1984ના શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જનમટીપ ફટકારવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું, "1947માં ભાગલા દરમિયાન નરસંહાર થયો હતો. 37 વર્ષો બાદ દિલ્હી પણ આવી જ એક ઘટનાનું સાક્ષી બન્યું હતું." હાઈકોર્ટે નોંધ્યું, "તમામ પડકારો છતાંય સત્યનો વિજય થાય છે, તેની ખાતરી પીડિતોને કરાવવી જરૂરી છે." "આરોપીઓએ રાજકીય સંરક્ષણનો ફાયદો ઉઠાવ્યો અને કેસથી ભાગતા રહ્યા હતા." હાઈકોર્ટે સજ્જન કુમારને રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે અને તા. 31મી ડિસેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું છે. એપ્રિલ 2013માં દિલ્હીની એક નીચલી કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હી છાવણીમાં છ શીખોની હત્યા મામલે સજ્જન કુમારને તમામ આરોપોથી મુક્ત કરી દીધા હતા.

સીબીઆઈ (સેન્ટ્ર બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ તેની સામે અપીલ કરી હતી. 1984માં શીખ અંગરક્ષકો દ્વારા તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. જે પછી દિલ્હીમાં શીખ વિરોધી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. જેમાં ત્રણ હજારથી વધુ શીખ માર્યા ગયા હતા. હુલ્લડ બાદ નીમવામાં આવેલી તપાસમાં હિંસા પાછળ કૉંગ્રેસી નેતાઓની સંડોવણીના 'નોંધપાત્ર પુરાવા' મળ્યા હતા.

તપાસના રિપોર્ટ પ્રમાણે, શીખ વિરોધી રમખાણો સ્વયંભૂ ન હતા અને તેને કૉંગ્રેસી નેતાઓએ ઉશ્કેર્યા હતા. દિલ્હી કૅન્ટોનમૅન્ટ વિસ્તારમાં છ લોકોની હત્યા કરી દેવાઈ હતી, જેના પ્રત્યક્ષદર્શીઓએ સજ્જનકુમારને એમ કહેતાં સાંભળ્યા હતા કે 'એક પણ શીખ બચવો ન જોઈએ.'
શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસીઓની ભૂમિકા અંગે કૉંગ્રેસના નેતા અને તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ તથા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અગાઉ માફી માગી ચૂક્યાં છે.
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
(Lady Instructor
for Lady Student)
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર
,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
20 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment