અંજાર તાલુકાના રતનાલ ગામે જળસંચય અભિયાન અંતર્ગત રતનાલ ગ્રામ પંચાયત અને રતનાલ સ્પોર્ટસ કલબે સંયુકત રીતે નકાસરી તળાવને ઊંડું કરવાનું બીડું ઉપાડ્યું છે. રતનાલ સરપંચ સરીયાબેન ત્રિકમભાઈ વરચંદ અને ઉપસરપંચ રાણીબેન શામજીભાઈ માતાના જણાવ્યા અનુસાર સુજલામ-સુફલામ જળસંચય અભિયાનમાં સામેલ થવાની નેમ સાથે ગ્રામ પંચાયત અને રતનાલ સ્પોર્ટસ કલબ દ્વારા સંયુકત રીતે સ્વેચ્છાએ ગામ લોકો દ્વારા ત્રણ જેસીબી અને ૧૫ ટ્રેકટર લગાડીને નકાસરી તળાવને ઊંડું કરવાનું નકકી કરી જળસંચયના કાર્યને આગળ ધપાવાઇ રહયું છે.

(તસ્વીર માત્ર પ્રતીકાત્મક)
જિલ્લા કલેકટર રેમ્યા મોહનને પાઠવેલ પત્રમાં તેમણે અન્ય ગામોને પણ પ્રેરણા મળી રહે તે માટે જળસંચય અભિયાનના માસ્ટર પ્લાનમાં રતનાલ ગ્રામ પંચાયત તથા રતનાલ સ્પોર્ટસ કલબ દ્વારા સંયુકતપણે કરાઇ રહેલી જળસંચય કામગીરીને માસ્ટર પ્લાનમાં સમાવિષ્ટ કરવા વિનંતી પણ કરી છે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment