Skip to main content

મુંબઈ: ઘાટકોપરમાં ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ, પાંચ લોકોના મોત..

શહેરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયાની ઘટના બની છે, ઘાટકોપર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયાની ખબરો મળી રહી છે. પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે, બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.

ઘાટકોપર પાસે આવેલા સર્વોદયા નગરમાં આવેલી જાગૃતિ બિલ્ડિંગ પાસે આ પ્લેન ક્રેશ થયું છે. આ અંગે વધુ તપાસ શરુ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે તે એક કંસ્ટ્રક્શન સાઈટ છે. હાલ વિમાનના ક્રેશ થવાના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખબરોનું માનીએ તો જુહુ એરપોર્ટ તરફ આ પ્લેન જઈ રહ્યું હતું અને તે જેવું ક્રેશ થયું કે તેમાં આગ લાગી ગઈ, પછી વિમાન સીધું નીચે પડ્યું.

ખબરો એવી સામે આવી રહી છે કે આ અગાઉ યુપી સરકારનું પ્લેન હતું પણ પછી તેને એક ખાનગી કંપનીને વેચી દેવામાં આવ્યું હતું. અને તેનો પ્રાઈવેટ પ્લેન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. અને પ્લેન ટેસ્ટ દરમિયાન ઉડાડવામાં આવ્યું હતું અને ત્યારે તેમાં પાઈલોટ સહિત ટેક્નિકલ ટીમ સાથે કુલ 4 લોકો સવાર હતા જેમનું દુર્ઘટનામાં મોત થયું જ્યારે એક રાહદારી પર આ પ્લેનનો કાટમાળ પડવાથી તેનું પણ મોત થયું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બુધવારે નાસિક પાસે સુખોઈ વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ કરવાનું હતું. જોકે, વાયુસેનાના પ્લેનમાં બનેલી ઘટનામાં બન્ને પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર

મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv