આજરોજ તેમના પ્રવાસના બીજા દિવસે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે લુણવા ખાતે સુજલામ- સુફલામ અંતર્ગત તળાવ ઉડું કરવાના કામનો શાસ્ત્રોકતવિધિએ પ્રારંભ કરાવતા જળસંચયના મહાઅભિયાનમાં ૧૦૦ ટકા કામગીરી સાથે કચ્છ પ્રદેશ અવ્વલ રહેશે તેવો તેમનો અદમ્ય વિશ્વાસ જનમેદનીના ગગનભેદી હર્ષોલ્લાસ વચ્ચે વ્યકત કર્યો હતો.
તેમણે રાજયભરમાં જળ સમસ્યાથી સૌથી વધુ પિડીત કચ્છની વેદના લાગણી સભર વર્ણવતા સંવેદનશીલ તેમની સરકારે જળસંચય અભિયાન શરૂ કર્યુ છે ત્યારે જળસંગ્રહમાં, જળ બચાવમાં વ્હાલ સોયા કચ્છ પ્રદેશ રાજય, દેશ, દુનિયાને નવીનત્તમ દિશા નિર્દેશ આપનારો બની રહેશે તેવો તેમનો અંતરનાદ દોહરાવ્યો હતો.
શ્રી આહિરે ઓણની સાલ પ્રભુ એવો વરસસેને જળ સંચયની મહેનત લેખે લાગશે, કચ્છડો પુનઃ લીલોછમ, હર્યો ભર્યો થઇને જ રહેશે તેવી હદયપૂર્વકની પ્રાર્થના કરતાં ઉપસ્થિતોને જળસંચય, જળબચાવ માં તન, મન અને ધનથી સહયોગ આપવા સંકલ્પબધ્ધ કર્યા હતા.
તેમના પ્રવચનના અંતમાં શ્રી આહિરે લોકજીવનની મુંઝવણ દુર કરવા ખડેપગે રહયા છે અને રહેશે તેવો અંતરનાદ વ્યકત કરતાં સર્વ ભવન્તુઃ સુખીન, સર્વ સંતુઃ નિરામયાનો જયનાદ કર્યો હતો.
આ પહેલા પાંકડસર જાગીરના જગમશહુર જળાશયમાં ચાલતા કામની મુલાકાત લઇ હાથ ધરાયેલ કામગીરીનું પૂ.બાપુશ્રી કૃષ્ણાનંદબાપુ તેમજ આગેવાનો સાથે નિરીક્ષણ કરતાં જળાશયની સુવિખ્યાત જીવસૃષ્ટિ કાચબા તેમજ જળસર્પો માટે જાગીર દ્વારા પાણીની ખાસ વ્યવસ્થા લધુ જળાશય ઉભું કરી આદરેલ જીવદયા પ્રવૃતિની તેમણે દિલોજાનથી પ્રસંશા કરતા ગુરૂવંદના, પૂ.બાપુના આર્શિવાદ મેળવ્યા હતા.બાદ મંત્રીશ્રીએ મોગલધામની મુલાકાત લઇ મહંતબાપુના આર્શિવાદ મેળવ્યા હતા.
તે પહેલા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ખારોઇ ખાતેના રાવસર તળાવને ઉંડા કરવાના કામનું નિરીક્ષણ કરતાં સમગ્ર કાર્યમાં પ્રાણ પુરનાર ખારોઇ ગ્રામ વિકાસ મિત્રમંડળ તથા ફટક પરિવારને હદયપૂર્વકના અભિનંદનો પાઠવ્યા હતા.
આ પ્રસંગે ખારોઇ સરપંચશ્રી શિવુભા જાડેજા, અગ્રણીશ્રી હેમભા જાડેજા, ઘેટા અને ઉન વિકાસ નિગમના શ્રી અરજણભાઇ રબારી, પૂર્વ ભાડા અધ્યક્ષશ્રી વિકાસ રાજગોર, ભચાઉ તાલુકા પંચાયત કારોબારીશ્રી નરેન્દ્રદાન ગઢવી, વરિષ્ઠ અગ્રણીશ્રી મહેન્દ્રસિંહ જાડેજા, દિલુભા જાડેજા, રાજુભાઇ ઉમરાણીયા, રમેશભાઇ લોહાર, બુધુભા બાપુ, રાણાભાઇ આહીર, કબરાઉ સરપંચશ્રી કાનાભાઇ જગાભાઇ, તા.પં.સભ્ય હરદેવસિંહ જાડેજા, અરજણભાઇ આહિર, રાણુભા જાડેજા, લુણવા સરપંચ રેખાબેન કે, માજી સરપંચ રવાભાઇ, શ્રી રાધા વરચંદ, જનકસિંહ જાડેજા, વાઘજીભાઇ છાંગા, ધનાબાપા, પ્રદિપસિંહ તલાટી, કાના છાંગા, ભચાઉ ટીડીઓશ્રી પંચાલ, સિંચાઇ ડેપ્યુટી એ.કે.પટેલ, તા.પં.સુપરવાઈઝરશ્રી વી.પી.રાઠોડ, જિલ્લા સમાજ કલ્યાણના શ્રી અગારા, ભુરાભાઇ આગેવાન, ખારોઇ, કબરાઉ તથા લુણવાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment