જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દિલ્હીમાં ભાજપના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં પીડીપી સાથેનું ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રદેશના નેતાઓના કહેવા પ્રમાણે, પ્રધાનોએ રાજીનામું આપી દીધું છે અને આ અંગે રાજ્યપાલને પણ જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વના પગલાનું અમે સ્વાગત કરીએ છીએ. પીડીપીના નેતા નઇમ અખ્તરે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું કે મહેબૂબા મુફ્તી રાજીનામું આપી દેશે અને સાંજે પત્રકારો સાથે વિસ્તૃત વાત કરશે. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય મંત્રી કવિન્દર ગુપ્તા, ત્યાંના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા અમિત શાહે કરી હતી.

જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રભારી રામ માધવે કહ્યું હતું, "પીડીપી સાથે આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું. ગઠબંધન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રદેશમાં શાંતિ અને વિકાસનો હતો. જમ્મુ-કાશ્મીરના ત્રણેય ભાગમાં (જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ) વિકાસ કરવાનું તેમનું લક્ષ્ય હતું. જેમાં ભારે પ્રમાણમાં કાશ્મીરમાં ઘાટીમાં આતંકવાદ વધ્યો છે અને કટ્ટરવાદ વકર્યો છે. માધવે ઉમેર્યું હતું કે રમઝાન મહિનામાં અમે શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયત્નો કર્યા. રમઝાન મહિનામાં સંઘર્ષ વિરામ લાગુ કરવામાં આવ્યો, પરંતુ તેમાં શાંતિ સ્થપાઈ નહીં અને પરિસ્થિતિ બગડતી ગઈ. મહેબૂબા મુફ્તી પરિસ્થિતિને સંભાળી શક્યાં નહીં. કાશ્મીરમાં જે કામ કરવા ઇચ્છતાં હતાં તે ના થઈ શક્યાં. સ્થિતિ પર કાબુ મેળવવા માટે રાજ્યપાલનું શાસન લાવવામાં આવે અને સ્થિતિને સુધારવા માટે પ્રયાસ કરવામાં આવે. રામ માધવે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં મૂળભૂત હકો જ ખતરામાં છે. પત્રકાર શુજાત બુખારીની શ્રીનગરમાં ધોળા દિવસે હત્યા થાય અને તેમના હત્યારાને પકડવામાં સમય જતો રહે, તે ચિંતાજનક છે.

જે પરિસ્થિતિ બની રહી છે તેમાં પ્રેસ ફ્રિડમ અને ફ્રિડમ ઑફ સ્પીચ ખતરામાં આવી ગયાં છે. ભાજપે વર્તમાન સમયમાં રાજ્યપાલ શાસન લાદવાની માગ કરી છે. ભાગલાવાદી નેતાઓએ બુધવારે પૂર્ણ બંધનું એલાન આપ્યું છે. પત્રકાર શુજાત બુખારીની હત્યાના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ પહેલા સોમવારે રમઝાન પૂર્ણ થયા બાદ સિક્યુરિટી એજન્સીઝે આતંકવાદીઓ સામે આક્રમક કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય જમ્મુ, લદ્દાખ અને કાશ્મીર એમ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ બાદ જમ્મુમાં ભાજપને (25), કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (28) ને તથા નેશનલ કોન્ફરન્સને (15) કાશ્મીર અને લદ્દાખમાં સફળતા મળી હતી. જ્યારે 12 બેઠકો સાથે કોંગ્રેસ ચોથા ક્રમે રહી હતી. ત્રિશંકૂ વિધાનસભામાં ભાજપ અને પીડીપીના ગઠબંધન બાદ સત્તા મુદ્દે ગૂંચ ઉકેલાઈ હતી.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment