Skip to main content

પંજાબથી પરાર ખરીદવામાં આવશે જે પશુઓના ઘાસચારા માટે યોગ્ય નથી: વી.કે.

કચ્છના પશુઓને બચાવવા માટે પંજાબથી પરાર ખરીદવામાં આવશે જે પશુઓના ઘાસચારા
માટે યોગ્ય નથી.

પશુઓ માટે પોષ્ટિક ઘાસ વલસાડ, દહાણં, તારાપુર જીલ્લાઓમાંથી જ ખરીદવામાં આવે
પરારની ખરીદી એટલે ઘાટ કરતા ઘડામણ મોંઘુ, ટ્રાન્સપોટટ ખરચ પણ ખુબ મોંઘુ થશે.
પંજાબમાં ખેડૂતો જે પરારને સળગાવે છે તેનું ગુજરાત સરકાર ખરીદવા માટે અભ્યાસ કરવા
જશે !!! અહો આશ્ચર્યમ !!!.........
આ શબ્દો છે કચ્છ જિલ્લા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા વી. કે. હુંબલનાં... તેમણે સરકારને આડે હાથ લેતાં આક્ષેપો કર્યા કે સરકારનો પંજાબમાંથી ઘાસ લેવાનો નિર્ણય અને એમાંય એવું ઘાસ કે જ્યાં પંજાબમાં ઘઉં નાં વધેલા છોડવાને કાપવાને બદલે ત્યાંના ખેડૂતો સળગાવી નાખે છે , અને એ ઘઉં નાં પરારને જો કચ્છ પશુઓ માટે લઈ અવાશે તો તે કચ્છનાં પશુ માટે યોગ્ય નથી.
કચ્છ જીલ્લામાં અછતમાં પશુઓને બચાવવા માટે સરકાર દ્વારા પંજાબથી ઘઉના પરારની ખરીદી કરવા માટે
સરકારશ્રીનાં પ્રતિનિધિ મંડળને પાંજાબ મોકલવામાાં આવશે તેવું ગુજરાતની કેબીનેટમાં નિર્ણય લેવાયેલ છે ત્યારે
કચ્છના પશુઓ માટે ઘઉનાં પરારનો ચારો યોગ્ય છે કે કેમ તે સરકારે જોવું જરૂરી છે, ઘઉનો પરાર પશુઓ માટે
 ખાવા યોગ્ય નથી અને સરકારે પશુઓને બચાવવા હશે તો વલસાડ, દહાણ કે તારાપુર જેવા
સેન્ટરોમાાંથી ઘાસ માંગાવવું જોઈએ અથવા તો એવા જ પ્રકારનું અન્ય જીલ્લામાાંથી ઘાસ માંગાવવું જોઈએ બાકી
પરાર ખરીદીનો સરકારનો નિર્ણય બરાબર નથી અને ઘઉનો પરાર પશુઓ માટે ખાવા લાયક નથી એટલા માટેજ
પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યના ખેડૂતો દ્વારા પરાર ને સળગાવી દેવામાં આવેછે. પરારને કોઈ
પશુપાલકો ઘાસચાર તરીકે ખરીદતા જ નથી.
પરારની ખરીદી એટલે ઘાટ કરતા ઘડામણ ર્મોઘુ જેવો તાલ થશે .
કારણકે અત્યારે જે ઘાસ ની ઘાાંસડીઓ
ટ્રેનમાં કે ટ્રકમાં આવે છે જે ઘાાંસડીઓ પ્રેસિંગ કરેલ હોય છે જેને કારણે ટ્રાન્સપોર્ટ માં પણ અનુકુળતા થાય છે જયારે પરાર
તો છુટું અથવા કોથળાઓમા ભરાઈને આવશે જે ટ્રાન્સપોર્ટ માં પણ મોંઘુ સાબિત થશે.
કચ્છમા પરારનો ઉપયોગ માલિારીઓ કરતા જ નથી અને પરારનો ઉપયોગ કરવો હોય તો પર્ ભૂસા જેવા
ખાધ પદાર્થમાં  ૧૦ % જેટલો જથ્થો ભૂસા સાથે ભેળવી પશુઓને ખવડાવતા હોય છે બાકી તો માત્ર પરાર તો પશુઓ
ગમે એટલા ભૂખ્યા હોય તો પણ પરાર નહીં ખાય કારણ  આ ચારો ઢોરો માટે યોગ્ય નથી.
જેથી સરકારે પરાર ખરીદવાનું બિલકુલ વિચારવું  જોઈએ નહીં અને માત્ર પશુઓને બચાવવા માટે વલસાડ, દહાણ, તારાપુર અથવા તો એવા જ
પ્રકારનુ ઘાસ અન્ય જીલ્લામાાંથી માંગાવવુ જોઈએ નહિતર ગમે તેવો કચરો ઉપાડી કચ્છમા મુકવાનો કોઈ મતલબ
રહેતો નથી.સરકાર કચ્છમા ઘાસનો જથ્થો પૂરો પાડી શકે તેમ ન હોય તો તેમને પશુઓ માટે દરેક ગામોએ
ઢોરવાડાની તાત્કાલીક મંજૂરી આપી દેવી જોઈએ જેથી  દરેક ગ્રામજનો કે માલધારીઓ પોતાના ઢોરોને બચાવવા
માટે યોગ્ય વ્યવસ્થા કરી લેશે. તેમજ હાલે ઘણાં માલધારીઓ દ્વારા પોતાના ખરચે બહારના જીલ્લાઓમાાંથી ટ્રકોમાં 
ઘાસચારાની ખરીદી કરીને લાવવામા આવે છે . જેનેગુજરાતના દરેક ટોલ ટેક્ષ ઉપર માફી આપવી જોઈએ, કારણ કે
ઘાસચારો જે પણ  ટ્રકોમાં  આવશે તેનો ઉદ્દેશ માત્ર પશુઓને બચાવવાનો છે જેથી  સરકાર આ બાબતે યોગ્ય
કાર્યવાહી કરે, સારાં ઘાસ પશુઓને પૂરાં પાડે, તેમજ ખેડૂતોને પ્રોત્સાહિત કરી અને લીલા ચારા માટે વીજબીલ માફી,
નવા વીજ કનેકશનો આપે તો પણ પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.
હવે જોવાનું એ રહ્યું કે સરકાર જીલા પંચાયતનાં વિરોધપક્ષના નેતા વી.કે. હુંબલની આ સલાહ અને રજુઆત માને છે કે પછી એ જ નિર્ણય લેશે જે અગાઉ લઈ લેવાયો છે. નિર્ણય કોણ લે છે એ મહત્વનું નથી પણ નિર્ણય કેવો લેવાયો છે એ મહત્વનું છે એટલું પણ સમજ માં આવી જશે તો કચ્છનાં પશુઓને કોઈ તકલીફ નહિ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી .
અંતમાં આ સમય કોઈ રાજકારણ રમવાનો નથી , આ સમય છે કચ્છીયત દેખાડવાનો , અને અબોલ પશુઓને મોતનાં મુખમાંથી બચાવી લેવાનો .
જય હિન્દ, જય કચ્છ.

- જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
મા આશાપુરા ન્યુઝ , કચ્છીયત ટીવી સમાચાર.
ફ્રીલાન્સ રિપોર્ટર.
ધારાશાસ્ત્રી.
ભુજ કચ્છ , ગુજરાત ભારત
94287 48643 વોટ્સએપ,
97252 06123.
Youtube : maa newe live

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv