જાણવા મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના પદમપરની સીમમાં એક નીલગાય મૃત હાલતમાં મળી આવી હતી. આસપાસના લોકોએ વન તંત્રને જાન કરતા અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા ને સમગ્ર બાબતે તપાસ આદરી હતી તેમજ નીલગાયના અવશેષો એકત્ર કરી ને પોસ્ટ મોર્ટમ કરવા અર્થે મોકલી દેવાયા હતા.
પ્રાથમિક માહિતી માં અધિકારી એ જણાવ્યું હતું કે આ અવશેષો બે માસ જેટલા જુના લાગે છે અને આ નીલગાયનું મોત વીજ શોક લાગવાના કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ આસપાસમાં રહેતા સ્થાનિકો એવો આક્ષેપ કરે છે કે અહી નીલગાયનો શિકાર થતો જ રહ્યો છે પરંતુ તંત્ર શા માટે ચુપકીદી સાધી ને બેઠું છે તે સમજાતું નથી.
ગામ લોકો એ વધુમાં જણાવ્યું હતું કે આ નીલગાયનું મોત વીજ શોક ને લીધે નહિ પરંતુ શિકાર થી જ થયું હશે. સ્થાનિકો દ્વારા આવા આક્ષેપ થી લોકો જરૂર થી અસમંજસ માં મૂકાઈ જશે કે ખરેખર તથ્ય શું છે? સત્ય જે હોય તે પરંતુ નીલગાયના અવશેષો ના પોસ્ટ મોર્ટમ બાદ જ સત્ય હકીકત બહાર આવશે..

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment