Skip to main content

ભુજ શહેરના રાવલવાડી રિલોકેશન મધ્યે આવેલી શાળા ૧૪ વર્ષના ગાળામાં જ જર્જરિત બની ગઈ છે.


ભુજ શહેરના રાવલવાડી રિલોકેશન મધ્યે આવેલી શાળા ૧૪ વર્ષના ગાળામાં જ જર્જરિત બની ગઈ છે. ભ્રષ્ટાચારના કારણે ૨૫૬ બાળકો અને ૧૧ શિક્ષકો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. તંત્રએ આ શાળા તોડી પાડવા તાજેતરમાં જ નિર્ણય લીધો છે, પરંતું બાળકો પરથી જીવનો ખતરો હટાવવા તંત્ર નક્કર કામગીરી ક્યારે કરશે તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બની રહ્યો છે.એક તરફ રાજ્ય સરકાર શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ સરકારી ગ્રાન્ટનો દુરઉપયોગ કરીને ભ્રષ્ટચાર થાય છે. કચ્છના પાટનગર ભુજ મધ્યે આવેલી રાવલવાડી પ્રાથમિક શાળામાં નબળી ગુણવતાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 14 વર્ષના ટૂંકા સમય ગાળામાં જ લાખોના ખર્ચે નિર્માણ પામેલી આ શાળા ભ્રષ્ટાચારના ભરડામાં ફસાઈ છે. શાળાની છતમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે.ભુજની રાવલવાડી રિલોકેશન સાઈટ ભૂકંપ બાદ નિર્માણ પામી છે. 

૨૦૦૪માં આ વિસ્તારમાં સરકારી શાળાનું નિર્માણ થયું હતું. જે તે સમયે શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના કારણે ૧૪ વર્ષના ગાળામાં જ આ શાળા જર્જરિત બની જતા ૨૫૬ બાળકો અને ૧૧ શિક્ષકો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. ઠેકઠેકાણેથી જર્જરિત બનેલી આ શાળાની ઈમારતના પોપડા ખરી રહ્યા છે. દરરોજ પોપડા ખરવાની ઘટના બનતા બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબુર છે. છેલ્લા બે વર્ષથી આ શાળાના ૧૪ ઓરડા અને શૌચાલયની છત પરથી પોપડા ખરી રહ્યા છે. ક્યારેક ચાલુ શાળાએ પોપડા ખરે છે ત્યારે ક્લાસરૂમમાં ભાગદોડ મચી જાય છે. શાળાની ઈમારત ભારે વરસાદ ઝીલી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી શાળાની ઈમારત ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય ઉભો થયો છે. નવાઈની વાત છે કે શાળાની ઈમારત નવી બનાવવા અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતા જીલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓએ શાળાની મુલાકાત લેવા સિવાય કશું જ નથી કર્યું. શાળાની મરંમતની ફાઈલ માત્ર સરકારી ટેબલો પર જ ફરી રહી છે. અનેક રજૂઆતો બાદ તંત્રએ આ શાળાને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. પરંતું આ નિર્ણય પર અમલવારી કયારે થશે તેનો સાચો જવાબ સ્થાનિકો અને જોખમ વચ્ચે શિક્ષણ કાર્ય કરતા શિક્ષકોને નથી મળી રહ્યો.


Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ : 
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા: 
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, 
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર 

મા ડ્રિંકિંગ વોટર: 
15 રૂપિયામાં 20 લીટર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv