Skip to main content

બાગેશ્રી ટાઉનશીપ કૌભાંડ : નકલી રજાચીઠ્ઠી ઉપર મોટી લોન લેવાઈ!

ગાંધીધામ-મુન્દ્રા અને અંજાર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય છત્રછાયા હેઠળ આકાર પામેલી અનેક રેસીડેન્સીની મંજૂરી તથા પ્રક્રિયામાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાયો છે. સરકારી તંત્રોના આંખ આડા કાનની નીતિના કારણે આવા ડેવલોપર્સના કારસ્તાનમાં સામાન્ય લોકો ભોગ બની રહ્યા છે.

 ગયા મહિને બાગેશ્રી ટાઉનશીપના સંચાલકો દ્વારા જીડીએના ખોટા સહી-સિક્કા કરવા અંગે ગુન્હો દાખલ થતા હાલ લોકો આવી પ્રોપર્ટીઓ ખરીદતા વિચાર કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે જે ૧૯ પ્લોટની બનાવટી રજા ચીઠ્ઠી બનાવામાં આવી છે તે તમામની બેંકની લોન લેવામાં આવી હતી. અલગ-અલગ બેંકોએ પણ જેતે વખતે યોગ્ય રીતે ખરાઈ કર્યા વગર લોન આપી દીધી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે આ પ્લોટના માલિકો વિચિત્ર સ્થિતીમાં મુકાયા છે. આ અંગે મળતી વિગતો મુજબ વરસામેડી સીમ સર્વે નં. ૪૭૪માં બાગેશ્રી ટાઉનશીપના પ્લોટ નં. ૧૩૫થી ૧૫૪ સુધીની જીડીએની રજા ચીઠ્ઠી બનાવટી ઉપજાવવામાં આવી હતી. આ અંગે ખૂદ જીડીએ દ્વારા બાગેશ્રી ડેવલોપર્સના ડીરેક્ટર બીજલ મહેતા સામે જાલી દસ્તાવેજોનો ગુન્હો પણ નોંધાવાયો હતો. આ પ્રકારની છેતરપીંડીએ ગાંધીધામ સંકુલમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. ડીરેક્ટરો દ્વારા તો જીડીએના ડુપ્લીકેટ સહી-સિક્કા કર્યા પરંતુ બેંકોએ પણ યોગ્ય તપાસ કર્યા વગર લોન આપી દીધી હોવાનું બહાર આવ્યું છે. કારણ કે આ ૧૯ પ્લોટોની લોન પણ આ ડુપ્લીકેટ રજા ચીઠ્ઠી પરથી જ લેવામાં આવી હતી. જેના પગલે અમુક બેંકોએ પણ આ ભ્રષ્ટાચારમાં જાણી-જોઈને આંખ આડા કાનની નીતિ અપનાવી હોવાની શક્યતા છે. અનેક બેંકો જરૃરી દસ્તાવેજો અને આધાર પુરાવા વગર ભુતકાળમાં લોન પાસ કરતી હતી. હરીફાઈ તથા બેંકોને મળેલા ટાર્ગેટના કારણે નિયમોમાં બાંધછોડ કરવામાં આવતી હતી. વળી કેટલીક બેંકોમાં અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી હોવાથી આ પ્રકારની લોન અપાતી હતી. ત્યારે આ કૌભાંડમાં બેંકો દ્વારા ક્યાં ચૂક થઈ તેની પણ તપાસ જરૃરી છે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB

Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv