શહેરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયાની ઘટના બની છે, ઘાટકોપર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયાની ખબરો મળી રહી છે. પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે, બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.
ઘાટકોપર પાસે આવેલા સર્વોદયા નગરમાં આવેલી જાગૃતિ બિલ્ડિંગ પાસે આ પ્લેન ક્રેશ થયું છે. આ અંગે વધુ તપાસ શરુ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે તે એક કંસ્ટ્રક્શન સાઈટ છે. હાલ વિમાનના ક્રેશ થવાના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખબરોનું માનીએ તો જુહુ એરપોર્ટ તરફ આ પ્લેન જઈ રહ્યું હતું અને તે જેવું ક્રેશ થયું કે તેમાં આગ લાગી ગઈ, પછી વિમાન સીધું નીચે પડ્યું.
ખબરો એવી સામે આવી રહી છે કે આ અગાઉ યુપી સરકારનું પ્લેન હતું પણ પછી તેને એક ખાનગી કંપનીને વેચી દેવામાં આવ્યું હતું. અને તેનો પ્રાઈવેટ પ્લેન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. અને પ્લેન ટેસ્ટ દરમિયાન ઉડાડવામાં આવ્યું હતું અને ત્યારે તેમાં પાઈલોટ સહિત ટેક્નિકલ ટીમ સાથે કુલ 4 લોકો સવાર હતા જેમનું દુર્ઘટનામાં મોત થયું જ્યારે એક રાહદારી પર આ પ્લેનનો કાટમાળ પડવાથી તેનું પણ મોત થયું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બુધવારે નાસિક પાસે સુખોઈ વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ કરવાનું હતું. જોકે, વાયુસેનાના પ્લેનમાં બનેલી ઘટનામાં બન્ને પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment