કર્ણાટક વિધાનસભામાં યેદિયુરપ્પાની સરકાર શક્તિ પરીક્ષણમાં બહુમત મેળવવામાં નિષ્ફળ ગઇ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આપેલા સમય પ્રમાણે 4 વાગે યેદિયુરપ્પા બહુમત પ્રાપ્ત કરી શક્યા નથી. આમ યેદિયુરપ્પાએ ફરી રાજ્યમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.
ત્યારે રાજ્યમાં હવે કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર બનવાને લઇને કવાયત આગામી સમયમાં હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપને બહુમત સાબિત કરવાને લઇને 112ના જાદુઇ આંકડાને પાસ કરી શક્યું નથી. જો કે છેલ્લા બે દિવસથી યેદિયુરપ્પા ભાજપ સરકારને બહુમતિ મળશે તેવો દાવો કરી રહ્યા હતા.
યેદિયુરપ્પાએ વિધાનસભામાં સંબોધન કર્યું. કોંગ્રેસ-જેડીએશનું ગઠબંધ તકવાદી છે. જનાદેશ કોંગ્રેસ-જેડીએસ વિરુધ્ધમાં ગયો છે. ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં સામે આવી. કોંગ્રેસની નિષ્ફળતાને લીધે અમે ચૂંટણી જીત્યા. યેદિયુરપ્પા વિધાનસભામાં સંબોધન દરમિયાન ભાવુક થયા. હું છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોની સેવા કરીશ. કોંગ્રેસ અને જેડીએસ એકબીજા સામે લડયા. ખેડૂતોનું દેવું માફુ કરવા માંગતો હતો. કર્ણાટકની જનતાના જનાદેશ સામે બંને અવસરવાદી પક્ષ એક થઈ ગયા.
કર્ણાટકમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. જેને લઇને રાજ્યપાલ વજુભાઇ વાળાએ યેદિયુરપ્પાને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. બહુમતથી દૂર હોવા છતાં ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપતા કોંગ્રેસ-જેડીએસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
જેમાં સુપ્રીમે 19મીએ 4 વાગે બહુમત પ્રાપ્ત કરવાનો આદેશ કર્યો હતો. જેમાં પ્રોટેમ સ્પીકરની નિયુક્ત અંગે પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાને આ અગાઉ પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ અગાઉ પણ 2007માં પણ યેદિયુરપ્પાએ સાત દિવસની અંદર બહુમત પ્રાપ્ત ન કરી શકતા ખુરશી છોડવી પડી હતી.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment