Skip to main content

ગાંધીધામથી ૩૦ જૂન સુધીમાં હમસફર એક્સપ્રેસ શરૃ થઈ જશે, લડત મોકૂફ

ગાંધીધામ-તીરૃનવેલ્લી વચ્ચે જાહેરા થયેલી હમસફર એક્સપ્રેસ પીએમઓની મંજુરીના કારણે વિલંબમાં મુકાઈ હોવાની વાત સામે આવી રહી છે. તેવામાં સરકારી તંત્રો અને રેલવે વિભાગ કંઈ ફોડ પાડતું ન હોવાથી કચ્છ મલયાલમ વેલ્ફેર એસોસીએશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ અંગે મળેલી બેઠકમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ અને મલયાલમ સામાજના પ્રમુખને સાંસદે તા.૩૦/૬ સુધીમાં આ ટ્રેન ચાલુ થઈ જવાની ખાતરી આપતા હાલ પુરતી રેલી મોકૂફ રાખવામાં આવી છે. સરકાર દાવા પ્રમાણે ટ્રેન ચાલુ નહી કરે, તો ફરી આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.


આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ-તીરૃનવેલ્લી વચ્ચે બે વર્ષ પહેલા સ્પેશિયલ ટ્રેન શરૃ કરવામાં આવી હતી. આ ટ્રેનને પ્રવાસીઓ મળી રહેતા હોવાથી રેલવે દ્વારા આ સ્પેશિયલ ટ્રેન અંદાજે એકાદ વર્ષ ચલાવી હતી. આ ટ્રેનના કારણે કચ્છમાં વસતા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તામીલનાડુના લોકોને રાહત થઈ હતી. ત્યારબાદ ગત ઓક્ટોબરમાં આ ટ્રેનને હમસફર બનાવવાની જાહેરાત થતા આ લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. હમસફર ટ્રેન ચાલુ કરવાની જાહેરાત થતા ચાલુ સ્પેશિયલ ટ્રેન રેલવે વિભાગે બંધ કરી દીધી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે આ ટ્રેન ઓક્ટોબરમાં ચાલુ કરી શકાઈ ન હતી. ત્યાર બાદ આ ટ્રેન ભેદી સંજોગોમાં ચાલુ કરવામાં આવતી ન હતી. ખુદ રેલવે વિભાગના એક ઉચ્ચ અધિકારીએ પીએમઓની મંજુરીના કારણે ટ્રેન શરૃ થવામાં વિલંબ થઈ રહ્યો છે તેવું જણાવ્યું હતું. જેતે વખતે એપ્રીલમાં ટ્રેન શરૃ થઈ જવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આ ટ્રેન શરૃ નહી થતા મલયાલમ સમાજ દ્વારા ગાંધીધામ રેલવે સ્ટેશન સુધી રેલીનું આયોજનની તૈયારી કરવા ગુરૃવારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે એક બેઠક બોલાવામાં આવી હતી. જેમા ચેમ્બરના હોદેદારો, કચ્છ તામીલ વેલ્ફેર એસોસીએશન, કચ્છ કર્ણાટક સંઘ, માનવતા ગુ્રપ, શ્રી નારાયણ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ જોડાઈ હતી. જેમાં આગામી રેલીની ચર્ચા કરાઈ હતી. પરંતુ ચાલુ બેઠકમાં જ ચેમ્બરના પ્રમુખ બાબુભાઈ હુંબલ તથા કચ્છ મલયાલમ વેલ્ફેર એસોસીએશનના પ્રમુખ વી.પી.કે.ઉન્ની મેનને કચ્છના સાંસદે તા.૩૦/૬ સુધીમાં ટ્રેન ચાલુ થઈ જવાની ખાતરી આપી હતી. અને જેથી રેલી મોકુફ રાખવા અપીલ કરી હતી. જેના પગલે તા.૩૦/૬ સુધીમાં રેલી મુલતવી રાખવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. તા.૩૦/૬ સુધીમાં ટ્રેન ચાલુ નહી કરાય તો ફરી રેલી યોજવા સહિતના પગલા અંગે બેઠક બોલાવામાં આવશે.


- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB

Email : jaymalsinhjadeja@gmail.com


Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv