Skip to main content

ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે શક્તિસિંહ ગોહિલે બાયો ચડાવી..

ગુજરાતની ભાજપની સરકારની ખેડૂત વિરોધી, ભ્રષ્ટ અને અણ આવડતવળી અણઘડ નીતિના કારણે નાફેડ દ્વારા ગુજરાત માંથી મગ, અડદ, તુવેર તેમજ મગફળી (શીંગ)ની ચાલુ વર્ષે એટલે કે, ૨૦૧૮/૨૦૧૯માં ખરીદી નહિ કરવાનો નિર્ણય.

ખેડૂતો માટે અતિશય નુકશાન કારક આ નિર્ણય કરતો નાફેડનો તા:૧૫/૧૧/૨૦૧૮નો ભારતના કૃષિ મંત્રાલયને લખાયેલો પત્ર પ્રેસ અને મીડીયાને આપીને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપની સરકારનાં ભ્રષ્ટ અને અણઘડ વહીવટનો ભોગ ગુજરાતના ખેડૂતો બન્યા છે. નાફેડ દ્વારા પોતાના પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭/૧૮ માં જે ખરીદી ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન મારફત કરી હતી તેના ગોડાઉનોની સાયન્ટીફીક તપાસમાં બહાર આવ્યું છે કે, ગોડાઉનોની ગુણવત્તા જાળવવામાં આવી નહતી. ગોડાઉનો માટેની નિર્ધારિત પ્રક્રિયા કે જે પુરવઠાની સલામતી અને જાળવણી માટે હોય છે તેને જાળવવામાં આવી ન હતી. ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા એટલું જ નહિ પરંતુ જથ્થામાં ભેળસેળ કરવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે, કોઈપણ પુરતી કાળજી કે સલામતીના પગલાં લેવામાં આવ્યા નહોતા. અતિશય ગંભીર રીતે સ્ટાફની અછત પણ જોવા મળી હતી. ગુજરાત સરકારે ભાડે રાખેલા ગોડાઉનો કે જ્યાંથી ખરીદી કરવાની હતી એવા એરિયાથી અતિશય દુર અને કેટલાક કીસ્સાઓમાં તો  ૩૦૦ કી.મી.ની દુરી પર ભાડે ગોડાઉનો  રાખવામાં આવ્યા હતા જેના કારણે નાફેડ દ્વારા ગોડાઉનમાં સંગ્રહિત માલની યોગ્ય તપાસ (scientific appropriation) શક્ય ના હતી. નાફેડ દ્વારા ગુજરાત સરકારની ઉપરોક્ત દર્શાવેલી અનેક નિષ્ફળતાઓ ઉજાગર કરીને જણાવ્યું છે કે નાફેડ હવે ગુજરાતમાંથી ખેડૂતોની ખેત પેદાશ જેવી કે, મગ, અડદ, તુવેર કે મગફળીની ખરીદી નહિ કરે.

નાફેડ દ્વારા પોતાના પત્રમાં એક વધારે ગંભીર બાબતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખરીફ ૨૦૧૭/૧૮ દરમ્યાન જે મગફળી ખરીદી હતી તેનો ઉપયોગ કરવાનું કમીટમેન્ટ આપેલ હોવા છતાં PDS અંતર્ગત આ વચનબધ્ધ્તાનું હજુ સુધી કોઈ પાલન કરવામાં આવ્યું નથી. ૩.૩૭ લાખ મેટ્રિક ટન જેટલી મગફળીનો સ્ટોક હજુપણ ગોડાઉનોમાં પડી રહેલો છે અને પરિણામે ખુબ જ મોટું આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવશે તેમજ ખરીદી માટે જગ્યા પણ ઉપલબ્ધ નથી બની.

નાફેડે જણાવ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટકા, તેલંગાણા અને તામીલનાડુ જેવા રાજ્યોમાં નાફેડ ખરીદી કરી રહી છે. ગુજરાતમાં ૨૦૧૮/૧૯ દ્વારા ખેડૂતોની ખેત પેદાશની કોઈ ખરીદી નાફેડ નહિ કરે. ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીમાં અતિશય મોટો વધારો ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીના કારણે થયો છે ત્યારે કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને પ્રશ્નો પૂછ્યા છે કે,

૧.    નાફેડ દ્વારા ઉપસ્થિત કરાયેલા અતિ ગંભીર મુદ્દાઓ અંગે જવાબદાર કોણ ?

૨.    નાફેડ દ્વારા ઉપસ્થિત કરાયેલ અતિ ગંભીર મુદ્દાઓની તપાસ હાઈકોર્ટ નાં સીટીંગ જજ દ્વારા સરકાર કરવા માંગે છે કે કેમ ?

૩.    નાફેડ દ્વારા ખરીદી બંધ કરવાનાં નિર્ણયથી ખેડૂતોને જે પારાવાર નુકશાન જશે તેને સરકાર કઈ રીતે સરભર કરશે.

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group : maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
(Lady Instructor for Lady Student)

મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  ,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર

મા ડ્રિંકિંગ વોટર :
20 રૂપિયામાં 20 લીટર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv