ગાંધીધામ-મુન્દ્રા અને અંજાર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય છત્રછાયા હેઠળ આકાર પામેલી અનેક રેસીડેન્સીની મંજૂરી તથા પ્રક્રિયામાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાયો છે. સરકારી તંત્રોના આંખ આડા કાનની નીતિના કારણે આવા ડેવલોપર્સના કારસ્તાનમાં સામાન્ય લોકો ભોગ બની રહ્યા છે.
ગયા મહિને બાગેશ્રી ટાઉનશીપના સંચાલકો દ્વારા જીડીએના ખોટા સહી-સિક્કા કરવા અંગે ગુન્હો દાખલ થતા હાલ લોકો આવી પ્રોપર્ટીઓ ખરીદતા વિચાર કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે જે ૧૯ પ્લોટની બનાવટી રજા ચીઠ્ઠી બનાવામાં આવી છે તે તમામની બેંકની લોન લેવામાં આવી હતી. અલગ-અલગ બેંકોએ પણ જેતે વખતે યોગ્ય રીતે ખરાઈ કર્યા વગર લોન આપી દીધી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે આ પ્લોટના માલિકો વિચિત્ર સ્થિતીમાં મુકાયા છે. આ અંગે મળતી વિગતો મુજબ વરસામેડી સીમ સર્વે નં. ૪૭૪માં બાગેશ્રી ટાઉનશીપના પ્લોટ નં. ૧૩૫થી ૧૫૪ સુધીની જીડીએની રજા ચીઠ્ઠી બનાવટી ઉપજાવવામાં આવી હતી. આ અંગે ખૂદ જીડીએ દ્વારા બાગેશ્રી ડેવલોપર્સના ડીરેક્ટર બીજલ મહેતા સામે જાલી દસ્તાવેજોનો ગુન્હો પણ નોંધાવાયો હતો. આ પ્રકારની છેતરપીંડીએ ગાંધીધામ સંકુલમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. ડીરેક્ટરો દ્વારા તો જીડીએના ડુપ્લીકેટ સહી-સિક્કા કર્યા પરંતુ બેંકોએ પણ યોગ્ય તપાસ કર્યા વગર લોન આપી દીધી હોવાનું બહાર આવ્યું છે. કારણ કે આ ૧૯ પ્લોટોની લોન પણ આ ડુપ્લીકેટ રજા ચીઠ્ઠી પરથી જ લેવામાં આવી હતી. જેના પગલે અમુક બેંકોએ પણ આ ભ્રષ્ટાચારમાં જાણી-જોઈને આંખ આડા કાનની નીતિ અપનાવી હોવાની શક્યતા છે. અનેક બેંકો જરૃરી દસ્તાવેજો અને આધાર પુરાવા વગર ભુતકાળમાં લોન પાસ કરતી હતી. હરીફાઈ તથા બેંકોને મળેલા ટાર્ગેટના કારણે નિયમોમાં બાંધછોડ કરવામાં આવતી હતી. વળી કેટલીક બેંકોમાં અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી હોવાથી આ પ્રકારની લોન અપાતી હતી. ત્યારે આ કૌભાંડમાં બેંકો દ્વારા ક્યાં ચૂક થઈ તેની પણ તપાસ જરૃરી છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment