દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર ને લઈને એક ચોકાવનારા નિવેદને ભાજપની ઉંધ ઉડાવી દીધી છે. જેમાં પણ જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની પૂર્વ અધ્યક્ષ Shehla Rashid એ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને RSS પર PM Modi ની હત્યાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ મુક્યો છે. જેના પગલે શેહલા અને ગડકરી વચ્ચે ટ્વીટર પર જંગ છેડાયુ છે.
શેહલા રશીદે ટ્વિટમાં લખ્યું છે કે આરએસએસ અને નીતિન ગડકરી પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. આમને જુઓ બાદમાં મુસલમાનો અને કમ્યુનિસ્ટો પર આરોપો લગાવો અને પછી મુસ્લિમોનું લિંચિંગ કરો.
જયારે શેહલાના ટ્વિટથી આક્રોશમાં આવેલા ગડકરીએ એ નામ લીધા વગર ગડકરીએ લખ્યું, હું અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જઈ રહ્યો છું જેમણે મારા પર પીએમ મોદીને હત્યાના કાવતરાનો આક્ષેપ મુક્યો છે.
જો કે આ બધા વચ્ચે શહેલાએ જેએનયુ સ્ટુડન્ટ ઉમર ખાલિદનો મુદ્દો ઉઠાવ્યો. શેહલાએ બીજી ટ્વિટમાં લખ્યું, વિશ્વની સૌથી મોટી પાર્ટીના નેતા એક વ્યંગાત્મક ટ્વિટથી ઉત્તેજિત થઈ ગયા. જરા વિચારો એક નિર્દોષ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને તેના પિતાને કેવું લાગશે જ્યારે તેમને જૂઠ્ઠા આરોપ બદલ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ગડકરી રાહુલ શિવશંકર પર કાર્યવાહી કરશો ?
Comments
Post a Comment