Skip to main content

WhatsAppમાં આવ્યું નવું ફીચર, કોપી મારેલા મેસેજ પકડશે...

મેસેજિંગ એપ વોટ્સએપ 'ફોરવર્ડ લેબલિંગ' નામનું નવું ફીચર લાવ્યું છે. આ ફીચર ખાસ કરીને વાતાવરણ ડોહળતાં ફોરવર્ડ મેસેજને રોકવામાં અને વાસ્તવિકતા સમજવામાં મદદ કરશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના 2.18.179 બેટા વર્ઝનમાં છે. આ અપડેટ પછી ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજ પર ફોરવર્ડેડ લખેલું લેબલ આવી જશે. આ લેબલ દ્વારા યૂઝર સમજી શકશે કે કયા મેસેજ કોપી મારીને ફોરવર્ડ કરવામાં આવ્યા ને કયા મેસેજ કમ્પોઝ કરવામાં આવ્યા છે.

ફોરવર્ડેડ લખેલું લેબલ સેન્ડર અને રીસિવર બંનેને મળશે. ધારો કે, તમને કોઇ મેસેજ આવ્યો ને તમે તે મેસેજને આગળ અન્ય કોઇ કોન્ટેક્ટને મોકલશો તો તમને અને સામેવાળી વ્યક્તિને દેખાશે કે તે મેસેજ ઓરિજિનલ કે તમે જાતે કમ્પોઝ કરેલો નથી, પરંતુ ફોરવર્ડ કરેલો છે. અહેવાલ અનુસાર, આ ફોરવર્ડ લેબલને ડિસેબલ કરવાનો ઓપ્શન નથી. ખાસ કરીને ફેક ન્યૂઝ અને ખોટી માહિતી વોટ્સએપ દ્વારા ઝડપથી સ્પ્રેડ થતી હોય છે અને તેવામાં વોટ્સએપ પર સવાલ ઉઠતા હોય છે. તેવામાં કંપની આ ફીચર લાવી છે જેના દ્વારા ખોટા અને ભ્રામક ફોરવર્ડ થતાં અટકે.


ઓડિયો મેસેજ માટે નવું અપડેટ
વોટ્સએપ ઓડિયો મેસેજ માટે નવું અપડેટ લાવ્યું છે. વોટ્સએપે યૂઝર્સને લૉક વોઇસ રેકોર્ડિંગ ફીચર આપ્યું છે. ખાસ વાત એ છે કે, આ વખતે લૉક વોઇસ રેકોર્ડિંગનું ફીચર તમામ યૂઝર્સ માટે રીલિઝ કરવામાં આવ્યું છે. અગાઉ વોટ્સએપમાં કોઇને તમારે વોઇસ મેસેજ કરવો હોય તો તમારે માઇકવાળા સિમ્બોલને સતત પ્રેસ કરીને રાખવું પડતું હતું, પરંતુ નવા અપડેટ પછી માઇકવાળા સિમ્બોલને પ્રેસ કરીને ઉપર સ્લાઇડ કરવાથી મેસેજ રેકોર્ડ થવા લાગશે અને તમારે સિમ્બોલ સતત પ્રેસ કરી રાખવાની જરૂર નહીં પડે.

જ્યારે યૂઝર લૉક વોઇસ મેસેજનો યૂઝ કરશે ત્યારે તેને સ્ક્રીન પર કેન્સલ અને સેન્ડનો ઓપ્શન દેખાશે. જેથી મેસેજ રેકોર્ડ થઇ જાય પછી યૂઝરે સેન્ડ પ્રેસ કરવાનું રહેશે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,

97252 06123 - 37,

72260 06124 - 33,


Youtube : maa news live,

Android app : maa news.

Blog : maanewslive. blogspot. com

Facebook : maa news live page / group

Twitter : @jaymalsinhB

Email : jaymalsinhjadeja@gmail.com


Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv