલે દિવાળી વેકેશન ટુંકાવીને ૧૪ દિવસનુ કરાશે. દિવાળી વેકેશનનો ૧૮ નવેમ્બરથી પ્રારંભ થશે. સરકારે ગુજરાતની તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ માટે કોમન એકેડમિક કેલેન્ડર બનાવ્યુ છે.જે પ્રમાણે યુનિવર્સિટીઓમાં પહેલા, ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની પરીક્ષાઓ નવરાત્રિ પર્વ બાદ શરૃ થશે. આ પરીક્ષાઓ ૩૧ ઓક્ટોબર પહેલા પુરી કરવાની સૂચના છે. શિક્ષણ વિભાગના કહેવા પ્રમાણે એકસરખા એકેડમિક કેલેન્ડરના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં બીજા ૨૦ દિવસનો ઉમેરો થશે. નવરાત્રિ વેકેશન આપવાનો નિર્ણય પહેલી વખત નથી લેવાયો. ૧૯૯૫માં કેશુભા...

માંડવી ભુજ હાઇવે પર ગમખ્વાર અકસ્માત.. એક મોત, એક ઘાયલ...

માંડવી ભુજ હાઇવે પર કોડાય પુલ નજીક ઘમ્ખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ભુજ માંડવી હાઇવે પર સાંજે ૪ વાગ્યાના અરસામાં બંને યુવાનો બાઈક પર સવાર હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે એક યુવાન ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને વધુ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. ઘટના બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ એમ્બુલેંસ તેમજ પોલીસને જાણ કરતા એમ્બુલેંસ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોચી આવી હતી, યુવાન ને હોસ્પીટલે ખસેડ્યા બાદ, અકસ્માત ક્યાં કારણોસર થયો ? મૃતક તેમજ ઈજા પામનાર કોણ છે ? તેમજ ટક્કર મારનાર વાહન કયો અને કોનો હતો ? આ બધી તપાસ પોલીસે હાથ ધરી છે.. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ગુજરાતમાં વરસાદનું આગમન.! લોકોને મળી ગરમીથી રાહત...

રાજ્યમાં હવામાન વિભાગે આગામી 72 કલાકમાં વરસાદની આગાહી કરી છે ત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલી ગુજરાતની જનતાને આખરે રાહત મળી શકે છે. કારણ કે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદે દસ્તક દીધી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા વલસાડમાં આજે વહેલી સવારે વરસાદનું આગમન થયું છે. વલસાડ જિલ્લાના વાપી પંથકમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આમ ધોમધખતા તાપથી ત્રસ્ત થયેલા લોકોને વરસાદ પડવાથી આશિંક રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો પણ રાહ જોઇને બેઠા છે કે કયારે વરસાદ આવે. જોકે વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતોને પણ હવે વધુ રાહ જોવી નહીં પડે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે દસ્તક આપી છે. આમ 2 થી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે મુંબઇમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે 9મી જુનથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. દક્ષિણથી ઉત્તરના પવનના કારણે વરસાદ પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્...

Facebook દ્વારા કરોડો લોકોના પ્રાઈવેટ ડેટા થયા લીક !

દુનિયાની સૌથી લોકપ્રિય સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ FaceBook દ્વારા ગુરૂવારે પોતાના સોફ્ટવેરમાં ભૂલ હોવાની વાત સ્વીકારી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે, 1 કરોડ 40 લાખ(14 મિલિયન) યુઝર્સના પ્રાઈવેચ ડેટા પબ્લિક કરવામાં આવ્યા છે. જેના માટે ફેસબુક તરફથી માફી પણ માંગવમાં આવી છે. કંપનીના પ્રાઇવેસી ઓફિસર ઇરિન ઇગ્ને પોતાના નિવેદનમાં સોફ્ટવેરમાં ભૂલ હોવાની વાત જાહેર કરી છે. વાસ્તવમાં ફેસબુકના સોફ્ટવેરમાં બગ હોવાની વાત કરવામાં આવી રહી હતી. નોંધનીય બાબત એ છેકે છેલ્લા થોડાં સમયથી ફેસબુક પર વિવિધ વિવાદોમાં ઘેરાયેલું છે. જેમાં બગ અંગેની વાત સામે આવી હતી. જેના હેઠળ યુઝર્સ દ્વારા કરવામાં આવેલ કોઇ પણ નવી પોસ્ટ જાતે જ પબ્લિક થઈ જતી હતી. પછી ભલે ને તમે તમારાં પ્રાઇવેટ સેટિંગમાં ફ્રેન્ડ્સ ઓનલી કેમ ન સિલેક્ટ કર્યું હોય. 2.2 બિલિયન યુઝર્સના પ્લેટફોર્મ ફેસબુકના અગાઉ ટ્વિટર પર પણ પોતાના સોફ્ટવેરમાં ખામી હોવાની વાત સામે જાહેર કરી હતી. ટ્વિટર પર ડેટા ચોરી ખામીને જોતાં તમામ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યું હતું. કંપની તરફથી સુરક્ષાને ધ્યાનમાં લઈ આ પ્રકારનો નિર્ણય લીધો હતો.. - મા આશાપુરા ન્યુઝ, ભુજ ક...

ભુજ સનદાદા રોડ પર થયેલ હત્યાનો ભેદ ખૂલતો જણાય છે...

ભુજના સનદાદા રોડ પર થયેલી હત્યાનો ભેદ ખૂલતો જણાય છે. ૨ જુન ૨૦૧૮નાં સનદાદા રોડ પર મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ તેની ઓળખ પણ થઇ ગઈ હતી. ભુજ એ ડિવીઝન પોલીસે ૫ દિવસ બાદ FIR દાખલ કરી છે. ૩૮ વર્ષિય વિધવા કમળા રાણશી ગઢવીનાં હત્યા નાં કેસમાં પોલીસે ભુજના એક શખ્સને શંકાના દાયરામાં લઈને પૂછપરછ માટે બોલાવાયું છે... - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

'X', 'Y', 'Z' કેટેગરીની સુરક્ષાનું A to Z...

દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજકીય માહોલ ગરમાયો છે. ધમકીને પગલે જિજ્ઞેશને 'Y' કક્ષાની સુરક્ષા આપવાની માગણી કરવામાં આવી છે. ત્યારે એ સવાલ થાય કે સરકાર કેવી રીતી, કોને, શા માટે, અને કેટલા પ્રકારની સુરક્ષા આપે છે. સુરક્ષા માટેની અરજી કર્યા બાદ સૌપ્રથમ સુરક્ષા એજન્સી અરજીને આધારે તપાસ કરે છે ત્યારબાદ આગળ કાર્યવાહી કરે છે. સાથે જ ધમકીની ગંભીરતને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો, ઘટાડો, સુરક્ષા ચાલુ રાખવી કે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે.                              સુરક્ષા કક્ષાના પ્રકાર: 'X' કક્ષાની સુરક્ષા 'Y' કક્ષાની સુરક્ષા 'Y ' કક્ષાની સુરક્ષા 'Z' કક્ષાની સુરક્ષા 'Z ' કક્ષાની સુરક્ષા 'X' કક્ષાની સુરક્ષા આ કેટેગરી અંતર્ગત અરજી કર્યા બાદ સામાન્ય રીતે એક હથિયારધારી પોલીસકર્મી આપવામાં આવે છે. જે 24 કલાક સુરક્ષા પૂરી પાડે છે આ કેટેગરી અંતર્ગત તમામ ખર્ચ અરજકર્તાએ ભોગવવ પડે છે અથવા તો સરકાર ઇચ્છે તો ભોગવી શકે છે. 'X' કક્ષામાં ...

ટ્રેનમાં કપલનો સામાન ચોરાયો, રેલવે ચૂકવશે 5 લાખ રૂપિયા વળતર...

ગાંધીધામના કપલને રેલવે 5 લાખ રૂપિયા વળતર ચૂકવશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન કપલનો સામાન ચોરાઈ જતાં કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી. જે બાદ કન્ઝ્યુમર કોર્ટે 5 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો નોર્ધન રેલવેને આદેશ કર્યો છે. સાથે દંપતીને ન્યાયિક પ્રક્રિયા પાછળ થયેલ ખર્ચ અને માનસિક સંતાપ માટે વધારાના 8 હજાર ચૂકવવા પણ હુકમ કર્યો છે. કોર્ટે ટાંક્યુ કે પેસેન્જરની મુસાફરી સુરક્ષિત હોય તે જોવાની જવાબદારી રેલવેની છે પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યું. જમ્મૂ-તાવી એક્સપ્રેસમાંથી ચોરાયો સામાન... કેસ શેલૈષભાઈ અને મીનાબેન ભગતનો છે જેઓ શિપિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગત વર્ષે મે મહિનામાં કપલે હિમાચલ પ્રદેશના કાંગડા સ્થિત ગોવિંદ જીવન આશ્રમ જવા માટે જમ્મૂ તાવી એક્સપ્રેસના 2 ટાયર એસી કોચમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન મથુરા અને દિલ્હી વચ્ચે તેમની હેંડબેગ ચોરાઈ ગઈ. કપલે રેલવેના સ્ટાફના જાણ કરી છતાં તેમણે ઘટના પ્રત્યે ધ્યાન ન આપ્યું. અવારનવાર કરી પૂછપરછ પણ… દંપતિએ દિલ્હી અને પઠાણકોટમાં સામાન ચોરી થયાની ફરિયાદ નોંધાવી અને સતત આ વિશે પૂછપરછ કરતા રહ્યા. જ્યારે તેમને લાગ્યું કે તપાસ આગળ નથી વધી રહી ...