Skip to main content

રાપર તાલુકાના બેલા ગામે ઐતિહાસિક કિલ્લો તંત્રની બેદરકારીને કારણે સંભારણું બની જવા જેવી સ્થિતિ: પુરાતત્વ ખાતા દ્વારા રીપેર કરાય તેવી લોકમાંગ

રાપર તાલુકા માં અનેક જૂની અને પ્રાચિન વસાહતો આવેલી છે જેમાં થી કેટલીક સંશોધન પણ માંગી રહી છે તો કેટલીક સરકાર કે પુરાતત્વ ખાતા ની નિષ્ક્રિયતાં નાં કારણે અસ્ત થાવાની તૈયારી છે જેમ હઃડ્પીય સંસ્કૃતિ નો વારસો સાચવી ને બેઠેલું ધોરાવિરા જયાં કેટલીક અસુવિધાઓ છે તેવું જ રાપર તાલુકા નાં અને પાકિસ્તાન થી માત્ર ૩૫ થી ૪૦ કિલો મિટર નાં અંતરે આવેલ સરહદીય બેલા ગામની ખુબજ દયનિય હાલત છે .આ બેલા ગામનાં ડુંગર પર જો રાતે ચડી એ તો પાકિસ્તાન ની લાઈટો નાં ઝગારા નજરે પડે છે અને સરહદ ની ચોકીઓ પણ નજરે આવે છે તેવો ડુંગર જે યુદ્ધ વખતે ભારતીય આર્મી ની અડીખમ દીવાલ બની સકે છે તે ડુંગર ની વર્ષો થી સરકાર દ્વારા અવગણના કરાઇ રહીછે તો જૂના રજવાડી સમય થી બેલા નો કિલ્લો એ કચ્છ ના વાગડ વિસ્તાર મા આવેલ પ્રાંથડ વિસ્તાર મા પ્રખ્યાત છે અને છેક પાકિસ્તાન ને અડી ને આવેલ વિસ્તાર એવા બેલા ગામ આવેલ છે એક સમય મા રાપર તાલુકા માં જ્યારે રાપર શહેર નું અસ્તિત્વ નહતું ત્યારે તાલુકા માં માત્ર ખરીદી માટે જૂજ ગામો હતાં જેમાં મોટી રવ અને એક બેલા હતુ અને આ ગામ ની જાહોજલાલી હતી અને અને તેની સાક્ષી હજી પણ બેલા ગામ મા જુના સમય ની બજાર હાલ પણ તેની સાક્ષી પૂરતી અડીખંભ ઉભીછે જ્યા કાપડ નો મોટો વેપાર હતો.

ભાગલા થયા બાદ બેલા ગામ ભારત નો એક ભાગ બનીને રહી ગયુ અને બેલા ની જાહોજલાલી નાશ પામી જેનાં કારણે મોટા ભાગ નાં વેપારીઓ.રાપર કે બીજે સ્થળે ચાલ્યા ગયા પરતુ આજેય બેલા મા લટાર મારવા નિકળી તો કલાત્મક અને ખુબ જુની બજાર જોવા મળેછે એક સમય મા બેલા ગામ મા જૈનો તેમજ વાઘેલા દરબાર રાજપુત વગેરે અઢાર વર્ણના લોકો રહેતા હતા અને બેલા નાં વિસાજી વાઘેલા એ ભુજ નાં તે સમય ના રાજવી તમાચીજી પાસે પરવાનગી લીધી હતી અને દરબાર ગઢ નો પાયો નાખ્યો હતો એ સમય મા ૧૬,૫૦૦ કોરી નો ખર્ચ થયો હતો જે ફાળો રૂપશી રાયસી મહેતાએ આપ્યો હતો અને બેલા દરબારગઢ ના બે દરવાજા હતા જેમાંથી એક વખત કોઈ અદર આવી જાય તો બહાર ના જઇ સકાતૂ નહીં અને જે જગ્યાએ થી જાય ફરીથી ઇજ જગ્યાએ આવી જાય બેલા ના મુળ દરવાજા ફતેગઢ નાં ફતેમામદ પોતાની સાથે છ બળદ ગાડા લઇ ને આવેલ અને ફતેહગઢ ગામમાં લઇ ગયો તો હતો ત્યાથી એમના દરવાજા બેલા ના એક ક્ષત્રિય રાજપુત યુવાને પોતાના ખભે ઊપાડીને ફતેગઢ થી લઇ આવ્યા હતા આ દરબારગઢમાં બે વસ્તી ના વાઘેલા દરબારો રહેતા હતા જેમાં એક સતાજી ની વસ્તી અને બીજી જેસાજી ની વસ્તી છે.જે ધરતીકંપ પહેલા આ દરબારગઢ મા રહેતા હતા પરંતુ ધરતીકંપ બાદ આ કિલ્લો જર્જરીત થઈ જવાથી સતાજી અને જેસાજી ના વંશજો ગઢ બહાર રહેવા જતા રહયા અને કિલ્લો આજેય જર્જરીત હાલતમા ઉભો છે ધરતીકંપ બાદ કચ્છ ના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા આ કિલ્લો જોવા આવેલા અને સરકારી ખર્ચ માથી રિપેર કરશે તેવી બાહેધરી આપી હતી પરતુ હંમેશની જેમ બાંહેધરી પોકળ નીકળી ત્યારબાદ અમુક કારણોસર આ કિલ્લાનુ સમારકામ આમજ રહી ગયુ હજી પણ વહેલી તકે જો સમારકામ હાથ ધરાય તો કિલ્લો બચાવી શકાય તેમછે અન્યથા આવનારી પેઢી ને ખાલી જૂની તસવીરો માંજ કિલ્લો બતાવી શકાશે અને ઐતિહાસિક ઇમારત ની માત્ર યાદો રહી જશે ત્યારે ગુજરાત પ્રવાસન નિગમ અને પુરાતત્વ ખાતાએ વિચારવું જોઈએ અને એક પર્યટક સ્થળ તરીકે આ સ્થળને વિકસાવવું જોઈએ અને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવું જોઈએ અને વહીવટી તંત્ર તથા રાજકીય હોદ્દેદારોએ પુરાતત્વ ખાતા પાસે રજુઆત કરી આ ઐતિહાસિક કિલ્લાની જાણવણી બાબતે યોગ્ય કરવાની બેલા તથા આસપાસના ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ : 
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા: 
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, 
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર 

મા ડ્રિંકિંગ વોટર: 
15 રૂપિયામાં 20 લીટર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv