Skip to main content

છ જિલ્લામાંથી કચ્છમાં ઘાસ ઠલવાઇ રહયું છેઃ બે દિ’માં ૧૮૩ ટ્રકો આવી પહોંચી..

કચ્છમાં વરસાદના અભાવે મહામુલા પશુધનને બચાવવા રાજય સરકારના અથાક પ્રયાસો વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા કચ્છના ત્રણ નાયબ કલેકટર અને ત્રણ મામલતદારોને કચ્છમાં ઝડપભેર ઘાસ લાવવાની પરિસ્થિતિની ગંભીરતા પારખી રવાનગી કરાયાં બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહન રોજે-રોજ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને કચ્છમાં ઘાસની પરિસ્થિતિ ઝડપભેર થાળે પાડવા જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી અને બોટાદ ખાતેથી ઘાસની રોજ-બ-રોજ આવક થતી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

ગઇકાલે ૪થી સપ્ટેમ્બરે બપોર સુધીમાં ૬૨ ટ્રકસ રવાના કરાઇ હતી જેમાં જુનાગઢથી ૯, સુરેન્દ્રનગરથી ૮, ભાવનગરથી ૨૬, જામનગરથી ૫, અમરેલીથી ૮ અને બોટાદથી ૬ ટ્રક કચ્છ માટે લોડીંગ કરી ઘાસની રવાનગી કરાઇ હતી.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ પાંચમી સપ્ટેમ્બરે કચ્છના પશુધનની ઘાસની જરૂરિયાતને પહોંચી વળવા વધુ ૧૨૧ ટ્રક રવાના કરાયાં છે. જેમાં જુનાગઢથી ૧૫, સુરેન્દ્રનગરથી ૨૦, ભાવનગરથી ૩૧, જામનગરથી ૩૦, અમરેલીથી ૧૦ અને બોટાદથી ૧૫ ટ્રકો ભરીને કચ્છ ભણી ઘાસ મોકલવામાં આવે છે.

જામનગરથી ૬૦ હજાર કીલો, સુરેન્દ્રનગરથી ૮૦ હજાર કીલો, ભાવનગરથી ૧.૨૪ લાખ કીલો, જામનગરથી ૧.૨૦ લાખ કીલો, અમરેલીથી ૪૦ હજાર કીલો અને બોટાદથી ૬૦ હજાર કીલોના હિસાબે ૪.૮૪ લાખ કીલો ઘાસ તાત્કાલિક કચ્છ પહોંચાડાઇ રહયું છે.

કચ્છમાં ઘાસ ડેપો ખાતેથી વિતરણની પણ સુચારૂપણે ઘાસ વિતરણની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. જે મુજબ ૩૦મી ઓગષ્ટથી ૧લી સપ્ટે સુધીમાં અબડાસા તાલુકા માટે ૩૯ ટ્રક, ભચાઉ તાલુકા માટે ૩ ટ્રક , નખત્રાણા તાલુકા માટે ૧૨ ટ્રક, રાપર તાલુકા માટે ૧૨ ટ્રક, લખપત માટે ૨૩ ટ્રક અને ભુજ તાલુકાના હોડકા, ભીરંડીયારા સહિતના ગામો માટે ૮૦ ટ્રક મળી કુલ ૧૬૯ ટ્રકો ઘાસડેપોમાં મોકલવામાં આવી હતી. 

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર

મા ડ્રિંકિંગ વોટર:
20 રૂપિયામાં 20 લીટર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv