Skip to main content

એરપોર્ટના ખાનગીકરણ, પીપીપી મોડલ,મેઇન્ટેનન્સનો ફ્લોપ શો થતા હવે ખાનગીકરણ નહી થાય

અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડેવલોપમેન્ટને લઇ કોઇ નક્કર નિર્ણય લઇ શકાતો નથી. છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટના ડેવલોપમેન્ટ લઇ આખો પ્રોજેક્ટ ઘોઁચમાં મુકાયો છે. છેલ્લે ઓથોરિટીએ ખાનગીકરણ અને પીપીપી મોડલની પ્રક્રિયા રદ કરતા ફક્ત મેઇન્ટન્સ માટે બીડ મંગાવ્યા હતા પરંતુ કોઇ ખાસ કંપનીઓ ન આવતા ઓથોરિટી ખુદ મુંઝવણમાં મુકાઇ છે. બીજીતરફ એરપોર્ટના વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે કે હવે ખુદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) જ એરપોર્ટનું મેઇન્ટેન્સ કરી ડેવલોપ કરે તેવી શક્યતાઓ છે.



તે દિશામાં ઓથોરિટીએ ચક્રો ગતિમાન કર્યા છે. અને હવે કોઇપણ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ નહીં થાય તેવુ એએઆઇના ચેરમેન ગુરૃપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યુ હતું. અમદાવાદ એરપોર્ટનું સૌ પ્રથમ ખાનગીકરણની જાહેરાત કર્યા બાદ આખી પ્રક્રિયા ફેરવી નાંખી સિંગાપોરના ચાંગી મેનેજમેન્ટને આપવાનું નક્કી કર્યુ હતુ તેનો પણ ફ્લોપ શો થયા બાદ પીપીપી મોડલ પર ફક્ત એરપોર્ટનો ચેકઇન એરિયા સહિત અમુક જ ભાગ મેઇન્ટેનન્સ કરવા પ્રાઇવેટ કંપનીઓ પાસે બીડ મંગાવ્યા હતા પરંતુ ટેન્ડરની પોલીસી મુજબ ખાસ કોઇ કંપનીઓએ રસ ન દાખવતા હવે એરપોર્ટ ઓથોરિટી ખુદ મુંઝવણમાં મુકાઇ છે. એરપોર્ટના વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે કે એરપોર્ટના મેઇન્ટેનન્સ માટે કોઇ કંપનીઓ નહી આવે તો ખુદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ મેઇન્ટેનન્સ કરશે. આમ એરપોર્ટના સર્વે કરાયા બાદ કેટલો ખર્ચ થશે તે મુજબ ફંડ જાહેર કરે તેવી શક્યતાઓ છે. આ ફંડમાંથી ઓથોરિટી પ્રવાસીઓને નવી સુવિધાઓ પુરી પાડશે. આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરૃપ્રસાદ મહાપાત્રએ જણાવ્યુ કે 'અમે એરપોર્ટના મેઇન્ટેનન્સ માટે અગાઉ જે ટેન્ડર પ્રક્રિયામાં શરતો હતી તેમાં સુધારો કરવાનું વિચારી રહ્યા છીએ. જેથી કોઇ ખાનગી કંપની મેઇનન્ટેન્સ માટે રસ દાખવી શકે, અલબત્ત તેમ છતાં કોઇ કંપની મેઇન્ટેનન્સ માટે નહી આવે તો ઓથોરિટી કેન્દ્ર સરકારે પાસે જરૃરી ફંડની દરખાસ્ત કરી ડેવલોપ કરશે. આ ફંડ કેટલું જાહેર કરવુ તે સર્વે કર્યા બાદ ખાસ ટીમ નક્કી કરશે. નોંધનીય છે કે આમ છેલ્લા કેટલાક વર્ષથી એરપોર્ટના લટકેલા પ્રોજેક્ટનો આખરે અંત આવશે. એરપોર્ટના ડેવલોપમેન્ટ તરફ આગળ વધશે. એરપોર્ટની આસપાસ ખુલ્લી જમીન મળે તો જ કંપીનીઓ આવે સુત્રો જણાવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટમનલની અંદર જ મુસાફરોની સુવિધા માટે મેઇનન્ટેનન્સ કરવાનું હોવાથી કંપનીઓને ખાસ કોઇ ફાયદો થાય તેમ નથી. પહેલા એરપોર્ટના ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી તેમા ૧૧ કંપનીઓ રેસમાં હતી જેનું કારણ એ છે કે એરપોર્ટની આસપાસ તેમજ સર્કલથી ટમનલમાં આવતા આજુબાજુ મોકાની વિશાળ જમીન છે જેથી જમીન પર કોઇ હોટલ કે મોલ્સ ઉભા કરાય તો ખાનગી કંપનીઓ લાંબાગાળે આ્થિક ફાયદો થાય તેમ હતો પરંતુ જો ઓથોરિટી આમ કરે તો કેન્દ્ર સરકાર હસ્તક કંઇ જ રહે નહી. આમ ઓથોરિટીએ પોતાના હસ્તક મેનેજમેન્ટ રાખવા એરપોર્ટનો અમુક જ ભાગ મેઇન્ટેન્સ માટે આપવાની જાહેરાત કરી હતી પરંતુ તેમાં કંપનીઓ પાછી પાની કરી રહી છે.


- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB

Email : jaymalsinhjadeja@gmail.com



Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv